Health benefits: ચારોળી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી વજન ઘટાડવામાં ઘણો ફાયદો થાય છે. ઉપરાંત, તેનાથી ઘણી સમસ્યાઓ દૂર થઇ  શકે છે.


ચારોળીનો  ઉપયોગ મોટાભાગના લોકો ખીરમાં, દૂધપાકમાં  અથવા કોઈપણ વાનગીને સજાવવા માટે કરે છે. તમે જે રીતે કાજુ અને બદામનું સેવન કરો છો, તમે ભાગ્યે જ ચિરોળીનો કરો છો. તેમાં રહેલા ગુણોને કારણે તમે અન્ય ડ્રાય ફ્રુટ્સની જેમ તેનું સેવન પણ કરી શકો છો. તેનાથી શરીરને ઘણા ફાયદા થશે. ચારોળીમાં રહેલા ગુણો પાચન સંબંધી સમસ્યાઓ દૂર કરવા સાથે વજન ઘટાડવામાં અસરકારક સાબિત થઈ શકે છે. આ સિવાય તે તમને ઘણી બીમારીઓને દૂર કરવામાં મદદ કરી શકે છે. આવો જાણીએ ચારોળીના  ફાયદા.


શારીરિક નબળાઇને દૂર કરે છે


શરીરની નબળાઈ દૂર કરવા માટે ચારોળી ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં રહેલા પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન્સ શરીરને શક્તિ પ્રદાન કરે છે. તેનું સેવન કરવા માટે, રાત્રે સૂતા પહેલા, 1 ગ્લાસ દૂધમાં 1 ચમચી ચારોળી નાખીને  પીવો. આનાથી ઘણો ફાયદો થશે.


પાચન મજબૂત કરે છે


ચારોળી પાચન શક્તિ વધારવામાં અસરકારક સાબિત થઈ શકે છે. તે પાચન સુધારી શકે છે. તમે તેને ખીચડી, દાળિયા અને ઉપમા સાથે ખાઈ શકો છો. આ તદ્દન ફાયદાકારક હોઈ શકે છે.


માથાનો દુખાવો રાહત


માથાનો દુખાવો દૂર કરવા માટે તમે ચારોળીનું સેવન કરી શકો છો. માથાના દુખાવામાં તેનો ઉપયોગ કરવા માટે ચારોળીને  1 ચમચી દૂધ સાથે પીસી લો. હવે તેને તમારા માથા પર લગાવો અને થોડી વાર રહેવા દો. તેનાથી માથાના દુખાવાની સમસ્યા ઓછી થશે.


ઉધરસમાં રાહત


ઉધરસમાં રાહત મેળવવા માટે ચારોળીનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેનું સેવન કરવા માટે 1 ચમચી મધ પીસીને ચાટવું. તેનું નિયમિત સેવન કરવાથી ઉધરસમાં રાહત મળે છે. આ રીતે મીઠાઇને ગાર્નિશ કરતી આ નાનકડી ચીજ ગાર્નિશ કરવાની સાથે સ્વાસ્થ્યને પણ દુરસ્ત કરવામાં કારગર છે. પાચનતંત્રની સમસ્યા હોય કે માથાનો દુખાવો, કે લાંબા સમયથી ઉધરસની સમસ્યા હોય . દરેકમાં આ નાનકડી ચારોડી કારગર છે. 


Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા   પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો