Pancreatic Cancer: કેન્સર એ એક ગંભીર બીમારી છે. એ જેને થાય છે તે જ તેની ગંભીરતા જાણે છે. કારણ કે જેમ જેમ કેન્સરના સ્ટેજ વધે છે તેમ તેમ તમે મોતના મુખમાં ધકેલાતા જાઓ છો. જો કેન્સર પહેલા સ્ટેજમાં હોય તો તેની સારવાર શક્ય છે. પરંતુ તે પછી સ્ટેજ વધવા લાગે છે તેમ તેમ જીવનના શ્વાસ ટૂંકા થવા લાગે છે.  અલગ અલગ પરીક્ષણ દ્વારા કેન્સરની ઓળખ થાય છે. આ પરીક્ષણ પણ ખર્ચાળ અને પીડાદાયક હોય છે. સામાન્ય રીતે  ડોકટરો કેન્સરની પુષ્ટિ કરે છે કે નહીં. પરંતુ આજે અમે તમને કેટલાક અનોખા ટેસ્ટ વિશે જણાવીશું.


કીડા સૂંઘીને સ્વાદુપિંડના કેન્સરને કરશે તપાસ 


મીડિયા અહેવાલો અનુસાર આ અનોખુ પરીક્ષણ જાપાનમાં વિકસિત થયું છે. સ્વાદુપિંડનું કેન્સરની તપાસ માટે આ સ્ક્રીનીંગ પરીક્ષણ કર્યું છે. આ તપાસમાં ખૂબ જ નાના કીડાઓનો ઉપયોગ કરવામાં આવશે. કીડાઓ સૂંઘીને ગાંઠની ઓળખ કરશે. સંશોધનકર્તા દાવો કરે છે કે આ પરીક્ષણ 100 ટકા સાચું હશે. આ મહિનાથી આ પરીક્ષણથી સ્ક્રીનીંગ શરૂ કરવામાં આવશે.


કીડાઓ કઈ રીતે તપાસ કરશે કે કેન્સર છે કે નહી?  


જે વ્યક્તિના સ્વાદુપિંડના કેન્સરની તપાસ કરાવવાની હશે તેના પેશાબનો નમૂનો લઈને લેબમાં મોકલવામાં આવશે. લેબમાં કીડાઓથી ભરેલી પ્લેટ હશે આ ખાસ કિડાઓને નેમાટોડ્સ કહેવામાં આવે છે. તેમની લંબાઈ લગભગ એક મિલિમીટર હોય છે. કીડાઓથી ભરેલી પ્લેટમાં પેશાબ દાખલ કરવામાં આવશે. સંશોધનકારો દાવો કરે છે કે આ કીડાઓમાં સુગંધ પારખવાની શક્તિ ખૂબ વધારે હોય છે.તેની સહાયથી તેઓ તેમનો ખોરાક શોધી લે છે. વૈજ્ઞાનિકોએ આ કિડાઓને જેનેટિકલી મોડીફાઈ કર્યા છે. જેના લીધે આ કીડાઓ કેન્સરને ઓળખી લે છે.


સ્વાદુપિંડનું કેન્સર શું છે?


સ્વાદુપિંડનું કેન્સર એ પેટના નીચેના ભાગમાં થનારું કેન્સર છે. આ કેન્સર ખૂબ જોખમી માનવામાં આવે છે. આ કેન્સરથી લગભગ 95 ટકા લોકો પોતાનો જીવ ગુમાવે છે. વજન ઘટવું, પેટમાં દુખાવો જેવા લક્ષણો કેન્સરની શરૂઆતમાં જોવા મળે છે. વૃદ્ધત્વ સાથે, આ કેન્સર વધુ સંભવિત છે. ડોકટરો કહે છે કે લોકોએ નિયમિતપણે શરીરની તપાસ કરાવવી જોઈએ