સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઇને કેરાલામાં હિંસક પ્રદર્શન, હિંસામાં એકનું મોત
માહિતી પ્રમાણે પ્રદર્શનમાં ઘાયલ થયેલા 55 વર્ષીય ચંદન ઉન્નીથનનુ મોત થયુ છે, પોલીસે સબરીમાલા મંદિર મુદ્દે વિરોધ કરનારા 5 લોકોની ધરપકડ પણ કરી છે, આમના પર મહિલા પોલીસકર્મીઓ પર હુમલો કરવાનો આરોપ છે.
મૃત્યુ પામનાર ચંદન ઉન્નીથન- ‘સબરીમાલા કર્મ સમિતિ’ના કાર્યકર્તા હતા, જે મહિલાઓને મંદિરમાં ઘૂસવાનો વિરોધ કરી રહ્યાં હતા. બુધવારે અહીં થયેલા CPIM-BJPના કાર્યકર્તા વચ્ચેના ઘર્ષણમાં ઘાયલ થયા હતા, બાદમાં હૉસ્પીટલમાં મોડી રાત્રે મૃત્યુ પામ્યા હતા. હિંસક પ્રદર્શનના કારણે કેરાલા બંધ રહ્યું છે.
સુપ્રીમ કોર્ટના આદેશને પગલે બુધવારે બે મહિલાઓ, જે 40 વર્ષથી ઓછી ઉંમરની હતી તેમને સબરીમાલા મંદિરમાં ભગવાન અયપ્પાના દર્શન કર્યા, ત્યારબાદ આખા રાજ્યમાં બબાલ અને ધમાલ ચાલુ થઇ ગઇ હતી. પ્રદર્શન હિંસક થતાં એક વ્યક્તિનું મોત પણ થઇ ગયાના સમાચાર છે.
તિરુવનંતપુરમઃ કેરાલાના પ્રસિદ્ધ સબરીમાલા મંદિરમાં 1500 વર્ષ જુની પરંપરાને ગઇકાલે બે મહિલાઓએ તોડી નાંખી, સદીઓથી ચાલી આવતી મહિલાઓની મંદિર પ્રવેશ નિષેધની પરંપરાને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર તોડી કાઢવામાં આવતા કેરાલમાં હિંસક પ્રદર્શન ચાલુ થઇ ગયુ છે.