✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જયલલિતા બ્રાહ્મણ હોવા છતાં તેમને અગ્નિસંસ્કાર આપવાના બદલે કેમ દફનાવાયાં ? જાણો રસપ્રદ કારણ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Dec 2016 05:31 PM (IST)
1

જયલલિતાના મૃતદેહને ચેન્નાઈના સમુદ્ર કાંઠે મરીના બીચ પર ચંદનનાં લાકડાં વચ્ચે મૂકીને પછી તેના પર ગુલાબજળ છાંટીને દફનાવવામાં આવ્યો હતો. તેમના રાજકીય ગુરૂ એમ.જી. રામચંદ્રનની સમાધિ પાસે જ તેમની દફનવિધી કરાઈ છે અને આ સ્થળે જયલલિતાની પણ ભવ્ય સમાધિ ઉભી કરવામાં આવશે.

2

દ્રવિડીયન પરંપરા પ્રમાણે વ્યક્તિને મૃત્યુ પછી અગ્નિસંસ્કાર આપવામાં નથી આવતા પણ દફનાવાય છે. પેરીયાર, અન્નાદુરાઈ અને એમ.જી. રામચંદ્રન સહિત તમામ દ્રવિડીયન નેતાઓને દફનાવવામાં જ આવ્યા હતા. જયલલિતા પણ એ કક્ષાનાં નેતા છે તેથી તેમને પણ અગ્નિસંસ્કારના બદલે દફનાવવામાં આવ્યાં છે.

3

ચેન્નઈઃ તમિલનાડુનાં મુખ્યમંત્રી જયલલિતાને મંગળવાર બપોરે પછી ચેન્નઈના મરીન બીચ પર દફનાવવામાં આવ્યાં તેના કારણે લોકોને આશ્ચર્ય થયું છે. અગાઉ એવી જાહેરાત કરાઈ હતી કે જયલલિતાના અગ્નિસંસ્કાર કરાશે પણ તેના બદલે તેમની દફનવિધી કરવામાં આવતાં સમગ્ર દેશમાં આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો.

4

આ અધિકારીના કહેવા પ્રમાણે જયલલિતા જન્મે ભલે આયંગર બ્રાહ્મણ હતાં પણ તમિલનાડુની પ્રજા માટે તે આયંગર બ્રાહ્મણ નહોતાં. અમારા માટે જયલલિતા કોઈ પણ ધર્મ કે જ્ઞાતિની ઓળખથી ઉપર હતાં. જયલલિતા તમિલનાડુની દ્રવિડીયન સંસ્કૃતિનાં મહાનતમ નેતાઓમાં એક હતાં ને એ જ તેમની ઓળખ છે.

5

જયલલિતા હિન્દુ હતાં અને આયંગર બ્રાહ્મણ હતાં. તમિલનાડુમાં હિન્દુઓના અગ્નિસંસ્કાર કરાય છે ત્યારે જયલલિતાને કેમ દફનાવાયાં એ સવાલ પણ ઉઠ્યો હતો. જયલલિતાની અંતિમવિધીની તૈયારી સાથે સંકળાયેલા તમિલનાડુ સરકારના એક સીનિયર અધિકારીએ આ મુદ્દે મહત્વનો અને રસપ્રદ ખુલાસો કર્યો છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • જયલલિતા બ્રાહ્મણ હોવા છતાં તેમને અગ્નિસંસ્કાર આપવાના બદલે કેમ દફનાવાયાં ? જાણો રસપ્રદ કારણ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.