ભારત-પાકિસ્તાન ફાઇનલ ફિક્સ થઇ હતી. કોહલી-યુવરાજસિંહ ફૂટી ગયા હતા: ક્યા કેન્દ્રિયમંત્રીએ કર્યો આક્ષેપ?
તેમને કહ્યું, ‘જેમને ફાઈનલમાં પ્રદર્શન નથી કર્યું તેમને ટીમમાંથી બહાર કરી દેવા જોઈએ અને દલિત સમુદાયના ક્રિકેટ ખેલાડીઓને મોકો આપવો જોઈએ. હું ક્રિકેટ સિવાય બાકી રમતોમાં પણ 25 ટકા આરક્ષણની માંગણી કરું છું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લી: કેંદ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રૉફીની ફાઈનલ મેચ ફિક્સ હોવાનો આરોપ લગાવ્યો છે. તેમને શનિવારે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી, ઑલરાઉન્ડર યુવરાજ સિંહ સિવાય ટીમના બાકી ખેલાડીઓ પર પાકિસ્તાન વિરુદ્ધ ફાઈનલ મેચ ફિક્સ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમને આ મામલાની તપાસની માંગણી કરી છે.
સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગના રાજ્યમંત્રીએ ક્રિકેટ અને બાકી રમતોમાં દલિત સમુદાય માટે 25 ટકા આરક્ષણની માંગણી કરી છે.
ભારતીય ટીમે 18 જૂને ફાઈનલમાં પાકિસ્તાન સામે એક તરફી મુકાબલામાં 180 રનોથી કરારી હાર મેળવી હતી. આઈસીસીની કોઈ પણ ફાઈનલ મેચના ઈતિહાસમાં આ સૌથી મોટી જીત હતી.
અઠાવલેએ કહ્યું, ‘ખેલાડીઓએ આખી ટૂર્નામેંટમાં ઘણી સદીઓ ફટકારી હતી. પરંતુ ફાઈનલમાં શું થઈ ગયું કે એક પણ ખેલાડી ચાલ્યો નહીં. મેચ જોતા એવું લાગી રહ્યું હતું કે તે હારવા માટે રમી રહ્યા છે. એવું લાગી રહ્યું હતું કે આ મેચ ફિક્સ હતી. હું આ મેચની તપાસની માંગણી કરું છું..
વડોદરાના જિલ્લા અધિકારીઓને મળ્યા પછી શુક્રવારે અઠાવલેએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, કોચ અનિલ કુંબલે, કોહલી અને યુવરાજ સિંહ સિવાય બાકી ખેલાડીઓએ આખી ટૂર્નામેંટમાં જોરદાર બેટિંગ કરી હતી. આવા ધરખમ ખેલાડીઓ હોવા છતાં આપણે પાકિસ્તાન જેવી ટીમ સામે કેવી રીતે હારી શકીએ છીએ?
- - - - - - - - - Advertisement - - - - - - - - -