Health:હૃદયમાં બ્લોકેજનું કારણ હાઈ કોલેસ્ટ્રોલ માનવામાં આવે છે. આનાથી ધમનીઓમાં બ્લોકેજ થાય છે. ખરાબ કોલેસ્ટ્રોલ ધમનીઓની દિવાલો સાથે ચોંટી જાય છે. આનાથી હૃદયને લોહી અને ઓક્સિજનના પુરવઠામાં સમસ્યા ઊભી થાય છે. આને  (acquired heart blockage) હાર્ટ બ્લોકેજ કહેવામાં આવે છે.

તજનું સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય છે. તજ હૃદયને મજબૂત બનાવે છે. તેમાં ઓક્સિડાઇઝિંગ તત્વો હોય છે જે શ્વાસ લેવામાં તકલીફ દૂર કરે છે. તેથી, તજને તમારા આહારનો ભાગ બનાવો. તે હૃદયરોગના હુમલાનું જોખમ ઘટાડે છે.

હળદર બ્લોક થયેલી ધમનીઓ ખોલવામાં પણ અસરકારક છે. હળદરમાં કર્ક્યુમિન હોય છે. હળદરમાં એન્ટી-ઓક્સિડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો હોય છે જે લોહી ગંઠાઈ જવાથી અટકાવે છે. હળદરનું સેવન કરવાથી સોજો ઓછો થાય છે. આનાથી હૃદયમાં અવરોધ પણ ઓછો થઈ શકે છે. હળદરવાળું દૂધ પીવાથી પણ ઘણી બીમારીઓ મટે છે.

આજકાલ લોકોએ પોતાના આહારમાંથી લાલ મરચાને સંપૂર્ણપણે દૂર કરી દીધા છે. જ્યારે લાલ મરચામાં રહેલું તત્વ કેપ્સેસીન ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે. લાલ મરચા ખાવાથી કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી શકાય છે. આ ધમનીઓમાં અવરોધ ઘટાડે છે અને રક્ત પરિભ્રમણમાં પણ સુધારો કરે છે. લાલ મરચાના સેવનથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઓછું થાય છે.

એલચી, જેનો ઉપયોગ ખોરાકનો સ્વાદ અને  સુગંધ વધારવા માટે થાય છે. તે સ્વાસ્થ્ય માટે પણ   ખૂબ ફાયદાકારક છે. એલચી ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. એલચીનું સેવન લોહીમાં ફાઇબ્રિનોલિટીક એક્ટિવિચીને ઘટાડે છે.  જે લોહીને ગંઠાઈ જતુ રોકે  છે અને હાર્ટ બ્લોકેજને ઓછુ કરે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.