✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નરેન્દ્ર મોદીને પછાડવા વિપક્ષો ક્યા વિદેશી ધુરંધરને શરણે ગયા, જાણો વિગતો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Jul 2017 12:14 PM (IST)
1

મેક અમેરિકા ગ્રેટ અગેન જેવા અભિયાનથી આ કંપની જાણીતી થઇ હતી. આ કંપની અત્યાર સુધીમાં વિશ્વભરમાં ૪૦થી વધુ ચૂંટણીઓમાં સામેલ થઇ છે. અત્રે એ નોંધનીય છે કે મોદીના નેતૃત્વવાળા એનડીએના મુકાબલા માટે વિપક્ષ તમામ પ્રકારની રીત અજમાવી રહ્યુ છે. બધા પક્ષોએ આ માટે એક મંચથી ચૂંટણી લડવાની પહેલ કરી છે.

2

અંબરીશે જણાવ્યુ છે કે એલેકજાન્ડર આવી રહ્યા છે તેઓ ૩ દિવસમાં અનેક નેતાઓને મળશે. તેઓ ભારતને પોલીટીકલ મેનેજમેન્ટ માટે એક મોટા બજારના સ્વરૂપમાં નિહાળી રહ્યા છે. મહત્વની વાત એ છે કે, એલેકજાન્ડર રાહુલ ગાંધીને બદલે પ્રિયંકા ગાંધીને મળશે. આ બાબત સુચક છે અને સંકેત આપે છે કે પ્રિયંકા ર૦૧૯ પહેલા સક્રિય રાજનીતિમાં આવશે.

3

સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિપક્ષ જો સાથે મળીને ચૂંટણી લડે તો ચૂંટણી અભિયાન પણ સંયુકત રહેશે. આ રણનીતિ હેઠળ એલેકઝાન્ડરના નામની પસંદગી કરવામાં આવી છે. અમેરિકાની ચૂંટણી વખતે તેમની ટીમમાં ભારતથી અંબરીશ ત્યાગી પણ સામેલ હતા તેઓ જેડીયુના નેતા કે.સી.ત્યાગીના પુત્ર છે.

4

આ સંભાવનાને સાકાર કરવા કંપનીના ફાઉન્ડર એલેકઝાન્ડર ૧૯ થી ર૧ જુલાઇ સુધી ૩ દિવસ ભારતની મુલાકાત આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ બિહારના સીએમ નીતિશકુમાર, પ્રિયંકા ગાંધી, શરદ પવાર, અખિલેશ યાદવ સહિત વિપક્ષ અનેક નેતાઓને મળશે.

5

ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં પ્રવેશવામાં સફળ રહ્યા. આની પાછળ એક પોલીટીકલ મેનેજમેન્ટ ટીમની મહત્વની ભુમિકા હતી. દુનિયાના અનેક દેશોમાં આ પ્રકારના ચોંકાવનારા પરિણામો આપનારી આ કેબ્રીજ એનલીટીકસ કંપની હવે ભારતમાં આવવા તૈયાર છે. આ કંપની ર૦૧૯ની ચૂંટણીમાં પીએમ મોદી વિરૂધ્ધ બનનારા સંભવિત મહાગઠબંધન માટે કામ કરશે.

6

નવી દિલ્હીઃ અમેરિકાની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ માટે કામ કરનારી પોલિટિકલ મેનેજમેન્ટ ટીમ ટૂંકમાં જ ભારતમાં પણ પોતાના કામની શરૂઆત કરી શકે છે. સૂત્રોનું માનીએ તો વિશ્વની લીડિંગ પોલિટિકલ મેનેજમેન્ટ ટીમ 2019માં મોદીની આગેવાનીવાળી એનડીએની જગ્યાએ વિપક્ષ માટે રણનીતિ બનાવવા માટે કામ કરી શકે છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • નરેન્દ્ર મોદીને પછાડવા વિપક્ષો ક્યા વિદેશી ધુરંધરને શરણે ગયા, જાણો વિગતો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.