Patanjali Herbal Garden: વર્ષ 1995  માં સ્થપાયેલ ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લામાં સ્થિત પતંજલિ હર્બલ ગાર્ડ એક ચોક્કસ હેતુ સાથે બનાવવામાં આવ્યું હતું.  વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા ઔષધીય છોડનું સંરક્ષણ અને લોકોને ખાસ કરીને યુવા પેઢીઓને આયુર્વેદ વિશે જાગ્રૃત કરવા. સમયની સાથે સાથે આ સ્થળ શિક્ષણ, સંશોધન અને કુદરતી સંશોધન માટે એક કેન્દ્રમાં વિકસિત થયું છે. જ્યાં શિક્ષણ, રિસર્ચ અને પ્રકૃતિની જાણકારી એક સાથે મળે છે.  તેમાં ભારતના અલગ-અલગ ભાગોમાંથી લાવવામાં આવેલા 1000 થી  ઔષધીય વનસ્પતિઓ, ઝાડીઓ, વૃક્ષો,જળચર અને સુશોભનના છોડ હાજર છે.  

Continues below advertisement

આ ગાર્ડનને એ રીતે વિચારપૂર્વક બનાવવામાં આવ્યો છે કે સામાન્ય લોકો અને સંશોધકો બંને સરળતાથી  વનસ્પતિની વિભિન્ન જાતોની વ્યાપક સમજ મેળવી શકે. અહીં આવનારા તમામ લોકો અલગ-અલગ છોડને જોઈને તેના ઉપયોગ અને આયુર્વેદમાં તેની ભૂમિકા વિશે સરળતાથી જાણી શકે છે.

વિવિધ છોડનો મોટો સંગ્રહ

Continues below advertisement

આ બગીચામાં વૃક્ષોની ઘણી બધી પ્રજાતિઓ જોવા મળે છે, જેમાં  લગભગ 300 પ્રકારની જડી બૂટિઓ, 175 ઝાડીઓ, 50 વેલ, 25 જળચર છોડ અને આશરે 350  વૃક્ષ પ્રજાતિઓ સહિત વિવિધ પ્રકારની વનસ્પતિ સામેલ છે. આ વિવિધતા આયુર્વેદમાં ઉપયોગમાં લેવાતી વનસ્પતિ-આધારિત સારવારમાં સમજ આપે છે.

બગીચામાં ખાસ વનસ્પતિના સમૂહને યોગ્ય વાતાવરણ પૂરું પાડવા માટે પાંચ કૃત્રિમ ગુફાઓ પણ બનાવવામાં આવી છે. આ ગુફાઓ એવા છોડ ઉગાડે છે જેને ચોક્કસ વાતાવરણની જરૂર હોય છે, જેમ કે બ્રાયોફાઇટ્સ, ટેરિડોફાઇટ્સ અને ઓર્કિડ વગેરે. કેટલીક ગુફાઓમાં આયુર્વેદના મૂળભૂત ખ્યાલો દર્શાવતી શિલ્પો પણ છે, જેમાં મંથન, વટી, આસવ અને ભસ્મ જેવી ઔષધીય વનસ્પતિઓની તૈયારી સાથે સાથે યોગાસન, પ્રાણાયામ અને મુદ્રાનો સમાવેશ થાય છે.

ગ્રહો, રાશિ અને નક્ષત્રો સાથે સંકળાયેલા છોડ

આ વેબસાઇટમાં ખાસ સેક્સન પણ છે, જેમ કે નવગ્રહ વાટિકા, જેમાં વિવિધ ગ્રહો સાથે સંકળાયેલા નવ છોડ દર્શાવે છે. ઉદાહરણ તરીકે અપામાર્ગ (અચિરેંથેસ એસ્પેરા એલ.) છોડ બુધ (બુધ ગ્રહ) સાથે જોડાયેલ છે, જ્યારે પીપળ (ફિકસ રિલિજિયોસા એલ.)નું વૃક્ષ ગુરુ (ગુરુ ગ્રહ) સાથે સંબંધિત માનવામાં આવે છે.

આ રીતે રાશિ વાટિકામાં રાશિ ચિહ્નો સાથે જોડાયેલા 12 છોડ અને નક્ષત્ર વાટિકામાં ચંદ્ર નક્ષત્રો સાથે સંકળાયેલા 28 છોડ છે. આ વિભાગ મુલાકાતીઓને પરંપરાગત માન્યતાઓ અને વનસ્પતિશાસ્ત્રનું એકસાથે સમજવાની તક આપે છે.

ફરવાનો અને શીખવાનો ખાસ અનુભવ

આ બગીચામાં સાત કૃત્રિમ ફુવારા અને એક મોટું તળાવ પણ છે, જે ટ્રૈપા નૈટન્સ એલ., નિમ્ફિયા નૌચાલી અને નેલુમ્બો ન્યુસીફેરા જેવા જળચર છોડ માટે અનુકૂળ પરિસ્થિતિઓ જાળવવામાં મદદ કરે છે. વધુમાં, એક નાનું તળાવ, ઝરણા અને એક પક્ષીગૃહ બનાવવામાં આવ્યું છે, જ્યાં મુલાકાતીઓ ઝૂલતા કુદરતી વાતાવરણનો આનંદ માણી શકે છે.

અહીં ગાઈડેડ ટૂર પણ થાય છે, જ્યાં નિષ્ણાતો છોડ વિશે વિગતવાર માહિતી પ્રદાન કરે છે, જેમાં તેમના નામ, ફાયદા અને તેનો ઉપયોગ કઈ બીમારીઓ માટે થઈ શકે છે તેનો સમાવેશ થાય છે.

સામાન્ય લોકો માટે ફાયદાકારક

આ બગીચામાં રહેલા છોડનો ઉપયોગ ફક્ત પ્રદર્શન હેતુ માટે જ નહીં પરંતુ ઔષધીય હેતુઓ માટે પણ થાય છે. યોગપીઠના ચિકિત્સકો તેમાંથી તાજા ઉકાળો અને દવાઓ તૈયાર કરે છે.

આ ઉપરાંત, અહીંની નર્સરીના માધ્યમથી સામાન્ય લોકોને છોડ ઉપલ્બ્ધ કરાવવામાં આવે છે. જેથી તેમના ઘરે પણ ઉપયોગ કરી શકે. આ બગીચો સામાન્ય લોકોને માત્ર માહિતી જ પૂરી પાડતો નથી પણ લોકોને આયુર્વેદ સાથે પણ જોડે છે.