વજન ઘટાડવા માટે ડાયટિંગ, યોગ અને કસરત જરૂરી નથી. તમારે ડાયટમાં એવી વસ્તુઓ સામેલ કરવી જોઈએ, જેનાથી તમારું વજન ઘટી શકે.  તમારે કેટલાક મસાલાઓને તમારા આહારનો ભાગ બનાવવા જ જોઈએ. મસાલા ફક્ત તમારા ભોજનનો સ્વાદ જ નથી વધારતા પણ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. ઘણા લોકો ડાયેટિંગ દરમિયાન ખૂબ જ સ્વાદ વગરનો ખોરાક ખાય છે. એવું નથી કે મસાલાથી તમારું વજન વધે છે. જો તમે તમારા ભોજનમાં આ હેલ્ધી હર્બ્સ અને મસાલાઓનો ઉપયોગ કરશો તો ધીમે-ધીમે તમારું વજન ઘટવા લાગશે.


1- જીરું- મોટા ભાગના ઘરોમાં જીરું તમામ શાકભાજીને રાંધવા માટે નાખવામાં આવે છે. જીરું વજન ઘટાડવામાં પણ ઘણી મદદ કરે છે. જીરું ઇન્સ્યુલિનની સંવેદનશીલતાને બદલે છે. તેમાં ફાયટોસ્ટેરોલ્સ મળી આવે છે, જે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. વજન ઘટાડવા માટે તમે જીરાનું પાણી પણ પી શકો છો. આ સિવાય છાશ કે દહીંમાં જીરું પીસીને ખાવાથી પેટને ફાયદો થાય છે.
 
2- તજ- તમારું શરીર શુગરની પ્રક્રિયા કેવી રીતે કરે છે તેમાં તજ મહત્વની ભૂમિકા ભજવે છે. તજ ખાંડનું ચરબીમાં રૂપાંતર અટકાવે છે. આના કારણે પેટમાંથી આંતરડામાં ખોરાક ધીમી ગતિએ પહોંચે છે. તજ ખાવાથી પેટની ચરબી(Belly Fat) ઘણી ઓછી થાય છે.


3- કાળી મરી- કાળા મરી ચરબીના કોષોના નિર્માણની પ્રક્રિયાને રોકવામાં મદદ કરે છે. કાળા મરી ખાવાથી ચરબી સંબંધિત સમસ્યા નથી થતી. જ્યારે તમને શરદી હોય ત્યારે તમે કાળા મરીની ચા પી શકો છો, આ સિવાય કાળા મરી ઓમેલેટ, સલાડ અને સૂપમાં પણ સ્વાદ વધારવાનું કામ કરે છે.


4- એલચી- એલચી પાચનક્રિયામાં ખૂબ મદદરૂપ છે. એલચીમાં એન્ટીઈન્ફ્લેમેટરી અને એન્ટીઑકિસડન્ટ ગુણ હોય છે, જેનાથી મેટાબોલિક ક્રિયા  વધારે છે. તમે જમ્યા પછી એલચી ખાઈ શકો છો, તેનાથી ખોરાક પચવામાં સરળતા રહે છે. આ સિવાય તમે એલચીની ફ્લેવરવાળી ચા પણ પી શકો છો.


5- હળદર- જ્યાં સુધી શાકમાં હળદર ન હોય ત્યાં સુધી સ્વાદ નથી આવતો. હળદર આયુર્વેદિક ગુણોથી ભરપૂર છે. હળદર ખાવાથી શરીરની બળતરા દૂર થાય છે. હળદર અનેક પ્રકારના ટોક્સિન્સથી છુટકારો મેળવવાનું કામ કરે છે. હળદર મેટાબોલિઝમ નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. જે વજન ઘટાડવાનું સરળ બનાવે છે. શિયાળામાં હળદરવાળું દૂધ પીવાથી ઘણા ફાયદા થાય છે.