Weight Loss Tips: વજન ઘટાડવા માટે ફળો અને શાકભાજી ખૂબ ખાવા જોઈએ, પરંતુ ઘણા એવા ફળો છે જે ખૂબ જ મીઠા અને કેલરીની માત્રા  વધુ છે. જેથી  આહારમાં આ ફળોનો સમાવેશ ન કરવો જોઈએ, તેનાથી વજન વધી શકે છે.


લોકોને ઘટાડવા માટે, વ્યક્તિએ આખી જીંદગી મહેનત કરવી પડે છે. વજન ઘટાડવા માટે તમારે ડાયેટિંગ અને કસરત બંનેની જરૂર છે. ઘણી વખત લોકો ખૂબ ઉત્સાહથી વર્કઆઉટ અને ડાયટિંગ કરવાનું શરૂ કરે છે, પરંતુ અઠવાડિયામાં 10 દિવસ પછી તેઓ તેમની જૂની દિનચર્યામાં પાછા ફરે છે. વજન ઘટાડવા માટે તંદુરસ્ત જીવનશૈલી જરૂરી છે, જેમાં તમારો આહાર અને કસરત બંનેનો સમાવેશ થાય છે. તમારે કેટલાક એવા ફળોનું સેવન કરવું જોઈએ, જે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. એવા ઘણા ફળો છે જે ખૂબ જ મીઠા હોય છે અને તેમાં ઉચ્ચ કેલરી હોય છે. તમારે આ ફળોનું સેવન બિલકુલ ન કરવું જોઈએ.


અંગૂર


અંગૂર ખાંડ અને કેલેરીથી ભરપૂર હોય છે. તેથી, વજન ઘટાડતી વખતે, તમારે ઓછી માત્રામાં દ્રાક્ષ ખાવી જોઈએ. જો આપ 100 ગ્રામ દ્રાક્ષ ખાઓ છો, તો તેમાં 67 કેલરી અને 16 ગ્રામ શુગર હોય છે. આ ખાવાથી આપનો વજન ઘટાડવાનો પ્લાન ડિસ્ટર્બ થઇ શકે છે.


કેળાં


 કેળા એક સુપર હેલ્ધી ફળ છે, પરંતુ જો આપ કેળાને વધુ માત્રામાં ખાશો તો વજન ઓછું કરવું મુશ્કેલ થઈ જશે. કેળામાં ભરપૂર માત્રામાં કેલરી હોય છે. એક કેળામાં લગભગ 150 કેલરી હોય છે. આવી સ્થિતિમાં, જો તમે દિવસમાં 2-3 કેળા ખાઓ છો, તો વજન વધવાની સંભાવના છે.


 કેરી


 કેરી દરેકને પસંદ હોય છે, પરંતુ જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો તો તમારે કેરી ન ખાવી જોઈએ. જો આપ મે ખાતા હોવ તો પણ માત્ર 1-2 સ્લાઈસથી વધુ ન ખાઓ. કેરીમાં ઘણી બધી કેલરી હોય છે જે તમારી વજન ઘટાડવાના પ્લાનને અવરોધે છે.


પાઈનેપલ


પાઈનેપલ એક હેલ્ધી ફળ છે પરંતુ તમારે વજન ઘટાડતી વખતે તેનું સેવન ન કરવું જોઈએ. પાઈનેપલમાં શુગર અને કેલેરી વધુ હોવાથી વજન વધારે છે. 


Disclaimer: એબીપી અસ્મિતા ન્યૂઝ આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ અવશ્ય લો.