આપણા શરીરમાં જમા ફેટ આપની સ્ટોર એનર્જી છે અને કિટો સ્ટેજમાં આપની બોડી આપના તે જ સ્ટોર્ડ ફેટને બર્ન કરશે અને આ રીતે આપનું ફેટ લોસ થશે અને ધીરે ધીરે આપ સ્લિમ થઇ જશો.


કીટો ડાયટ શું છે?


કેટો ડાયેટને કેટોજેનિક ડાયટ, લો-કાર્બ ડાયેટ, લો-કાર્બ હાઈ ફેટ ડાઇટ  વગેરે તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય આહારમાં કાર્બ્સની માત્રા સૌથી ઓછી હોય છે. ફેટની માત્રા સૌથી વધુ અને પ્રોટીનની માત્રા ફેટ અને કાર્બ્ર્સની વચ્ચેની હોય છે.  કાર્બોહાઇડ્રેટ વધુ હોય છે, પ્રોટીન ખૂબ જ ઓછું હોય છે અને ચરબી મધ્યમ હોય છે, જેના કારણે મોટાભાગના લોકો કીટો ડાયટને અનહેલ્ધી માને  છે.


કીટો ડાયેટમાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ સૌથી ઓછું છે, ચરબીનું પ્રમાણ સૌથી વધુ છે અને પ્રોટીનનું પ્રમાણ ચરબી અને કાર્બોહાઇડ્રેટ વચ્ચે છે.


કીટો ડાયટ મૈક્રો


જો આપ  કીટો ડાયેટ પર છો, તો તમારા દરેક ભોજનમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ચરબીનો આ ગુણોત્તર હોવો જોઈએ.



  • ફેટ - 70 ટકા

  • પ્રોટીન - 25 ટકા

  • કાર્બોહાઇડ્રેટ્સ - 5 ટકા


કીટો ડાયટમાં શું ખાવું જોઇએ


કેટો ડાયેટ પ્લાનમાં આપને  ખાવાનું સૌથી વધુ ધ્યાન રાખવું પડે છે, આ આહારમાં તમારે એવી વસ્તુઓ ખાવી જોઈએ જેમાં ચરબી વધારે હોય અને ઓછી કાર્બ અને મધ્યમ પ્રોટીન હોય. ઉદાહરણ તરીકે, બદામ, બીજ, ઓલિવ તેલ, ચિકન, મટન, લીલા શાકભાજી, બદામ, કાજુ, મગફળી, ચીઝ, ક્રીમ, માખણ, અખરોટ, નાળિયેર પાણીનું સેવન કરી શકાય છે.


કેટો ડાયેટમાં ખાવામાં આવતી વસ્તુઓ કરતાં ન ખાવાની વસ્તુઓની યાદી ઘણી લાંબી છે. આમાં તમે કોઈપણ ફળ (સફરજન, કેળા, પાઈનેપલ, નારંગી, મોસ્મી, દ્રાક્ષ ) નથી ખાઇ શકતા, બટેટા, બ્રેડ, દાળ, ચણા, ઘઉં, ખાંડ, દહીં, દૂધ વગેરે ખાઈ શકતા નથી. કારણ કે તેમાં કાર્બોહાઇડ્રેટ્સ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.


કિટો ડાયટના ફાયદા


વજન ઓછું થશે


 આપનું  શરીર શરીરની સંગ્રહિત ચરબીને બાળી નાખે છે, જેના કારણે તમારા ચરબીના કોષો ઘટે છે અને તમારું વજન ઓછું થવા લાગે છે.


બ્લડ સુગર


 આ ખોરાક સમય જતાં LDL કોલેસ્ટ્રોલ અને ટાઇપ-2 ડાયાબિટીસ જેવી બીમારીઓને દૂર કરી શકે છે.


એનર્જી


 આ ડાયટ તમને સારી એનર્જી આપે છે. આ સમય દરમિયાન તમે વધુ ઉર્જાવાન રહો છો અને  આપને એ જાણવું જરૂરી છે કે,  ચરબીના કણો ઊર્જાના રૂપમાં સૌથી વધુ ઉર્જા આપે છે.


ભૂખ ન લાગવી


 કીટો ડાયેટ કર્યાના થોડા સમય પછી, વ્યક્તિને ઓછી ભૂખ લાગે છે.


ખીલ


 જો તમે 12 અઠવાડિયા સુધી કીટો ડાયેટ કરો છો, તો  ખીલની સમસ્યા પણ દૂર થાય છે અને શરીરમાં સોજોની સમસ્યા હોય તો એ પણ દૂર થાય છે.


વરુણ ધવન, અરશદ વારસી, આલિયા ભટ્ટ, અર્જુન કપૂર, સોનાક્ષી સિંહા વગેરેએ વજન ઘટાડવા માટે કીટો ડાયટનો આશરો લીધો હતો. જો કે ચોક્કસપણે  કીટો ડાયટ અપનાવતા પહેલા ફિટનેસ ટ્રેનર અથવા ન્યુટ્રિશનિસ્ટની સલાહ લો.