કેન્સર... એક એવો શબ્દ કે જેને સાંભળતા જ માઇન્ડમાં મૃત્યુનો જ વિચાર આવે છે. દરેક ક્ષણે સમય પસાર કરવી મુશ્કેલ થઇ જાય છે. સતત મોતના ભણકારા વાગે છે.  આવી સ્થિતિમાં, જો મુદ્દો સ્તન કેન્સરનો હોય, તો સુંદરતા ગુમાવવાથી અનેક ચિંતા ઘેરી વળે છે. ચાલો આ ખાસ લેખમાં તમને જણાવીએ કે બ્રેસ્ટ કેન્સર કેમ થાય છે? કેન્સર સ્તનમાં કેવી રીતે પ્રવેશે છે અને પીરિયડ્સ પછી આ રોગ કેવી રીતે શોધી શકાય? ઉપરાંત, શું તમે જાણો છો કે આ ભયંકર રોગને કેવી રીતે ઓળખવો, જેથી તે જીવનના માર્ગમાં અવરોધ ન બને?


તમે તમારા પરિવારમાં અથવા તમારા પડોશમાં સ્તન કેન્સરના કેસ વિશે અવારનવાર સાંભળ્યું હશે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ રોગ શા માટે થાય છે? કેન્સર સ્તનમાં કેવી રીતે પ્રવેશ કરે છે? હકીકતમાં, જ્યારે સ્તનના પેશીઓમાં કોષોનો વિકાસ અસામાન્ય રીતે વધવા લાગે છે, ત્યારે કેન્સર સ્તનમાં પ્રવેશ કરે છે. નોંધનીય છે કે કોઈ પણ સ્ત્રીને અચાનક સ્તન કેન્સર થતું નથી, બલ્કે દરેક સ્ત્રીને જન્મથી જ બ્રેસ્ટ ટીશ્યુઝ  હોય છે. આવી સ્થિતિમાં, કોઈપણ મહિલાને સ્તન કેન્સર થઈ શકે છે, જેનાથી બચવા માટે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે.


દેશ દુનિયામાં કેન્સરની શું સ્થિતિ છે?


તમને જાણીને આશ્ચર્ય થશે કે ત્વચાના કેન્સર પછી, સ્તન કેન્સર એ સૌથી સામાન્ય કેન્સર છે, જેના સમગ્ર વિશ્વમાં સૌથી વધુ કેસ નોંધાય છે. જોકે, રાહતની વાત એ છે કે, સ્તન કેન્સરથી બચવાના કેસ સતત વધી રહ્યા છે અને મૃત્યુદરમાં ઘટાડો થઈ રહ્યો છે. માત્ર ભારતની વાત કરીએ તો, લેન્સેટના રિપોર્ટ અનુસાર, વર્ષ 2019 દરમિયાન ભારતમાં લગભગ 12 લાખ મહિલાઓ સ્તન કેન્સરથી પ્રભાવિત થઈ હતી. તે જ સમયે 9.3 લાખ લોકોએ જીવ ગુમાવ્યા. જો આપણે માત્ર એશિયાની વાત કરીએ તો ચીન પછી ભારત એવો બીજો દેશ છે જ્યાં સ્તન કેન્સરથી પીડિત મહિલાઓની સંખ્યા અને તેમના મૃત્યુ સૌથી વધુ છે. વર્ષ 2019 દરમિયાન ચીનમાં સ્તન કેન્સરના 48 લાખ નવા કેસ જોવા મળ્યા હતા. તો 27 લાખ મહિલાઓના મોત થયા છે. જાપાન ત્રીજા સ્થાને છે, જ્યાં લગભગ નવ લાખ નવા કેસ નોંધાયા છે અને 4.4 લાખ મૃત્યુ પામ્યા છે.


