Health tips:જો તમે પણ કાચું  પનીર ખાઓ છો તો સાવધાન થઇ જાઓ  કારણ કે તે સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવતું નથી. તો ચાલો જાણીએ,પનીર ખાવાના શું છે  ફાયદા અને ગેરફાયદા


જો આપ પણ કાચું પનીર ખાઓ છો તો ધ્યાન રાખો. કારણ કે તમને જાણીને નવાઈ લાગશે કે કાચું પનીર ખાવાથી ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે! જો કે પનીર ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. શાકાહારી હોય કે માંસાહારી, દરેકને પનીર અને પનીરથી બનેલી વાનગીઓ પસંદ હોય છે.


પનીરના ગુણો


પનીર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પનીરમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, સેલેનિયમ, ફાઈબર અને એન્ટી-ઓક્સીડેન્ટના ગુણ હોય છે, જે તમને શરીરની અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં ફાયદો પહોંચાડે છે. શાકાહારીઓ માટે પનીરને પ્રોટીનનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે કાચું પનીર ખાવું ઘણી વખત નુકસાનકારક સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ પનીરના ફાયદા અને ગેરફાયદા.


આ છે પનીર ખાવાના ફાયદા


પનીરમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, જે તમારા દાંત અને હાડકાંને મજબૂત બનાવે છે. મોટાભાગના લોકો કેલ્શિયમની ઉણપને દૂર કરવા અને હાડકાંને મજબૂત કરવા માટે લોકો પનીરનું સેવન કરી શકે છે.


આ સિવાય પનીરને તણાવ ઓછો કરવા માટે સારું માનવામાં આવે છે. પનીરનું સેવન કરીને તણાવ અને થાકની સમસ્યાથી પણ છુટકારો મેળવી શકાય છે.


પનીરને પ્રોટીનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે, પ્રોટીન શરીરને સ્વસ્થ રાખવા માટે જરૂરી તત્વોમાંનું એક માનવામાં આવે છે. પ્રોટીનની ઉણપને દૂર કરવા માટે તમે તમારા ડાયટમાં પનીરનો સમાવેશ કરી શકો છો.


પનીરના સેવનના નુકસાન


જો કે પનીર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ જો તમે હાઈ બ્લડ પ્રેશરના દર્દી છો તો તેનું વધુ સેવન ન કરો કારણ કે વધુ પડતું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વધી શકે છે.


આ સિવાય કબજિયાત, એસિડિટીના દર્દીઓએ વધુ પનીરનું  ન કરવું જોઈએ. ખાસ કરીને રાત્રે પનીરનું સેવન બિલકુલ ન કરો. વધુ પડતું પનીર ખાવાથી પાચનક્રિયા ખરાબ થઈ શકે છે.


પનીરનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક સાબિત થઈ શકે છે. શરીરમાં પ્રોટીનની વધુ માત્રાથી ડાયરિયા  થઈ શકે છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.