Sugar Free Diet: આજકાલ લોકો સ્વસ્થ રહેવા માટે ખાંડને બદલે સુગ ફ્રી ગોળીઓ અથવા સુગર ફ્રી પ્રોડક્ટસનો  ઉપયોગ કરે છે. ખાસ કરીને જેઓ ડાયાબિટીસ અથવા વજન વધવાથી પીડાય છે તેઓ ઘણીવાર આ આર્ટિફિશ્યલ સુગર પર વિશ્વાસ કરે છે. નિષ્ણાતોના મતે, નેચરલ  સુગર હંમેશા સારી હોય છે. આજકાલ સુગર ફ્રી ડાયટનો ખૂબ  પ્રચાર થઈ રહ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે, આ વસ્તુઓ ધીમે ધીમે તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડી શકે છે?

જો તમે સુગર ફ્રી  વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા છો, તો થોડી કાળજી રાખો. તેનો વધુ પડતો અને માહિતી વિના ઉપયોગ કરો છો તો  સ્વાસ્થ્યને ફાયદો થવાને બદલે નુકસાન થઈ શકે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે, શું તમે સુગર ફ્રી પ્રોડક્ટના સેવન કરીને  સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યાં  છો.

સુગર ફ્રીની હાનિકારક અસરો

પાચનતંત્ર પર અસર - સંશોધનમાં જાણવા મળ્યું છે કે, સુગર ફ્રી વસ્તુઓ આપણા પાચન પર ખરાબ અસર કરે છે. આનાથી ભૂખ ઓછી લાગે છે અને શરીરને જરૂરી પોષણ મળતું નથી.

નબળાઈ અને ઉર્જાનો અભાવ -  સુગર ફ્રી વસ્તુઓથી ભૂખ ઓછી લાગે છે, જ્યારે ભૂખ ન લાગે અને શરીરને યોગ્ય કેલરી ન મળે, ત્યારે થાક અને નબળાઈ અનુભવી શકાય છે.

બ્લડ પ્રેશર અને હૃદય રોગ - જો તમને ડાયાબિટીસની સાથે હાઈ બ્લડ પ્રેશર હોય, તો શુગર ફ્રીનો ઉપયોગ ખતરનાક બની શકે છે. આ બ્લડ પ્રેશર વધારી શકે છે અને હૃદય રોગનું જોખમ પણ રહે છે.

કેન્સરનું જોખમ – ઘણા સુગર ફ્રી ઉત્પાદનોમાં સેકરિન નામનું રસાયણ હોય છે, જે શરીરમાં કેન્સર જેવા ગંભીર રોગોનું કારણ બની શકે છે.

આંખો પર ખરાબ અસર - મોટાભાગના લોકો જે લાંબા સમય સુધી સુગર ફ્રી વસ્તુઓ ખાય છે, તેમની દૃષ્ટિ નબળી પડી શકે છે.

શું સુગર-ફ્રી  ફાયદાકારક હોઈ શકે છે?

આજકાલ સુગર ફ્રીનો  ટ્રેન્ડ વધ્યો  છે. લોકો માને છે કે આનાથી વજન ઘટશે, બ્લડ સુગર નિયંત્રણમાં રહેશે અને હૃદય સ્વસ્થ રહેશે. આ આહારમાં, મીઠાઈઓ, સોફ્ટ ડ્રિંક્સ, બિસ્કિટ જેવી બધી ખાંડવાળી વસ્તુઓ દૂર કરવામાં આવે છે અને મીઠાશ જાળવી રાખવા માટે કૃત્રિમ અથવા કુદરતી સ્વીટનર્સ જેવા ખાંડના વિકલ્પોનો ઉપયોગ કરવામાં આવે છે.