કેવી રીતે બ્રેસ્ટ કેન્સરના લક્ષણો ઓળખવા


દેશમાં સ્તન કેન્સરના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, એબીપી લાઈવ હિન્દીએ કોલકાતાના પ્રખ્યાત ઓન્કોલોજિસ્ટ ડૉ. પ્રશાંત પાડે સાથે આ રોગના કારણો, લક્ષણો વગેરે વિશે ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે આપણે આ રોગને લઈને આપણી વિચારસરણી બદલવાની જરૂર છે. મોટાભાગના લોકો વિચારે છે કે સર્વાઇકલ અથવા સ્તન કેન્સર ફક્ત 60 વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓમાં જ થાય છે, તો આપણે ડરવાની શી જરૂર છે. એવું નથી. આ કોઈપણ વયની સ્ત્રીઓને થઈ શકે છે. 16 વર્ષની  દીકરીથી માંડીને 65-70 વર્ષની વૃદ્ધ મહિલાને પણ સ્તન કેન્સર થઈ શકે છે. ખાસ કરીને ભારતમાં 5-10 ટકા મહિલાઓ સ્તન કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડિત છે.


કેન્સર... એક એવો શબ્દ કે જેને સાંભળતા જ માઇન્ડમાં મૃત્યુનો જ વિચાર આવે છે. દરેક ક્ષણે સમય પસાર કરવી મુશ્કેલ થઇ જાય છે. સતત મોતના ભણકારા વાગે છે.  આવી સ્થિતિમાં, જો મુદ્દો સ્તન કેન્સરનો હોય, તો સુંદરતા ગુમાવવાથી અનેક ચિંતા ઘેરી વળે છે. ચાલો આ ખાસ લેખમાં તમને જણાવીએ કે બ્રેસ્ટ કેન્સર કેમ થાય છે? કેન્સર સ્તનમાં કેવી રીતે પ્રવેશે છે અને પીરિયડ્સ પછી આ રોગ કેવી રીતે શોધી શકાય? ઉપરાંત, શું તમે જાણો છો કે આ ભયંકર રોગને કેવી રીતે ઓળખવો, જેથી તે જીવનના માર્ગમાં અવરોધ ન બને?


તમે તમારા પરિવારમાં અથવા તમારા પડોશમાં સ્તન કેન્સરના કેસ વિશે અવારનવાર સાંભળ્યું હશે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ રોગ શા માટે થાય છે? કેન્સર સ્તનમાં કેવી રીતે પ્રવેશ કરે છે? હકીકતમાં, જ્યારે સ્તનના પેશીઓમાં કોષોનો વિકાસ અસામાન્ય રીતે વધવા લાગે છે, ત્યારે કેન્સર સ્તનમાં પ્રવેશ કરે છે. નોંધનીય છે કે કોઈ પણ સ્ત્રીને અચાનક સ્તન કેન્સર થતું નથી, બલ્કે દરેક સ્ત્રીને જન્મથી જ બ્રેસ્ટ ટીશ્યુઝ  હોય છે. આવી સ્થિતિમાં, કોઈપણ મહિલાને સ્તન કેન્સર થઈ શકે છે, જેનાથી બચવા માટે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે.


 


દેશ દુનિયામાં કેન્સરની શું સ્થિતિ છે?


તમને જાણીને આશ્ચર્ય થશે કે ત્વચાના કેન્સર પછી, સ્તન કેન્સર એ સૌથી સામાન્ય કેન્સર છે, જેના સમગ્ર વિશ્વમાં સૌથી વધુ કેસ નોંધાય છે. જોકે, રાહતની વાત એ છે કે, સ્તન કેન્સરથી બચવાના કેસ સતત વધી રહ્યા છે અને મૃત્યુદરમાં ઘટાડો થઈ રહ્યો છે. માત્ર ભારતની વાત કરીએ તો, લેન્સેટના રિપોર્ટ અનુસાર, વર્ષ 2019 દરમિયાન ભારતમાં લગભગ 12 લાખ મહિલાઓ સ્તન કેન્સરથી પ્રભાવિત થઈ હતી. તે જ સમયે 9.3 લાખ લોકોએ જીવ ગુમાવ્યા. જો આપણે માત્ર એશિયાની વાત કરીએ તો ચીન પછી ભારત એવો બીજો દેશ છે જ્યાં સ્તન કેન્સરથી પીડિત મહિલાઓની સંખ્યા અને તેમના મૃત્યુ સૌથી વધુ છે. વર્ષ 2019 દરમિયાન ચીનમાં સ્તન કેન્સરના 48 લાખ નવા કેસ જોવા મળ્યા હતા. તો 27 લાખ મહિલાઓના મોત થયા છે. જાપાન ત્રીજા સ્થાને છે, જ્યાં લગભગ નવ લાખ નવા કેસ નોંધાયા છે અને 4.4 લાખ મૃત્યુ પામ્યા છે.


