Nimesulide ban India: કેન્દ્ર સરકારે દવા નાઈમેસુલાઈડ દવાને લઈ એક મોટું પગલું ભર્યું છે. આરોગ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે તાત્કાલિક અસરથી 100 mgથી વધુ માત્રાવાળી નાઈમેસુલાઈડની ઓરલ દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય ડ્રગ્સ અને કોસ્મેટિક્સ એક્ટ 1940 ની કલમ 26A હેઠળ લેવામાં આવ્યો હતો. સરકાર જણાવે છે કે આવા ઊંચા ડોઝ માનવ સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરી શકે છે અને બજારમાં સલામત વિકલ્પો ઉપલબ્ધ છે.

Continues below advertisement

પ્રતિબંધ શા માટે લગાવવામાં આવ્યો?

આરોગ્ય મંત્રાલયના નોટિફિકેશન અનુસાર, 100 mgથી વધુ ડોઝ ધરાવતી નાઈમેસુલાઈડ માનવો માટે જોખમ ઊભું કરી શકે છે. તે એક નોન-સ્ટીરોઇડલ એન્ટી-ઇન્ફ્લેમેટરી દવા (NSAID) છે જેની લીવર પર સંભવિત ઝેરી અસર અને અન્ય આડઅસરો માટે વિશ્વભરમાં તપાસ કરવામાં આવી રહી છે. ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ સાથે પરામર્શ કર્યા પછી સરકારે આ નિર્ણય લીધો છે. આદેશ અનુસાર, આ પ્રતિબંધ દેશભરમાં તાત્કાલિક અસરથી લાગુ થશે. ઓછી માત્રાવાળા ફોર્મ્યુલેશન અને અન્ય સુરક્ષિત વિકલ્પો બજારમાં ઉપલબ્ધ રહેશે.

Continues below advertisement

આરોગ્ય મંત્રાલયના એક નોટિફિકેશનમાં જણાવાયું છે કે "100 મિલિગ્રામથી વધુ નાઈમેસુલાઈડ ધરાવતી બધી ઓરલ  ફોર્મ્યુલેશન, જેમાં તાત્કાલિક-રિલીઝ થનારા  ડોઝના રુપમાં સમાવેશ થાય છે, તે માનવો માટે જોખમ ઊભું કરી શકે છે અને સલામત વિકલ્પો ઉપલબ્ધ છે." સરકારે સ્પષ્ટતા કરી હતી કે જાહેર આરોગ્ય માટે કોઈ જોખમ ન રહે તે સુનિશ્ચિત કરવા માટે આ પગલું જાહેર હિતમાં લેવામાં આવ્યું છે.

દુનિયાભરમાં તપાસ ચાલુ છે

નાઈમેસુલાઈડ  એક નોન-સ્ટીરોઇડ એન્ટી ઈંફ્લેમેટરી દવા છે, જેની લવિર પર સંભવિત ટોક્સિસિટી અને અન્ય પ્રતિકૂળ અસરો માટે વિશ્વભરમાં તપાસ કરવામાં આવી રહી છે, અને આ પગલું સલામતી ધોરણોને કડક બનાવવા અને ધીમે ધીમે ઉચ્ચ-જોખમી દવાઓને દૂર કરવાના પ્રયાસો સાથે સુસંગત છે.

ફાર્મા કંપનીઓ પર અસર 

નાઇમેસુલાઇડ બ્રાન્ડનું માર્કેટિંગ કરતી કંપનીઓને ઉત્પાદન બંધ કરવાની અને અસરગ્રસ્ત બેચને પાછા બોલાવવાની જરૂર પડશે. વિશ્લેષકોનો અંદાજ છે કે મોટી કંપનીઓ પર નાણાકીય અસર મર્યાદિત રહેશે, કારણ કે નાઇમેસુલાઇડ કુલ NSAID વેચાણનો એક નાનો હિસ્સો રજૂ કરે છે. જો કે, નાની કંપનીઓને આવકના દબાણનો સામનો કરવો પડી શકે છે. સરકારે અગાઉ કલમ 26A હેઠળ ઘણી ઉચ્ચ-જોખમી દવાઓ અને ફિક્સ્ડ-ડોઝ સંયોજનો પર પ્રતિબંધ મૂક્યો છે.