Swelling in Eyelids:આંખના પોપચા એ શરીરનો એક સંવેદનશીલ ભાગ છે. કેટલીકવાર પોપચા પર સોજો આવવાથી પણ ખંજવાળની ​​સમસ્યા થાય છે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે તમે કેટલાક ઘરેલું ઉપાય કરી શકો છો.


આંખોની સુરક્ષા માટે પોપચા આપણા શરીરનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. વાસ્તવમાં, પોપચા આંખોને ધૂળ, માટી અને મચ્છર વગેરેથી રક્ષણ આપે છે.  જો કે  ઘણી વખત જોવા મળે છે કે પાંપણ પર સોજો આવે છે. જો કે, આ એક ખૂબ જ સામાન્ય પરિસ્થિતિ છે. આ કોઈ રોગ નથી, પરંતુ તે કોઈ અન્ય રોગની નિશાની પણ હોઈ શકે છે. પોપચા પર સોજો સામાન્ય રીતે એલર્જી, ચેપ અથવા ઈજાને કારણે થાય છે. કેટલીકવાર સોજા માટેનું મેડિકલ કારણ પણ હોઇ શકે છે.  


પલકોના સોજાના કારણો


એલર્જી



  • પોપચાની તૈલી ગ્રંથીઓ બંધ થઇ જવી

  • પલકમાં સંક્રમણ

  • આંખના સોકેટની આસપાસ ચેપ

  • આંખ આવવી

  • દાદ


સોજો માટે સારવાર


સોજો પોપચાંની સારવાર તેના  કારણ પર આધાર રાખે છે. જો આપને આંખોમાં ઇન્ફેકશન થયું  હોય, તો ચેપને દૂર કરવા માટે એન્ટિબાયોટિક આંખના ટીપાં, મલમ અથવા અન્ય દવાઓનો ઉપયોગ કરવાની જરૂર પડી શકે છે.


ગરમ કાપડ


પાંપણોનો સોજો ઓછો કરવા માટે એક વાસણમાં ગરમ ​​પાણી લો. હવે આ ગરમ પાણીમાં કપડાને બોળીને નિચોવીને પાંપણ પર લગાવો. આવું દિવસમાં બે વાર કરો. આમ કરવાથી ગ્રંથિઓને બંધ કરી દેતું તેલ પણ નીકળી જાય છે જેથી સોજો ઓછો થાય છે અને ખંજવાળની ​​સમસ્યાને પણ દૂર થાય છે.


પાંપણોને સારી રીતે ધોઈ લો


કેટલીકવાર પોપચા પર પપળી જામી થાય છે, જે ખંજવાળ અને સોજોનું કારણ બને છે. આ સ્થિતિમાં, બેબી શેમ્પૂથી પોપચાને ધોઈ લો. આનાથી માત્ર પોપચા સાફ નથી થતી, પણ સોજો પણ દૂર થાય છે.


આંખના ટીપાંનો ઉપયોગ કરો


તમારી આંખોમાં મોશ્ચર  જાળવી રાખવા માટે કૃત્રિમ આંસુનો ઉપયોગ કરો. એન્ટિહિસ્ટેમાઈન ટીપાં એલર્જીને દૂર કરવામાં મદદ કરી શકે છે અને જો એલર્જીને કારણે તમારી પોપચાં પર સોજો આવે તો તે પણ ખૂબ મદદરૂપ છે.


Disclaimer:: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓ માત્ર સૂચનો તરીકે લેવાના છે, એબીપી ન્યૂઝ તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનને અનુસરતા પહેલા, કૃપા કરીને ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.