Best Food For women:સોયાબીન એ સૌથી પૌષ્ટિક કઠોળમાંથી એક છે.  પ્રોટીન, ખનિજો અને વિટામિન્સનો સંપૂર્ણ સ્ત્રોત છે સોયાબીન, સોયા એ શાકાહારીઓ માટે  શ્રેષ્ઠ વિકલ્પ છે. તેના ઉચ્ચ પોષક તત્ત્વોને કારણે, સોયા ટૂંકા સમયમાં વિશ્વભરમાં ખૂબ પ્રખ્યાત થઈ ગયું. સોયા લોટ, સોયા પ્રોટીન, ટોફુ, સોયા મિલ્ક, સોયા સોસ અને સોયાબીન તેલ સહિતના વિવિધ સ્વરૂપોમાં તેનો ઉપયોગ કરી શકાય છે.સોયાબીન પુરૂષો કરતાં સ્ત્રીઓ માટે વધુ ફાયદાકારક છે.

એક અભ્યાસ દર્શાવે છે કે, સોયા, પ્રોટીન અને આઇસોફ્લેવોન્સથી ભરપૂર, સ્ત્રીઓમાં નબળા હાડકાં અથવા ઑસ્ટિયોપોરોસિસનું જોખમ ઘટાડે છે. આ સંશોધનમાં એવું કહેવામાં આવ્યું હતું કે, સોયાબીનમાંથી બનેલા ઉત્પાદનોમાં આઇસોફ્લેવોન્સ નામનું રસાયણ હોય છે, જે એસ્ટ્રોજન હોર્મોન જેવું જ હોય ​​છે, જેના કારણે મહિલાઓ ઓસ્ટિયોપોરોસિસથી બચી શકે છે.

સોયાબીન

 મહિલાઓએ પ્રોટીનયુક્ત ખોરાક લેવો જોઈએ. ડાયટમાં માં પ્રોટીન, આયર્ન અને વિટામીન B થી ભરપૂર ખોરાક લેવો જોઈએ. સોયામાંથી બનેલી પ્રોડક્ટ જેમ કે સોયા મિલ્ક, ટોફુ મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.

ટામેટાં

ટામેટા ખાવાથી ત્વચા સારી રહે છે અને વૃદ્ધત્વની અસર સ્કિન પર ઓછી દેખાય છે. . ટામેટાંમાં લાઈકોપીન નામનું પોષક તત્વ હોય છે, જે સ્તન કેન્સરનું જોખમ ઘટાડે છે. તેમાં ભરપૂર માત્રામાં  એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે હૃદયની બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે.

બેરીઝ

બેરી મહિલાઓના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. સ્ટ્રોબેરી, રાસબેરી, બ્લુબેરી અને ક્રેનબેરીમાં કેન્સર વિરોધી પોષક તત્વો હોય છે. બેરીઝ વિટામિન સી અને ફોલિક એસિડનો સારો સ્ત્રોત છે. ગર્ભાવસ્થામાં પણ બેરી ખાવાની સલાહ આપવામાં આવે છે. બેરીમાં એન્ટી એજિંગ તત્વ  તત્વો પણ   છે. આ સિવાય બેરી યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શનને ઘટાડવામાં પણ મદદ કરે છે.

મિલ્ક

સ્ત્રીઓમાં કેલ્શિયમ અને વિટામિન ડીની ઉણપ પુરુષો કરતાં ઘણી વધારે હોય છે. આવી સ્થિતિમાં મહિલાઓએ તેમના આહારમાં ઓછી ચરબીવાળા દૂધનો સમાવેશ કરવો જોઈએ. શરીરમાં વિટામિન ડી અને કેલ્શિયમની ઉણપ દૂધ દ્વારા પૂરી કરી શકાય છે. વિટામિન ડી સ્ત્રીઓમાં ઓસ્ટીયોપોરોસિસનું જોખમ ઘટાડે છે. ડાયાબિટીસ, મલ્ટીપલ સ્ક્લેરોસિસ અને સ્તન અને અંડાશયની ગાંઠોનું જોખમ પણ ઓછું થાય છે.

દહીં

મહિલાઓએ દહીંનો ખોરાકમાં ચોક્કસપણે સમાવેશ કરવો જોઈએ. ઘણા સંશોધનોમાં જાણવા મળ્યું છે કે, દહીં ખાવાથી સ્તન કેન્સરનું જોખમ ઓછું થાય છે. દહીં ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે. આ સિવાય દહીં ખાવાથી અલ્સર અને વજાઇનલ ઇન્ફેક્શનનો ખતરો પણ ઓછો થાય છે. હાડકાંને મજબૂત કરવા માટે દહીં કેલ્શિયમનો સારો સ્ત્રોત છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો