Weight Loss Tips:વજન ઘટાડવા માટે ઓછો આહાર લેવા એ ક્યારેય  સારો વિકલ્પ નથી રહ્યો. આ રીતે વજન ઓછું કરવું સ્વાસ્થ્ય માટે ખતરનાક અને હાનિકારક સાબિત થઈ શકે છે. એવું પણ જરૂરી નથી કે, દરેક વ્યક્તિ માત્ર ઓછું ખાવાથી જ વજન ઘટાડી શકે છે.


મોટાભાગના લોકો માને છે કે, ભૂખ્યા રહેવાથી તેમનું વજન ઓછું થાય છે.તેથી, વજન ઘટાડવા માટે, તેઓ ખૂબ જ ઓછો ખોરાક લે છે અને દિવસમાં માત્ર એક જ વાર જમે છે.  તેનાથી વજન પણ ઘટે છે, તેથી ડાયટિંગમાં પણ આ આદતનું ચલણ વધી રહ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે તેનાથી ઘણા ગંભીર નુકસાન પણ થઈ શકે છે. ભોજન છોડવાથી અથવા ભૂખ્યા રહેવાથી વજન ઘટે છે પરંતુ ઘણી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. ચાલો જાણીએ શું કહે છે નિષ્ણાતો...


શું વજન ઓછું કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે?


હેલ્થ એક્સપર્ટના મતે વજન ઘટાડવા માટે ઓછું ખાવું  ક્યારેય સારો વિકલ્પ નથી રહ્યો. આ રીતે વજન ઓછું કરવું સ્વાસ્થ્ય માટે ખતરનાક અને હાનિકારક સાબિત થઈ શકે છે. એવું પણ જરૂરી નથી કે દરેક વ્યક્તિ  માત્ર ઓછું ખાવાથી જ વજન ઘટાડે છે. આવું 10માંથી 8 કેસમાં થઈ શકે છે, પરંતુ આવી રીત હેલ્ધી નથી


નિષ્ણાતો શું કહે છે


નિષ્ણાતોના મતે, વજન ઘટાડવું એ તેના પર નિર્ભર કરે છે કે તમે દિવસ દરમિયાન કેટલી કેલરીનો વપરાશ કરો છો અને બર્ન કરો છો. જો કેલરીનું પ્રમાણ વધુ હોય અને યોગ્ય રીતે બળી ન જાય તો વજન વધે છે. ઓછું ખાવાથી વજન ઘટાડવાની પદ્ધતિ બિલકુલ યોગ્ય નથી. કારણ કે આ પદ્ધતિથી શરીરમાં પોષક તત્વોની ઉણપ થઈ શકે છે. ઓછું ખાવાથી શરીર નબળું પડી શકે છે અને ઘણી બીમારીઓનો ખતરો વધી જાય છે. આમ કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડી જાય છે. પરેજી પાળવાને કારણે ઘણા વિટામિન અને પ્રોટીનની ઉણપ થાય છે. આવી સ્થિતિમાં કુપોષણનો ભય પણ રહે છે. આવા અનેક મામલા સામે આવી ચૂક્યા છે. ક્યારેક વજન ઘટાડવાનો જુસ્સો પણ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તેથી, આવી પદ્ધતિઓ દ્વારા વજન ઘટાડવાનું વિચારવું જોઈએ નહીં.


વજન ઘટાડવાની સારી રીત કઈ છે


નિષ્ણાતોના મતે જો તમારે વજન ઓછું કરવું હોય તો તેના માટે શ્રેષ્ઠ ઉપાય છે કસરત. જો તમે વધુ પડતું ખાઓ તો પણ કસરત કરવાનું ચાલુ રાખો. તેનાથી ફેટ અને કેલરી બર્ન થતી રહેશે અને વજન વધશે નહીં. દરેક વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછી 15 મિનિટ કસરત કરવી જ  જોઈએ.