પતંજલિ આયુર્વેદનું કહેવું છે કે કંપની તેની પર્યાવરણને અનુકૂળ પહેલના માધ્યમથી પર્યાવરણ સંરક્ષણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. પતંજલિનો દાવો છે કે સ્વામી રામદેવના નેતૃત્વમાં પતંજલિએ ફક્ત આયુર્વેદિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપ્યું નથી પરંતુ ટકાઉ કૃષિ, નવીનીકરણીય ઉર્જા અને કચરા વ્યવસ્થાપન જેવા ક્ષેત્રોમાં પણ નવીન પગલાં લીધાં છે. આ પહેલનો હેતુ પર્યાવરણ પર સકારાત્મક અસર પાડવા અને આવનારી પેઢીઓ માટે સ્વસ્થ ભવિષ્ય સુનિશ્ચિત કરવાનો છે.
ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન
પતંજલિએ કહ્યું હતું કે, "કંપનીએ ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે અનેક પગલાં લીધાં છે. પતંજલિ ઓર્ગેનિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (PORI) દ્વારા કંપનીએ બાયો-ખાતર અને બાયો-પેસ્ટિસાઇડ્સ વિકસાવ્યા છે, જે રાસાયણિક ખાતરો પર નિર્ભરતા ઘટાડે છે. આ ઉત્પાદનો જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે અને પાકની ગુણવત્તામાં સુધારો કરે છે. PORI એ 8 રાજ્યોમાં 8413 ખેડૂતોને તાલીમ આપી છે, જેનાથી ઓર્ગેનિક ખેતી અપનાવવામાં મદદ મળી છે. આનાથી માટી, પાણી અને વાયુ પ્રદૂષણ ઓછું થયું છે, તેમજ જૈવવિવિધતાને પ્રોત્સાહન મળ્યું છે.''
સૌર ઉર્જામાં યોગદાન
પતંજલિ સૌર ઉર્જાના ક્ષેત્રમાં પણ સક્રિય છે. પતંજલિનો દાવો છે કે, ''કંપનીએ સોલાર પેનલ, ઇન્વર્ટર અને બેટરી જેવા ઉત્પાદનોને સસ્તું બનાવીને ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપ્યું છે. સ્વામી રામદેવનું સ્વપ્ન દરેક ગામ અને શહેરમાં 'પતંજલિ એનર્જી સેન્ટર્સ' સ્થાપિત કરવાનું છે, જે કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મદદ કરશે. આ પહેલ માત્ર પર્યાવરણને જ નહીં પરંતુ ગ્રામીણ સમુદાયોને સસ્તી વીજળી પણ પૂરી પાડે છે.''
વેસ્ટ મેનેજમેન્ટમાં નવીનતા
પતંજલિએ કહ્યું, ''પતંજલિ યુનિવર્સિટીએ વેસ્ટ મેનેજમેન્ટ માટે એક અનોખી પહેલ શરૂ કરી છે, જ્યાં સૂકા કચરાને ખાતરમાં રૂપાંતરિત કરવામાં આવે છે અને ગાયના છાણમાંથી યજ્ઞ માટે પવિત્ર સામગ્રી તૈયાર કરવામાં આવે છે. આ પ્રાચીન જ્ઞાન અને આધુનિક ટેકનોલોજીનું અનોખું મિશ્રણ છે, જે કચરો ઘટાડવા અને ટકાઉ સામગ્રી બનાવવામાં મદદ કરે છે. આ પહેલ પર્યાવરણને સ્વચ્છ રાખવા ઉપરાંત સાંસ્કૃતિક મૂલ્યોને પણ પ્રોત્સાહન આપે છે.''
પાણી અને વૃક્ષારોપણ
પતંજલિનું કહેવું છે કે "કંપનીએ પાણી સંરક્ષણ અને વૃક્ષારોપણ જેવી પહેલોને પણ પ્રાથમિકતા આપી છે. કંપનીએ પાણી બચાવવાની તકનીકો અપનાવી છે અને મોટા પાયે વૃક્ષારોપણ ઝૂંબેશ હાથ ધરી છે. પર્યાવરણીય સંતુલન જાળવવા અને આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે આ પગલાં મહત્વપૂર્ણ છે.''