કેવી રીતે બ્રેસ્ટ કેન્સરના લક્ષણો ઓળખવા


દેશમાં સ્તન કેન્સરના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, એબીપી લાઈવ હિન્દીએ કોલકાતાના પ્રખ્યાત ઓન્કોલોજિસ્ટ ડૉ. પ્રશાંત પાડે સાથે આ રોગના કારણો, લક્ષણો વગેરે વિશે ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે આપણે આ રોગને લઈને આપણી વિચારસરણી બદલવાની જરૂર છે. મોટાભાગના લોકો વિચારે છે કે સર્વાઇકલ અથવા સ્તન કેન્સર ફક્ત 60 વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓમાં જ થાય છે, તો આપણે ડરવાની શી જરૂર છે. એવું નથી. આ કોઈપણ વયની સ્ત્રીઓને થઈ શકે છે. 16 વર્ષની  દીકરીથી માંડીને 65-70 વર્ષની વૃદ્ધ મહિલાને પણ સ્તન કેન્સર થઈ શકે છે. ખાસ કરીને ભારતમાં 5-10 ટકા મહિલાઓ સ્તન કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડિત છે.


પિરિયડ્સ બાદ કેવી રીતે તપાસ કરી શકાય


તમને જણાવી દઈએ કે પીરિયડ્સ પછી મહિલાઓ સ્વયં તપાસ કરીને પણ બ્રેસ્ટ કેન્સર શોધી શકે છે. વાસ્તવમાં, પીરિયડ્સ દરમિયાન શરીરમાં ઘણા હોર્મોનલ ફેરફારો થાય છે. આ જ કારણ છે કે લોકોને વારંવાર પીરિયડ્સ પછી સ્વ-તપાસ કરવાનું કહેવામાં આવે છે. તમારા સ્તનો જાતે તપાસો. જો તમને ક્યાંય પણ કઠણ, પોઈન્ટેડ ગઠ્ઠો લાગે, તો તમારે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.


તમને જણાવી દઈએ કે પીરિયડ્સ પછી મહિલાઓ સ્વયં તપાસ કરીને પણ બ્રેસ્ટ કેન્સર શોધી શકે છે. વાસ્તવમાં, પીરિયડ્સ દરમિયાન શરીરમાં ઘણા હોર્મોનલ ફેરફારો થાય છે. આ જ કારણ છે કે લોકોને વારંવાર પીરિયડ્સ પછી સ્વ-તપાસ કરવાનું કહેવામાં આવે છે. તમારા સ્તનો જાતે તપાસો. જો તમને ક્યાંય પણ કઠણ, પોઈન્ટેડ ગઠ્ઠો લાગે, તો તમારે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.


આ મહિલાઓને કેન્સરનું વધુ રહે  છે જોખમ


જે મહિલાઓનું વજન ઝડપથી વધે છે અથવા જેનું વજન વધારે છે તેમને સ્તન કેન્સરનું જોખમ રહેલું છે. વાસ્તવમાં, સ્થૂળતા પણ સ્તન કેન્સરનું એક મુખ્ય કારણ છે. જે મહિલાઓ વધુ પડતી દારૂ અને સિગારેટનું સેવન કરે છે તેમને પણ સ્તન કેન્સરનું જોખમ રહેલું છે. તમને જણાવી દઈએ કે મહિલાઓના શરીર પર આલ્કોહોલની અસર પુરૂષો કરતા ઘણી વધારે ખતરનાક હોય છે. જો કોઈ મહિલાના પરિવારમાં કોઈ દાદી કે માતાને સ્તન કેન્સર થયું હોય તો આ રોગ આગામી પેઢીમાં આવી શકે છે. આવી મહિલાઓએ પોતાના આહાર અને જીવનશૈલીનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. , જે મહિલાઓને વારંવાર પીરિયડ્સ સંબંધિત સમસ્યાઓ હોય છે તેમને પણ સ્તન કેન્સરનું જોખમ રહેલું છે. ખરેખર, આ રોગ હોર્મોનલ અસંતુલન અથવા અનિયમિત પીરિયડ્સને કારણે થઈ શકે છે. આવી મહિલાઓએ પોતાના આહારનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.