શોધખોળ કરો

Edible Oil Consumption: એક વર્ષમાં કેટલું તેલ ખાઈ જાય છે ભારતીયો, આંકડા જાણીને વિશ્વાસ નહીં આવે

PM મોદીએ જનતાને તેલનો વપરાશ ઘટાડવા અપીલ કરી છે. આંકડા અનુસાર ભારતમાં માથાદીઠ તેલનો વપરાશ 1994-95માં જોવા મળેલા સ્તરની તુલનામાં બમણાથી વધુ થયો છે. આ જાહેર આરોગ્ય માટે પણ એક મહત્વપૂર્ણ પડકાર છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પીએમ મોદીએ ખાદ્ય તેલ વપરાશ ઘટાડવાની અપીલ કરી.
  • ભારતમાં ખાદ્ય તેલનો વ્યક્તિદીઠ વપરાશ સતત વધી રહ્યો છે.
  • આયાત ખર્ચ ઘટાડવા તેલ વપરાશ પર અંકુશ જરૂરી.
  • વધતો વપરાશ સ્વાસ્થ્ય અને અર્થતંત્ર માટે ચિંતાનો વિષય.

 Edible Oil Consumption: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેલંગાણામાં એક જનસભાને સંબોધિત કરતા દેશવાસીઓને ખાદ્ય તેલનો વપરાશ ઘટાડવાની ખાસ અપીલ કરી છે. પીએમ મોદીએ માત્ર તેલ ઓછું ખાવા જ નહીં, પરંતુ એક વર્ષ સુધી સોનું ન ખરીદવા, ઇંધણ બચાવવા અને વિદેશ પ્રવાસો ટાળવા જેવી મહત્વની વાતો પણ કહી. ભારતમાં રસોઈ માટે મુખ્યત્વે રાયડા (સરસવ), સોયાબીન, મગફળી અને પામ ઓઈલનો ઉપયોગ થાય છે, જેમાંથી પામ ઓઈલનો મોટો હિસ્સો આયાત કરવામાં આવે છે. સ્વાદના ચક્કરમાં આપણી થાળીમાં તેલનું પ્રમાણ જે ઝડપે વધી રહ્યું છે, તે હવે માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ દેશના અર્થતંત્ર માટે પણ ગંભીર ચિંતાનો વિષય બની ગયું છે.

 

ભારતમાં ખાદ્ય તેલના વપરાશનો ગ્રાફ છેલ્લા કેટલાક દાયકાઓમાં ખૂબ જ ઝડપથી ઉપર ગયો છે. સરકારી આંકડા મુજબ, વર્ષ 2022-23માં ભારતમાં વ્યક્તિદીઠ ખાદ્ય તેલનો સરેરાશ વપરાશ 19.50 લિટર નોંધાયો હતો.

આ પણ વાંચો... દરરોજ 1 સફરજનનું સેવન કરવામાં આવે તો આપણા શરીરમાં શું થાય? જાણો અહીં

આ આંકડો ચોંકાવનારો એટલા માટે છે કારણ કે તે દર્શાવે છે કે એક સરેરાશ ભારતીય પોતાના સ્વાસ્થ્યની સરખામણીમાં સ્વાદને કેટલી વધુ પ્રાથમિકતા આપી રહ્યો છે. જો આપણે થોડા વર્ષો પહેલાના આંકડા પર નજર કરીએ, તો ખ્યાલ આવે છે કે આ વલણ સતત વધી રહ્યું છે, જે ભવિષ્ય માટે સારા સંકેત નથી.

આ ફેરફાર માત્ર આપણી બદલાતી જીવનશૈલીને જ નથી દર્શાવતો, પરંતુ બહારના જંક ફૂડ અને તળેલા ખોરાક પ્રત્યે વધતા આકર્ષણની પણ પોલ ખોલે છે. આપણી પરંપરાગત રસોઈ હવે ધીમે ધીમે વધુ તેલવાળા આધુનિક ખાનપાન તરફ શિફ્ટ થઈ ગઈ છે.

તાજેતરના વર્ષોના આંકડા દર્શાવે છે કે તેલના વપરાશમાં ઘટાડાને બદલે સ્થિરતા અથવા વધારો જ જોવા મળ્યો છે. વર્ષ 2014-15માં વ્યક્તિદીઠ તેલનો વપરાશ 18.3 લિટર હતો.

ત્યારબાદ વર્ષ 2020-21માં આ આંકડો વધીને 18.7 લિટર પ્રતિ વ્યક્તિ સુધી પહોંચી ગયો. 2020-21 થી 2022-23 વચ્ચે માત્ર બે વર્ષના ગાળામાં જ તેમાં આશરે 0.80 લિટરનો વધારો થયો, જે સાબિત કરે છે કે જાગૃતિના દાવાઓ છતાં તેલનો ઉપયોગ ઓછો થઈ રહ્યો નથી.

