હોમ લોન લેનારને વધુ એક રાહત આપશે સરકાર, જાણો ટેક્સમાં કેટલી મળશે છૂટ
સુત્રોનુ કહેવુ છે કે, સરકારની અગ્રતામાં હાઉસીંગ ક્ષેત્ર છે. આનાથી દરેકને ઘર જેવી યોજનાને પ્રોત્સાહન મળશે અને અર્થતંત્ર ઉપર પણ તેની સાનુકુળ અસર થશે. છેલ્લા કેટલાક વર્ષોથી રિયલ એસ્ટેટમાં મંદી છે. તેને દુર કરવા માટે આ પ્રકારની રાહતો જરૂરી છે.
બજેટ સમીતીએ હાઉસીંગ સેકટરના લોકો પાસેથી પ્રતિક્રિયા લેવાનુ પણ શરૂ કર્યુ છે. પીએમ મોદીએ સસ્તી હાઉસીંગ લોન આપવા ઉપર ભાર મુકયો છે અને આ બાબત તેનો એક હિસ્સો છે. નવા વર્ષની પુર્વ સંધ્યાએ પીએમ મોદીએ નાની હાઉસીંગ લોનના વ્યાજદરોમાં રાહતોની જાહેરાત કરી હતી. કર નિષ્ણાંતોનુ માનવુ છે કે, ૮મી નવેમ્બરના રોજ નોટબંધી બાદ બેંકો પાસે મોટા પ્રમાણમાં રોકડ આવી છે તેથી હાઉસીંગ લોન પર રાહત મળવાની સંભાવના વધી ગઇ છે.
જો કે આ કલમનો લાભ ૧લી એપ્રિલ ર૦૧૬ થી ૩૧ માર્ચ ર૦૧૭ની વચ્ચે લોન લેવા પર જ મળશે. સાથોસાથ એવી પણ શરત રાખવામાં આવી હતી કે મિલ્કતનું મુલ્ય પ૦ લાખથી વધુ અને લોન ૩પ લાખથી વધુ હોવી ન જોઇએ. આ સમગ્ર મામલાની માહિતી રાખનાર અધિકારીનું કહેવુ છે કે, ૮૦-ઇઇઇ હેઠળ છુટનો ગાળો વધારવા અને પ૦ લાખ રૂપિયા સુધી લોન મર્યાદામાં વધારો કરવા વિચારણા થઇ રહી છે.
ઘર ખરીદનારાઓને કલમ-૮૦ સી હેઠળ દોઢ લાખ રૂપિયાની છુટ મળી રહી છે. એનડીએ સરકારે પોતાના કાર્યકાળના પ્રથમ બજેટમાં આ છુટ મર્યાદા દોઢ લાખથી વધારીને બે લાખ કરી દીધી હતી. ગત બજેટમાં નાણા મંત્રી અરૂણ જેટલીએ હાઉસીંગ લોનના વ્યાજ પર છુટ મર્યાદા કલમ-૮૦ સી હેઠળ પહેલીવાર ઘર ખરીદનારાઓ માટે પ૦,૦૦૦ રૂપિયા વધારી દીધી હતી.
નવી દિલ્હી: હાઉસિંગ સેક્ટરમાં માગ વધે તે ઉદ્દેશથી હોમલોન પર ચુકવવામાં આવતા વ્યાજ માટે ડિડક્શનની મર્યાદામાં સરકાર 50,000 રૂપિયાનો વધારો કરી શકે છે. સરકાર આઈટી એક્ટની કલમ-24 હેઠળ જે 2 લાખની મર્યાદા છે તેને વધારીને 2.5 લાખ કરવા માગે છે.