આદિત્યનાથે CM હાઉસ પર પહેલાં ખોટી નેમ પ્લેટ લગાવીને પછી બદલી કેમ ? કારણ જાણીને ચોંકી જશો
મુખ્યમંત્રી બન્યા પછી આદિત્યનાથ ગોરખપુરથી લખનઉ આવી ગયા છે. પરંતુ તેઓ સત્તાવાર નિવાસસ્થાનમાં શિફ્ટિંગ થયા નથી. તેઓ લખનઉના VVIP ગેસ્ટહાઉસ ખાતે ઉતર્યા હતા. હવે ખરવાસ સમાપ્ત થતા બુધવારે ગૃહપ્રવેશ કરશે. બુધવારે યોગી આદિત્યનાથે ભાજપના નેતાઓ તથા સાથી પ્રધાનોને તેમના સત્તાવાર નિવાસસ્થાન 5 કાલિદાસ માર્ગ પર આવવા આમંત્રણ આપ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆદિત્યનાથના મુખ્યમંત્રી બન્યા બાદ તેમના ગોરક્ષનાથ મઠથી કેટલાક સાધુ-સંત અને પૂજારીઓ આવ્યા હતા. જેમણે મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાનનું શુદ્ધિકરણ કર્યું હતું અને હોમ-હવન તથા મંત્રોચ્ચાર વગેરે કર્યાં હતાં. ઘરના દરવાજા પર 'શુભ લાભ' તથા 'સ્વસ્તિક' કરવામાં આવ્યા હતા અને તોરણ તથા ફૂલહારથી દરવાજાને શણગારવામાં આવ્યો હતો.
યોગી આદિત્યનાથે મુખ્યપ્રધાન તરીકેના શપથ લીધા, ત્યારે ખરમાસ (ઉત્તર ભારતની માન્યતા પ્રમાણે, ગુજરાતી 'કમૂરતાં' જેવો ગાળો.) ચાલતો હતો. આ સમયે કોઈ માંગલિક, નવી વાહન કે ઘર ખરીદી કે ઘર બદલવા જેવા કામો ટાળવામાં આવે છે. જેના ઉકેલ સ્વરૂપે 5 કાલિદાસ માર્ગ ખાતે 'આદિત્યનાથ યોગી'ના નામની નેમપ્લેટ લગાડવામાં આવી. ચૈત્રી નવરાત્રના પ્રારંભની સાથે ખરમાસનો અંત થયો. જેથી મુખ્યમંત્રીના મૂળનામ 'યોગી આદિત્યનાથ'ના નામની તકતી લગાડવામાં આવી.
યોગી આદિત્યનાથે શપથ લીધા પછી મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન 5, કાલિદાસ માર્ગ ખાતે તેમના નામની તકતી લાગી હતી. જેની ઉપર 'આદિત્ય નાથ યોગી મુખ્યમંત્રી' એવું લખેલું હતું. ત્યારે બધાને આશ્ચર્ય થયું હતું. કારણ કે ગોરખપુરના સાંસદ વાસ્તવમાં યોગી આદિત્યનાથના નામે ઓળખાય છે. મંગળવારે મુખ્યમંત્રી નિવાસસ્થાન બહાર તકતી બદલી ગઈ. જેની ઉપર 'યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી' લખેલું હતું.
લખનઉ: યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના સત્તાવાર નિવાસસ્થાન બહાર 'આદિત્યનાથ યોગી, મુખ્યમંત્રી'ની નેમપ્લેટ લાગેલી હતી. જે હવે બદલી નાખવામાં આવી છે. હવે આવતી કાલે બુધવારે તેઓ નવા ઘરમાં શિફ્ટ થશે, ત્યારે શુકન-અપશુકનની માન્યતાને કારણે આમ કરાયું હોવાનું સૂત્રા પાસેથી જાણવા મળ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -