ખીચડી બેશક એક સાધારણ ભોજન છે. જો કે આપની વજન ઓછું કરવાની પ્રક્રિયામાં ભરપૂર સહયોગ આપે છે.  ખીચડી સાદો અને પોષ્ટિક આહાર છે. ખીચડી વજન ઉતારવામાં પણ કારગર છે. આ 5 પ્રકારની ખીચડી છે. જે ઝડપથી આપનું વજન ઉતારે છે. નજર કરીએ આ પાંચ પ્રકારની ખીચડી પર..


મકાઇની ખીચડી


 શું આપ જાણો છો. મકાઇના દાણાની મસાલો નાખીને જોરદાર ખીચડી બનાવી શકાય છે. જેમાં આપ ગાજર, બીન્સ વગેરે સબ્જી ઉમેરી શકો છો. મકાઇની ખીચડીમાં ફોસ્ફરસ, જિંક, મેગ્નશ્યિમ,  હોય છે. મકાઈના નિયમિત સેવનથી આંખ અને હૃદયને પણ ફાયદો થાય છે.


દલિયાની ખીચડી


 આ ખીચડી બનાવવી પણ સરળ છે. જેમાં ફોલેટ,  મેગેનિઝ,  મેગ્નેશિયમ, આયરન, નિયાસિન, કોપર ભરપૂર માત્રામાં હોય છે.


દાળની ખીચડી


 દાળની ખીચડી હાર્ટ પેશન્ટ અને ડાયાબિટીશના દર્દી માટે હિતકારી છે. જેમાં ફાઇબર ભરૂપુર માત્રામાં હોય છે. તે પ્રોટીનથી પણ ભરપુર હોય છે. જે વજન ઉતારવામાં કારગર છે.


ઓટસ


 ઓટસ અને સબ્જીથી બનેલી આ ખીચડી સ્વાદિષ્ટ હોવાની સાથે પૌષ્ટિક પણ એટલી જ છે. જે મેગેનિઝ, પ્રોટીન, ફાઇબર,આયરનથી ભરપૂર છે. ફાઇબરથી ધીમું પાચન થાય છે. જેનાથી ક્રેવિંગ રોકાઇ જાય છે.


બાજરાની ખીચડી


 બાજરા ખીચડી  રાજસ્થાનની મશહૂર ખીચડી છે. બાજરામાં પ્રોટીન,  ફાઇબર, મેગ્નેશિયમ, આયરન,  કેલ્શિયમ,  જેવા વિભિન્ન પોષક તત્વોથી ભરપૂર છે. વજન ઘટાડવા માટે આ એક આદર્શ ભોજન છે. જેને પર્લ ખીચડી પણ કહે છે.


અજમાના ફાયદા


જમાનો ઉપયોગ અનેક રીતે આપણા રસોડામાં થાય છે. જો કે તે સ્વાસ્થ્ય માટે પણ હિતકારી છે. ચાલો જાણીએ કેવી રીતે સેવન કરવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે.


અજમાનો રસોડામાં ઉપયોગ આપણા વ્યંજનનામાં મસાલા તરીકે થાય છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ હિતકારી છે. જેના ઉપયોગથી શરદી, ઉધરસ સહિતની કેટલીક બીમારીથી છૂટકારો મળે છે.   તો આપ જાણીએ કેવી રીતે તેનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે.  અજમાની પ્રકૃતિ ગરમ છે, જેથી શિયાળીની  સિઝનમાં તેના ઉપયોગની સલાહ અપાઇ છે.


સામાન્ય રીતે આપણે વઘારમાં આખું જીરૂ, રાય અને મેથીનો ઉપયોગ કરીએ છીએ પરંતુ શિયાળામાં જો અજમા વધારમાં નાખમામાં આવે તો તેના માટે સ્વસ્થ્યને અનેક ફાયદો થાય છે. અજમાનો તડકો ફ્લેવર ફુલ હોવાની સાથે તે સ્વાસ્થ્યપ્રદ પણ છે. દાળ બીન્સમાં તેનો ઉપયોગ કરી શકાય છે.