યોગી સરકારે કેમ લીધો 'ગૌ કલ્યાણ સેસ' લેવાનો નિર્ણય ? જાણો વિગત
મનરેગાના માધ્યમથી ગ્રામ પંચાયત, ધારાસભ્ય, સાંસદ ફંડમાંથી તેનું નિર્માણ કરવામાં આવશે. ગૌવંશ આશ્રય સ્થળ માટે ફંડ એકત્ર કરવા શરાબ પર બે ટકા ગૌ કલ્યાણ સેસ લગાવવામાં આવશે. ઉપરાંત આશ્રય સ્થાન બનાવવા માટે ફંડ વિવિધ વિભાગો પાસેથી લેવામાં આવશે. જેમાં એક્સાઇઝ આઇટમ પર 0.5 ટકા, યુપી એક્સપ્રેસ વે ઓથોટિરીટ તરફથી 0.5 ટકા ટોલ ટેક્સ, 2 ટકા મંડી પરિષદ તરફથી મળેલી રકમ આ ફંડમાં નાંખવામાં આવશે.
લખનઉઃ ઉત્તરપ્રદેશમાં યોગી કેબિનેટની મંગળવારે મળેલી બેઠકમાં મોટ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યના દરેક જિલ્લામાં ગૌશાળા બનાવવા અને રખડતાં ઢોર માટે આશ્રય સ્થાન બનાવવા ગૌ કલ્યાણ સેસ લેવાનો નિર્ણય લીધો છે.
સરકારના પ્રવક્તા અને ઉર્જા મંત્રી શ્રીકાંત શર્માએ જણાવ્યું કે, રખડતાં ગૌવંશની સમસ્યાના સમાધાન માટે આ પગલું ભરવામાં આવ્યું છે. દરેક જિલ્લામાં ગ્રામીણ વિસ્તારો તથા નગરોમાં 1000 રખડતા પશુઓ માટે આશ્રય સ્થાન બનાવવામાં આવશે.