ભારતમાં પદ્માવતી ફિલ્મને લઇને વિરોધ, બ્રિટનમાં એક પણ કટ વિના થશે રીલિઝ

ત્યાં રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશ સરકારે પણ ફિલ્મ રિલીઝ નહીં કરવા જણાવ્યું છે. સીએમ રૂપાણીએ કહ્યું કે જ્યાં સુધી વિવાદ પુરો ના થાય ત્યાં સુધી ગુજરાતમાં ફિલ્મ રિલીઝ નહી થાય. રાજસ્થાનના સીએમ વસુંધરા રાજે પણ કહ્યું છે કે વિવાદિત દ્રશ્ય હટાવ્યા બાદજ ઉત્તર પ્રદેશમાં ફિલ્મ રિલીઝ થશે.
જણાવી દઈએ કે ફિલ્મમાં પદ્માવતી અને ખિલજીના કેટલાક વાંધાજનક દ્રશ્યને લઈને દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે. અને ઈતિહાસને તોડી મરડીને ફિલ્મ બનાવવામાં આવી છે તેવો વિવાદ ચાલી રહ્યો છે. રાજપૂત કરણી સેના રસ્તા પર ઉતરી આવી છે અને રિલીઝ પર પ્રતિબંધ લગાવવાની માગ કરી રહ્યા છે.
યૂકેમાં આ ફિલ્મ એક પણ સીનના કાપ-કૂપ વગર રિલઝ થશે. ફિલ્મને અનસેંસર્ડ તરીકે જ રિલીઝ કરવામાં આવશે. ફિલ્મ પહેલી ડિસેમ્બરે યૂકેના સિનેમા હોલમાં સ્ક્રિનિંગ થશે.
નવી દિલ્લી: ફિલ્મ પદ્માવતીને લઈને દેશભરમાં વિવાદ ચાલી રહ્યો છે. પણ બિટ્રેનમાં આ ફિલ્મ એક પણ સીન કટ કર્યા વગર રિલીઝ કરશે. બ્રિટશ બોર્ડ ઓફ ફિલ્મ ક્લાસિફિકેશને ગુરુવારે બોલીવુડ ફિલ્મ પદ્માવતીની રિલીઝને લીલી ઝંડી આપી દીધી છે.