Health and Wellness : લાંબો સમય એસીમાં રહેવાથી એલર્જી, ઈન્ફેક્શન અને  ડ્રાઇ આઇ જેવી કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. ACનો વધુ પડતો ઉપયોગ તમારા શરીર માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.


એસી આજના સમયની જરૂરિયાતની વસ્તુ બની ગઇ છે.  ઘર હોય, ઓફિસ હોય કે કાર, લોકો માટે એસી વગર એક પળ પણ પસાર કરવી મુશ્કેલ બની રહી છે. સ્વાભાવિક છે કે જ્યારે કોઈ સખત  તડકામાંથી અંદર આવે છે ત્યારે એસી રૂમમાં 5 મિનિટ બેસી રહેવાથી પણ રાહત મળે છે. અમને હવે એસીનો નિયમિત ઉપયોગ કરવાની આદત પડી ગઈ છે. પરંતુ આ AC નો વધુ પડતો ઉપયોગ આપણા શરીર માટે ઘાતક પણ સાબિત થઈ શકે છે. એસીના વધુ પડતા ઉપયોગને કારણે ઈન્ફેક્શન, એલર્જી જેવી સમસ્યાઓ થવા લાગે છે. તો આજે આ સમાચારમાં અમે તમને ACની 5 સાઇડ ઇફેક્ટ વિશે જણાવવા જઇ રહ્યા છીએ જે ACના વધુ ઉપયોગથી તમને થઇ શકે છે.


ACથી થતી  આડઅસરો


 સૂકી આંખો


જો તમારી આંખો પહેલેથી જ શુષ્ક છે, તો લાંબા સમય સુધી એસીમાં રહેવાથી આંખો પર ખરાબ અસર પડી શકે છે. જો તમારી આંખો શુષ્ક છે, તો પછી તમે તેમાં વધુ ખંજવાળ અને બર્નિંગ અનુભવશો. ડ્રાય આઈ સિન્ડ્રોમ ધરાવતા લોકોએ લાંબો સમય ACમાં ન રહેવું જોઈએ.


 શુષ્ક ત્વચા


જે લોકો લાંબા સમય સુધી ACમાં બેસે છે તેઓમાં શુષ્ક ત્વચા એક સામાન્ય સમસ્યા છે. જ્યારે તમારી ત્વચા ખૂબ શુષ્ક થઈ જાય છે ત્યારે ખંજવાળ શરૂ થાય છે.તાપમાંથી તરત જ એસીમાં જવાથી  ત્વચાને શુષ્ક ખંજવાળ પણ આવી શકે છે.


 ડિહાઇડ્રેશન


અન્ય રૂમની સરખામણીમાં એસી રૂમમાં ડિહાઇડ્રેશન વધુ હોય છે. હાઇ કૂલિંગ પર  AC ચલાવવાથી, AC રૂમમાંથી ઘણો ભેજ શોષાઇ જાય છે, જેના કારણે તમે ડિહાઇડ્રેટેડ અનુભવી શકો છો.


 શ્વસનના રોગો


લાંબો સમય એસીમાં રહેવાથી નાક, ગળા અને આંખોની સાથે શ્વાસની  તકલીફ થઈ શકે છે. આપ ડ્રાઇ થ્રોટ,રાઇનાઇટિસ, અને બંધ નાકની સમસ્યા થઇ શકે છે. રાઇટિ    નાઇટિસ એક એવી સમસ્યા છે, જે નાકના મૂકૂસ   મેંમબરેનના સોજોનું કારણ બને છે.  જે એક  વાયરલ ઇન્ફેકશન  અથવા એલર્જીક રિએકશનના કારણે થાય છે


 માથાનો દુખાવો


AC ને કારણે ડીહાઈડ્રેશન થવાથી માથાનો દુખાવો અને માઈગ્રેન થઈ શકે છે. ડિહાઇડ્રેશન એ એક ટ્રિગર છે જે ઘણીવાર માઇગ્રેનના કિસ્સામાં અવગણવામાં આવે છે. જ્યારે તમે એસી રૂમની અંદર અને બહાર નીકળો છો અથવા લાંબા સમય સુધી એસીમાં રહ્યા પછી અચાનક ગરમીમાં બહાર જાઓ છો, ત્યારે તમને માથાનો દુખાવો થવાની સમસ્યા પણ થઇ શકે છે.  


 Disclaimer: અહીં આપેલી સૂચના, માહિતી, માન્યતા કેટલીક જાણકારીને આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા, જાણકારી કે માહિતીની પુષ્ટી કરતું નથી. આ તમામ માન્યતાનું અમલીકરણ કરતાં પહેલા જે તે વિષયના નિષ્ણાતની સલાહ જરૂર લેવી.