Corona Ayurvedic Treatment: ચીન સહિત વિશ્વભરમાં કોરોના કેસોમાં ફરી વધારો થતાં ભારત સરકાર સહિત વિવિધ રાજ્યોની સરકાર એક્શનમાં આવી ગઈ છે. દેશમાં કોરોનાનો વધુ પગપેસારો ન થાય તે માટે વિવિધ રાજ્યો દ્વારા એલર્ટ પણ આપી દેવામાં આવ્યા છે. સરકાર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ માસ્ક પહેરે અને ભીડભાડ વાળી જગ્યા પર જવાનું ટાળે, સાથે જ જે લોકોએ હજુ સુધી બુસ્ટર ડોઝ નથી લીધો તે લોકો તાત્કાલિક બુસ્ટર ડોઝ લઈને કોરોના મહામારી સામે પોતાને સ્વસ્થ રાખે. જો કે કોરોનાથી ડરવાની જરૂર નથી ફક્ત એલર્ટ રહેવાની જરૂર છે. ત્યારે આજે અમે તમારા માટે કેટલાક ઘરેલુ ઉપાયો લઈને આવ્યા છીએ જે તમને સ્વસ્થ રાખવામાં મદદ કરશે 


કોરોનાથી બચાવ માટેના આ આયુર્વેદિક ઉપાય


રોજ સવારે નાકમાં નારિયેળ અથવા તલનું તેલ અથવા ઘી લગાવો


ઓઇલ પુલિંગ થેરેપી અપનાવો આ માટે એક ટેબલસ્પૂન તેલ લો. મોમાં ભરી લો, હવે ગાર્ગલ કરી લો, બહાર જતાં પહેલા અને આવતાં પહેલા આ પ્રયોગ જરૂર કરો


જો આપને ઉધરસ હોય તો તાજા ફુદીનાના પાન અજમા આદુ નાખીના સ્ટીમ લો.


સૂકી ઉધરસમાં રાહત મેળવવા માટે આપ લવિંગના ચૂર્ણને મધની સાથે મિક્સ કરીને લો


કોરોનાથી બચવા માટે અપનાવો આ ઉપાયો 


1- કોરોના અને શરદી ઉધરસથી બચવા માટે ગરમ પાણી પીવો.


2- રસોઈમાં આદુ અને લસણનો વધુ ઉપયોગ કરો.


3- દરરોજ થોડો સમય અને 30 મિનિટ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાન કરો.


4- હળદર, ધાણા, જીરું, કાળા મરી, તજ જેવા મસાલાનો ઉપયોગ અવશ્ય કરો.


5- સવાર-સાંજ દૂધ અથવા ગરમ પાણી સાથે ચ્યવનપ્રાશનું સેવન અવશ્ય કરો.


6- શિયાળામાં દિવસ દરમિયાન તુલસી અને તજની બનેલી હર્બલ ટી અથવા ઉકાળો પીવો.


7- તજ, કાળા મરી, સૂંઠ (સૂકી આદુ) અને સૂકી દ્રાક્ષ (કિસમિસ) - દિવસમાં એક કે બે વાર જરૂર ખાવા જોઈએ.


8- ભોજનમાં ગોળ, દેશી ઘી અને લીંબુનો ઉપયોગ અવશ્ય કરો.


9- ગોલ્ડન મિલ્ક એટલે કે  હળદર વાળું   દૂધ દિવસમાં 1-2 વખત પીવો.


Disclaimer: એબીપી ન્યૂઝ આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓપદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.