✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સંજય દત્તને જેલમાંથી વહેલો છોડવા પર હાઈકોર્ટની સરકારને ફટકાર, પૂછ્યો આ સવાલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Jun 2017 07:29 AM (IST)
1

જસ્ટિસ આર એમ સાવંત અને સાધના જાધવની બેન્ચે પૂણેના એક રહેવાસી પ્રદીપ ભાલેકરની એક જાહેર હિતની અરજી પર આ સવાલ કર્યો છે. ભાલેકરે સંજય દત્તના કારાવાસ દરમિયાન તેને મળેલા નિયમિત ફર્લો અને પેરોલને પડકાર્યો છે. એ પછી કોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યો છે કે દત્તને માફી આપવાનું નકકી કરતી વેળાએ ક્યા માપદંડો ધ્યાનમાં લેવાયા હતા અને કઇ પ્રક્રિયા અનુસરવામાં આવી હતી.

2

૧૯૯૩ બ્લાસ્ટ્સમાં ઉપયોગમાં લેવામાં આવેલાં જથ્થાના એક ભાગના શસ્ત્રો દત્ત પાસે રહ્યા હોવાના કેસમાં તેને કોર્ટે પાંચ વર્ષ કારાવાસની સજા ફટકારી હતી. ટ્રાયલ દરમિયાન જામીન પર રહેલા એક્ટરે મે ૨૦૧૩માં કોર્ટમાં શરણાગતિ સ્વીકારી હતી. સંજય દત્તને તેની સારી વર્તણૂકને કારણે પૂણેની યરવડા જેલમાંથી આઠ મહિના અગાઉ છોડી મૂકાયો હતો.

3

મુંબઈઃ સંજય દત્તની ફરી એક વખત મુશ્કેલી વધી શકે છે. બોમ્બે હાઈકોર્ટે જેલમાંથી તેમને જલદી છોડી મુકવા પર મહારાષ્ટ્ર સરકારને સવાલ કર્યા છે. બોમ્બે હાઇકોર્ટે ૧૯૯૩ સિરિયલ બ્લાસ્ટ્સ કેસમાં તેને જેલમાંથી વહેલા છોડી મૂકવાના નિર્ણયને વાજબી ઠેરવવાના નિર્ણય સામે મહારાષ્ટ્ર સરકારને સવાલ કર્યો છે. સંજય દત્તને આ કેસમાં સજા કરતાં આઠ મહિના વહેલો છોડાયો હતો. કોર્ટ અઠવાડિયા પછી આ કેસની સુના‌વણી કરશે.

  • હોમ
  • India-news
  • દેશ
  • સંજય દત્તને જેલમાંથી વહેલો છોડવા પર હાઈકોર્ટની સરકારને ફટકાર, પૂછ્યો આ સવાલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.