Health Tips: ચોખા ખાવાના એક નહીં અનેક ફાયદા છે, જાણો શું થાય છે સ્વાસ્થ્ય પર અસર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 23 Feb 2021 04:53 PM (IST)
ચોખા દુનિયાની અડધી આબાદીના ફેવરિટ છે. મોટાભાગે એશિયા અને આફ્રિકાના લોકો તેનો વધુ ઉપયોગ કરે છે. ચોખાની સ્વાસ્થ્ય પર શું અસર થાય છે જાણીએ..
હેલ્થ:ચોખા બજારમાં બે પ્રકારના મળે છે. એક પ્રોસેસ્ડ અને બીજો અનપ્રોસેસ્ડ અનપ્રોસેસ્ડ પોષક તત્વથી ભરપૂર છે. ચોખાને નિયમિત લેવાથી સ્વાસ્થ્ય પર સારો પ્રભાવ પડે છે. શું ફાયદા થાય છે જાણીએ.. એનર્જી પ્રદાન કરે છે ચોખા થકાવટને દૂર કરીને તાત્કાલિક એનર્જી પુરી પાડે છે. જો આપ થાક મહેસૂસ કરતી હો અને એક કટોરી ભાત ખાઇ લેશો તો તરત જ તેની અસર શરીર પર જોવા મળશે.ચોખામાં રહેલો કાર્બોહાઇડ્રેટ ખાવાથી ઉર્જામાં બદલી જાય છે. ફાઇબરથી ભરપૂર ચોખા ફાઇબરથી ભરપૂર છે. જે કબજિયાતની સમસ્યાને દૂર કરે છે. આંતરડાના સ્વાસ્થ્ય માટે પણ ચોખા હિતકારી છે. ચોખા આપના પાચનતંત્રને નિયત્રિત કરે છે અને ટોક્સિનને બહાર કાઢવામાં મદદરૂપ થાય છે. વેઇટ લોસ ચોખાનો એક કપ આપના શરીરમાંથી ફેટને ઓછી કરવામાં મદદરૂપ થાય છે. ચોખામાં સોડિયમ, કોલેસ્ટ્રોલની માત્રા ઓછી હોય છે.જે વજન કાબૂમાં રાખવામાં મદદ કરે છે. ચોખાની આપના શરીરના વજન પર નકારાત્મક અસર નથી પડતી. ચોખા ફાઇબરથી ભરપૂર હોવાથી મેદસ્વીતાને રોકે છે. ચોખા બ્લડ પ્રેશર અને બ્લ્ડ શુગરને પણ નિયંત્રિત કરે છે. ચોખા હાઇબ્લડ પ્રેશર સામે લડત આપે છે.