RBIએ ફેરવી તોળ્યું, હવે 500-1000ની જૂની નોટ માત્ર આ 5 શહેરમાં જ બદલાવી શકાશે

આરબીઆઈએ નોટ બદલવાની સુવિધા માત્ર મુંબઈ, નવી દિલ્હી, ચેન્નઈ, કોલકાતા અને નાગપુરમાં આરબીઆઈ બેંક કાર્યાલયમાં જ આપવાની જાહેરાત કરી છે. પરંતુ જે ભારતીય નાગરિક, નેપાળ, ભૂટાન, પાકિસ્તાન અથવા બાંગ્લાદેશમાં રહે છે તેને આ સુવિધાનો લાભ નહીં મળે.
પહેલા આરબીઆઈએ શનિવારે જારી એક નિવેદનમાં કહ્યું હતું કે, ભારતીય નાગરિક જે 9 નવેમ્બરથી 30 ડિસેમ્બર સુધી વિદેશમાં છે તે નોટ બદલવાની સુવિધાનો લાભ 31 માર્ચ 2017 સુધી લઈ શકે છે અને એનઆરઆઈ જે આ ગાળા દરમિયાન વિદેશમાં હતા તે ચલણમાંથી બહાર થયેલી જૂની નોટ 30 જૂન 2017 સુધી બદલાવી શકે છે. જોકે અપ્રવાસી ભારતીયને ફેમાના કાયદા અંતર્ગત જ જૂની નોટ બદલવાની છૂટ મળશે. એનઆરઆઈને તેના માટે ઓળખનો પૂરાવો અને સાથે જ જણાવવું પડશે કે તે ઉપરોક્ત ગાળા દરમિયાન વિદેશમાં હતી અને તેમણે આ પહેલા નોટ બદલાવી નથી.
બેંકોમાં માત્ર જૂની નોટ જમા કરાવી શકાતી હતી જેની અંતિમ તારીખ 30 ડિસેમ્બર હતી. નોટબંધીના 52 દિવસ બાદ 30 ડિસેમ્બર સુધી બેંકોની પાસે મોટી સંખ્યામાં જૂની નોટ જમા થઈ ગઈ છે. ત્યાર બાદ પણ જો કોઈની પાસે 500-100ની જૂની નોટ છે તો તે આરબીઆઈમાં 31 માર્ચ સુધી જઈને નોટ જમા કરાવી શકે છે પરંતુ તેને કારણ આપવું પડશે કે શા માટે નોટ જમા કરાવી ન હતી.
8 નવેમ્બરના રોજ નોટબંધીની જાહેરાત બાદ પહેલા સરકારે 4000 રૂપિયાની જૂની નોટ બેંકમાં બદલવાની સુવિધા આપી હતી. જેને બાદમાં ખતમ કરવામાં આવી હતી. ઘણાં લોકો નોટ બદલવાના ગોરખધંધામાં લાગ્યા હતા જેના કારણે સરકારે નોટ બદલવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
નવી દિલ્હીઃ જો તમે વિચારી રહ્યા છો કો આરબીઆઈ જઈને તમે તમારી જૂની નોટ બદલાવી લેશો તો તમને મોટો ઝટકો લાગી શકે છે. ભારતીય રિઝર્વ બેંકમાં જૂની નોટ બદલવાની સુવિધા ખતમ કરી દેવામાં આવી છે. દેશના સામાન્ય લોકો હવે આરબીઆઈમાં નોટ નહીં બદલાવી શકે. માત્ર એનઆરઆઈ અથવા દેશમાંથી થોડોક સમય સુધી બહાર રહેનારા લોકો કેટલીક શરતોની સાથે આરબીઆઈમાં જૂની નોટ જમા કરાવી શકશે.