Navratri 2024: શારદિય નવરાત્રિના પર્વને બસ હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. આ વર્ષે નવરાત્રિ 3 ઓક્ટોબરથી શરૂ થઇ રહી છે.માતાને સમર્પિત આ પર્વમાં શક્તિની આરાધના કરવામાં આવે છે. શક્તિ સ્વરૂપા જગદંબાની સાધના આરાધના અને ઉપાસનનાના આ પર્વમાં અનુષ્ઠાનની સાથે નવ દિવસ ઉપવાસ કરવાનું પણ વિધાન છે. જો કે નવ દિવસના ઉપવાસ દરમિયાન કેટલીક ગલતી સ્વાસ્થ્ય પર વિપરિત અસર કરે છે. આ સમય દરમિયાન કેટલાક લોકો ઉપવાસ તો કરે છે પરંતુ ફરાળમાં બહારને પેકેટ ફૂડ અને ઓઇલી ફૂડનો સમાવેશ કરે છે. જેના કારણે નવ દિવસનું આ ડાયટ સ્વાસ્થ્ય પર વિપરિત અસર કરે છે. 


 Side Effects Of Package Food:નવરાત્રીના પવિત્ર દિવસોની દરેક વ્યક્તિ આતુરતાથી રાહ જોતા હોય છે, પરંતુ ઉપવાસ દરમિયાન પેક્ડ ફૂડ ખાવા જેવી નાની ભૂલ સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરી શકે છે. નવરાત્રીના પાવન અને શુભ દિવસો 3 ઓક્ટોબરથી શરૂ થઇ રહ્યાં છે.  નવરાત્રીના પર્વનું ખૂબ જ મહત્વ છે. માતાની આરાધનાની સાથે ભક્તો આ નવ દિવસ ઉપવાસ પણ કરે છે. જો આપ ઉપવાસ કરતા હો અને પેકેડ ફૂડ લેવાનું વિચારતા હો તો આ આદત આપના માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે.


 અવોઇડ કરો પેકેડ ફૂડ


 આજકાલ બજારમાં ઉપવાસ દરમિયાન  ખાઇ શકાય તેવા પેકડ ફૂડની ભરમાર છે.  જેમાં બટાકાની ચિપ્સ, પાપડ, મખાના, નમકીન જેવી ઘણી વસ્તુઓ મળે છે. નવરાત્રિના ઉપવાસ દરમિયાન, ઘણા લોકો મહેનત ટાળવા માટે બજારમાંથી આ પેક્ડ ફૂડ ખાવાનું પસંદ કરે છે. આવું કરવું સૌથી મોટી ભૂલ હોઈ શકે છે. આ પ્રકારનું પેકેજ્ડ ફૂડ બનાવતી વખતે સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવતું નથી અને તેને ખાવાથી વજન પણ ઝડપથી વધે છે, તેથી ઉપવાસ દરમિયાન પેક્ડ ફૂડ ખાવાની ભૂલ ન કરવી જોઈએ.


ઉપવાસ દરમિયાન વધુ પડતું પ્રવાહી ન પીવું એ સૌથી મોટી ભૂલ છે. બહારથી પેક કરેલા જ્યુસમાં કેમિકલ હોય છે, જેનાથી બચવું જોઈએ. શરીરને હાઇડ્રેટ રાખવા માટે તમે ઘરે જ તાજા ફળોનો રસ પી શકો છો.


નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન ખાવાના ઘણા વિકલ્પો છે, પરંતુ આ દરમિયાન બિનઆરોગ્યપ્રદ આહાર લેવાની ભૂલ ન કરો. કેળાની ચિપ્સ, તળેલા બટેટા અને તેલમાંથી બનેલી વસ્તુઓનો સમાવેશ થાય છે.


આખો દિવસ ઉપવાસ કર્યા પછી રાત્રે વધુ પડતું ખાવાની ભૂલ ન કરો. તેનાથી પાચન બગડી શકે છે અને વજન ઘટવાને બદલે વધે છે.


  Disclaimer: એબીપી અસ્મિતા આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો


આ પણ વાંચો


Navratri 2024: નવરાત્રિ દરમિયાન મહાલક્ષ્મીના આશિષ માટે કપૂરનો આ સિદ્ધ પ્રયોગ કરો, આર્થિક સ્થિતિ થશે મજબૂત