WhatsApp મેસેજઃ 5 મહિનાથી જેલમાં બંધ છે એડમિન
રાજગઢના એસપી સિમાલા પ્રસાદ અને આ કેસની તપાસ કરી રહેલ યુવરાજ સિંહ ચૌહાણે કહ્યું, જુનૈદના પરિવાજનોએ પહેલા એ જણાવ્યું ન હતું કે તે ડિફોલ્ટ એડમિન હતો. હવે કોર્ટમાં કેસ ગયા પછી તેઓ આ વાત જણાવી રહ્યા છે. જુનૈદના પરિવારજનોની પાસે આ દાવાના પુરાવા હોય તો રજુ કરે. અમે હાલ તપાસ કરી રહ્યા છીએ અને ઇરફાનની પણ ધરપકડ કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસ અનુસાર કાર્રવાઈ સમયે જુનૈદ જ વોટ્સએપ ગ્રુપનો એડમિન હતો. જ્યારે જુનૈદના પરિવાજનો જણાવ્યું કે, વાસ્તવિક એડમિને ગ્રુપ છોડી દીધા બાદ જુનૈદ ડિફોલ્ટ એડમિન બની ગયો. જુનૈદના ભાઈ ફારૂખે જણાવ્યું, આપત્તિજનક પોસ્ટ શેર કરતા સમયે એડમિન જુનૈદ ન હતો. દેશદ્રોહનો કેસ હોવાને કારણે કોર્ટે પણ જામીન આપવાની ના પાડી દીધી અને આ કારણે તે પરીક્ષા પણ ન આપી શક્યો. અમે સીનિયર પોલીસ અધિકારીઓની સાથે સીએમ હેલ્પલાઈન પર પણ ફરિયાદ નોંધાવી છે, પરંતુ અમારું કોઈએ સાંભળ્યું નહીં.
નવી દિલ્હીઃ મધ્યપ્રદેશા રાજગઢ જિલ્લાના રહેવાસી એક 21 વર્ષીય યુવક કોઈ અન્ય દ્વારા ફોરવર્ડ કરવામાં આવેલ વોટ્સએપ મેસેજને કારણે વિતેલા 5 મહિનાથી જેલમાં બંધ છે. આરોપી યુવકના પરિજનોનું કહેવું છે કે, આપત્તિજનક મેસેજ ફોરવર્ડ કર્યા બાદ વાસ્તવિક એડમીને ગ્રુપ છોડી દીધું અને પોલીસની કાર્રવાઈ સમયે આરોપી એડમન બની ગયો, જેના કારણે તેની વિરૂદ્ધ કાર્રવાઈ કરવામાં આવી.
રાજગઢના તાલેન વિસ્તારના રહેવાસી અને બીએસસીના વિદ્યાર્થી જુનૈદ ખાનની 14 ફેબ્રુારીના રોજ ધરપકડ કરી તેની વિરૂદ્ધ આઈટી એક્ટની સાથે જ દેશદોર્હ અંતર્ગત પણ કેસ નોંધવામાં આવ્યો હતો. તે એક વોટ્સએપ ગ્રુપનો સભ્યો હતો, જેના એડમિન ઇમરાને આપત્તિજનક મેસેજ ફોરવર્ડ કર્યો હતો. સ્થાનીક લોકોએ ઇરફાન તથા ગ્રુપ એડમિન વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -