Yoga Day: 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે 9મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવશે. દર વર્ષે આ દિવસે લોકો મોટી જગ્યાઓ પર ભેગા થાય છે અને સાથે યોગ કરે છે. યોગના ઘણા ફાયદાઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.


સ્ટ્રેન્થ, બેલેન્સ અને ફ્લેક્સિબિલિટી સુધારો: યોગ કરવાના મુખ્ય ફાયદાઓમાંની એક બાબત છે ફ્લેક્સિબિલિટી. અંગૂઠાને સ્પર્શ કરવો મુશ્કેલ છે, પરંતુ તેમ છતાં તમે ચક્રાસન કરવાનું વિચારી શકો છો. આ નિયમિત રીતે કરવાથી, તમને લાગશે કે તમારા સ્નાયુઓની ફ્લેક્સિબિલિટી હવે સારી થઈ રહી છે. આ કારણે, તમે અશક્ય લાગતા આસનો પણ સરળતાજી કરી શકશો.


સંધિવામાં ફાયદાકારકઃ નિયમિત યોગાભ્યાસ વિવિધ પ્રકારની સંધિવાની સમસ્યાઓમાં મદદ કરી શકે છે, જેમ કે સાંધાનો દુખાવો ઓછો કરવો, સાંધાઓની ફ્લેક્સિબિલિટી અને કાર્યમાં વધારો કરવો અને તણાવ ઓછો કરવો. યોગ એવા લોકોમાં લોકપ્રિય છે જેમને પગની સમસ્યા હોય છે.


આરામ આપે છે અને સારી ઊંઘમાં મદદ કરે છેઃ યોગ નર્વસ સિસ્ટમનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. તેમજ સારી ઉંઘ લેવામાં પણ મદદ કરે છે. તે તમને વર્તમાન ક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે.




તણાવ ઓછો કરવામાં મદદ કરે છેઃ ઘણા લોકો તેમની ફ્લેક્સિબિલિટી વધારવા માટે યોગ શરૂ કરે છે. પરંતુ તે તમારું ધ્યાન પણ વધારે છે. તે તમને શારીરિક અને માનસિક રીતે આરામ કરવામાં મદદ કરે છે.જેનાથી તણાવ ઓછો થાય છે.


જીવનની ગુણવત્તા સુધારે છેઃ યોગ ધ્યાન અને શ્વાસને જોડે છે, જે માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય બંને માટે ફાયદાકારક છે. યોગાભ્યાસ શારીરિક જાગૃતિમાં સુધારો કરે છે, જુના તણાવને ઘટાડે છે, મનને શાંત કરે છે, ધ્યાન અને એકાગ્રતામાં સુધારો કરે છે.


કાર્ડિયોવેસ્ક્યુલર કાર્યપ્રણાલીને સુધારવામાં મદદ કરે છેઃ યોગથી રક્ત પરિભ્રમણ અને રક્ત પ્રવાહ પણ વધે છે, જે હૃદય માટે સારું છે. તે બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ તેમજ હૃદયના ધબકારા ઘટાડવામાં પણ મદદ કરી શકે છે.


એકાગ્રતા સુધારવામાં મદદ કરે છેઃ નિયમિત યોગાભ્યાસથી સંકલન, યાદશક્તિ અને આઈક્યૂ લેવલ વધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત એકાગ્રતા પણ વધે છે.




સારી મુદ્રા અને શારીરિક જાગૃતિને પ્રોત્સાહન આપે છેઃ ડેસ્ક પર લાંબો સમય બેસી રહેવાથી તમારી કરોડરજ્જુને ઈજા થઈ શકે છે અને તમને થાક લાગી શકે છે. યોગના કેટલાક આસનો કરવાથી ગરદન અને પીઠની નીચેની સમસ્યાઓથી બચવા સાથે તમારી મુદ્રામાં સુધારો કરવામાં મદદ મળી શકે છે.


રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છેઃ યોગની પ્રેક્ટિસ લસિકા તંત્રને ચેપ સામે લડવામાં, જીવલેણ કોષોનો નાશ કરવામાં અને સેલ્યુલર પ્રવૃત્તિમાંથી હાનિકારક કચરો દૂર કરવામાં મદદ કરે છે. જેથી વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ વધે છે.


બ્લડ સુગર ઘટાડવામાં મદદ કરે છેઃ યોગ ન માત્ર લોહીમાં શર્કરાના સ્તરને ઓછું કરે, પરંતુ તે સારા કોલેસ્ટ્રોલને વધારતા ખરાબ કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે. યોગ તમને વજન ઘટાડવામાં મદદ કરે છે અને તમારી ઇન્સ્યુલિન સંવેદનશીલતામાં સુધારો કરે છે.