ભારતીય રસોડામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું પામ ઓઈલ ભારત પોતે ઉત્પાદિત કરતું નથી, પરંતુ તેને મોટી માત્રામાં બીજા દેશોમાંથી આયાત કરવું પડે છે. પામ ઓઈલ ઉપરાંત રાયડો અને સોયાબીન તેલનો પણ વ્યાપક ઉપયોગ થાય છે.

પ્રધાનમંત્રીની અપીલ પાછળનું એક મોટું કારણ આર્થિક પણ છે, કારણ કે આપણે જેટલું વધુ તેલ ખાઈશું, તેટલું જ વધુ વિદેશી હૂંડિયામણ આયાત પાછળ ખર્ચાશે. વિદેશી હૂંડિયામણ બચાવવા અને ચાલુ ખાતાની ખાધ ઘટાડવા માટે પણ તેલના વપરાશ પર અંકુશ લગાવવો દેશહિતમાં ખૂબ જ જરૂરી બની ગયો છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

Frequently Asked Questions

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શા માટે ખાદ્ય તેલનો વપરાશ ઘટાડવા અપીલ કરી છે?

પ્રધાનમંત્રી મોદીએ ખાદ્ય તેલનો વપરાશ ઘટાડવા અપીલ કરી છે કારણ કે તે દેશના સ્વાસ્થ્ય અને અર્થતંત્ર માટે ગંભીર ચિંતાનો વિષય બની ગયો છે. વધુ પડતો વપરાશ વિદેશી હૂંડિયામણ ખર્ચે છે.

ભારતમાં ખાદ્ય તેલના વપરાશનો આંકડો કેટલો છે?

વર્ષ 2022-23માં ભારતમાં વ્યક્તિદીઠ ખાદ્ય તેલનો સરેરાશ વપરાશ 19.50 લિટર નોંધાયો હતો. આ આંકડો છેલ્લા કેટલાક દાયકાઓમાં ખૂબ જ ઝડપથી વધ્યો છે.

ભારતમાં કયા પ્રકારના ખાદ્ય તેલનો મુખ્યત્વે ઉપયોગ થાય છે?

ભારતમાં રસોઈ માટે મુખ્યત્વે રાયડો (સરસવ), સોયાબીન, મગફળી અને પામ ઓઈલનો ઉપયોગ થાય છે. તેમાંથી મોટાભાગનું પામ ઓઈલ આયાત કરવામાં આવે છે.

ખાદ્ય તેલના વપરાશમાં વધારા પાછળ કયા કારણો જવાબદાર છે?

બદલાતી જીવનશૈલી, જંક ફૂડ અને તળેલા ખોરાક પ્રત્યે વધતું આકર્ષણ ખાદ્ય તેલના વપરાશમાં વધારા પાછળના મુખ્ય કારણો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
સાવધાન! લીંબુ પાણીમાં આ વસ્તુ નાખવાની ભૂલ ના કરતા, ફાયદાકારક પીણું બની જશે ઝેર સમાન
સાવધાન! લીંબુ પાણીમાં આ વસ્તુ નાખવાની ભૂલ ના કરતા, ફાયદાકારક પીણું બની જશે ઝેર સમાન
Health Benefits: ડાયાબિટિસના દર્દીઓ જો રોજ જાંબુનું સેવન કરે તો, શરીર પર શું થાય અસર?
Health Benefits: ડાયાબિટિસના દર્દીઓ જો રોજ જાંબુનું સેવન કરે તો, શરીર પર શું થાય અસર?
Mood Swings: મૂડ સ્વિંગ્સ, સ્વાભાવ ચીડિયો, ગુસ્સા વગેરેથી પરેશાન છો? તો વિટામિનની છે ઉણપ
Mood Swings: મૂડ સ્વિંગ્સ, સ્વાભાવ ચીડિયો, ગુસ્સા વગેરેથી પરેશાન છો? તો વિટામિનની છે ઉણપ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાપુત્રનું ગૌચર પર દબાણ ?
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનો દરબાર ?
Modasa News: મોડાસાની સાર્વજનિક હોસ્પિટલનો કર્મચારીની દારૂના મસમોટા જથ્થા સાથે પોલીસે કરી ધરપકડ
Textbooks Shortage in School : પાઠ્યપુસ્તકોની અછત મુદ્દે મંડળના ચેરમેનનું નિવેદન
School Van Fare Hike: વાલીઓને મોંઘવારીનો માર, સ્કૂલ વર્ધી એસો.એ સ્કૂલવાન ભાડામાં કર્યો વધારો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
Embed widget