Health Tips: આપના રસોડામાં રાખવામાં આવેલી આ દાળના ફાયદા જાણીને તમે ચોક્કસથી એક વાર ચોંકી જશો.


 કળથી દાળમાં આવા ઘણા ગુણો જોવા મળે છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. હા, હકીકતમાં તેનો ઉલ્લેખ દવાઓ સંબંધિત પુસ્તકોમાં પણ કરવામાં આવ્યો છે. તે ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાનથી કમ નથી. ઘણા સંશોધનોમાં એ સાબિત થયું છે કે કળથી  દાળ શુગરને કંટ્રોલ કરવામાં મદદરૂપ સાબિત થાય છે. જો તમે ડાયાબિટીસના દર્દી છો અને શુગરને કંટ્રોલ કરવા માંગો છો, તો આજથી તમારેતમારા રસોડાના  મેનુમાં આ દાળને સામેલ કરો.


 પથરીની સમસ્યા દૂર થઇ જશે


હા, જો સ્ટોન એટલે કે કિડની સ્ટોન હોય તો આ દાળનું સેવન કરી શકાય છે. વાસ્તવમાં, હળદરમાં એન્ટીઑકિસડન્ટ અને સોજા  વિરોધી ગુણધર્મો હોય છે, જે કિડનીમાંથી પથરીને બહાર કાઢવામાં પણ મદદ કરે છે.


 ડાયાબિટીસ


ડાયાબિટીસનો રોગ આજના સમયમાં સામાન્ય બની ગયો છે. આનો સામનો કરવા માટે  કળથી ઉત્તમ છે. કળથીમાં 24 ટકા પ્રોટીન હોય છે. આટલું જ નહીં, કુળથીમાં  અપાચ્ય કાર્બોહાઇડ્રેટ્સ પણ હોય છે.  જેના કારણે લોહીમાં ખાંડની માત્રા ઓછી થાય છે. આ જ કારણ છે કે ડૉક્ટરો પણ ઘણીવાર ડાયાબિટિસના દર્દીને આ દાળનું સેવન કરવાનું કહે છે.


Kids Brain: બાળકની મગજ ક્ષમતા વધારવી છે તો તેની ડાયટમાં સામેલ કરો આ ફૂડ 
આજકાલના બાળકોની બૌદ્ધિક ક્ષમતા શાનદાર જોવા મળે છે. આ સ્થિતિમાં જો આપના બાળકની મગજની ક્ષમતા અન્ય બાળકોની તુલનામાં ઓછી હોય તો સમજવું કે બાળકમાં પોષણયુક્ત ડાયટની કમી છે. આ સ્થિતિમાં બાળકના ડાયટમાં પોષણયુક્ત ડાયટ સામેલ કરવું જોઇએ. 



  • જો આપ આપના બાળકની મગજશક્તિ તેજ કરવા માંગો છો તો તેને ફિશ ખવડાવો. ફિશમાં ઓમેગો -3 ફેટી એસિડ જોવા મળે છે. જે મગજને તેજ કરવામાં મદદ કરે છે. 

  • ગ્રીન વેજિટેબલનું સેવન બાળકો માટે  ખૂબ જ જરૂરી છે. તેનાથી બાળકનું માઇન્ડ તેજ દોડે છે. સાથે શરીર પણ ચુસ્ત દુરસ્ત રહે છે. 

  • એગ ખાવાથી પણ મગજની ક્ષમતાને વધારી શકાય છે. એગમાં પણ ઓમેગા -3 ફેટી એસિડની સાથે કોલિન, જિંક, લ્યૂટિન જેવા તત્વ છે. જે મગજની ક્ષમતાને વધારી શકે છે. 

  • ઓટસનું સેવન કરવાથી પણ બાળકોનું માઇન્ડ તેજ થાય છે. આમાં વિટામિન ઇ, વિટામિન બી કોમ્પ્લેક્સ, ઝિંક વગેરે મળી આવે છે, જે બાળકોના મગજને તેજ બનાવવામાં અસરકારક છે.

  • જો તમે તમારા બાળકના મગજને ખૂબ મજબૂત બનાવવા માંગો છો, તો તેને નિયમિતપણે દહીં ખવડાવો. દહીં ખાવાથી બાળકનું મગજ ખૂબ જ ઝડપથી ચાલે છે.

  • બાળકોના મગજને એનર્જી આપવા માટે આખા અનાજને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો તમે બાળકના મગજને વધારવા માંગતા હોવ તો આખા અનાજ ખવડાવો.


 Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.