Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં સાવરણીને મા લક્ષ્મીની કૃપા સાથે જોડવામાં આવે છે.  જે ઘરમાં સાવરણીને યોગ્ય દિશા અને યોગ્ય રીતે રાખવામાં આવે છે. ત્યાં ક્યારેય પૈસાની કમી નથી થતી, જો કે તેને રાખવાના કેટવાક નિયમોનો વાસ્તુશાસ્ત્રમાં ઉલ્લેખ છે.


સાવરણી ખૂબ જ ઉપયોગી વસ્તુ છે. તેનો ઉપયોગ દરેક ઘરની સફાઈ માટે થાય છે. ઘણીવાર ઘરની સફાઈ કર્યા પછી, તેઓ ઘરના ખૂણામાં ગમે ત્યાં સાવરણી ફેંકી દેવાઇ છે. પરંતુ વાસ્તુની દૃષ્ટિએ આમ કરવું દોષપૂર્ણ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં સાવરણી ખૂબ જ ખાસ વસ્તુ છે, પરંતુ વાસ્તુશાસ્ત્રમાં તેને માતા લક્ષ્મીનો દરજ્જો આપવામાં આવ્યો છે. ઝાડુ સાફ કર્યા પછી જો તેને નિયમ પ્રમાણે રાખવામાં આવે તો ઘરમાં ધનનો ભંડાર ક્યારેય ખાલી નથી થતો. ઘરમાં હંમેશા લક્ષ્મીનો વાસ રહેશે. ઘરમાંથી ગરીબી ભાગી જશે. એવું માનવામાં આવે છે કે માતા લક્ષ્મીની કૃપાથી ઘરમાં ધનનો વરસાદ થશે. આવો જાણીએ ઘરમાં સાવરણી કેવી રીતે રાખવી


સાવરણી જૂની થાય કે તરત જ બદલી દો


જો ઘરમાં સાવરણી જૂની અથવા તૂટેલી હોય, તો તેને તરત જ બદલી નાખવી જોઈએ. કારણ કે તૂટેલી કે જૂની સાવરણી લગાવવાથી ઘરમાં ગરીબી આવે છે અને તેના કારણે જીવનમાં દરેક પ્રકારની સમસ્યાઓ આવવા લાગે છે.


સાવરણીને પગ ક્યારેય ન લગાવો


સાવરણીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી, સાવરણીનું હંમેશા સન્માન કરવું જોઈએ. સાવરણીને ક્યારેય પગ ન લગાવવો જોઇએ. તેને  પરોક્ષ રીતે દેવી લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે.


સૂર્યાસ્ત બાદ ઝાડૂ ન લગાવો


જો શક્ય હોય તો, સાંજે  સંજવાળી કરવાનું  ટાળો. એવું કહેવાય છે કે સૂર્યાસ્ત પછી ઝાડુ મારવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે, પરંતુ જો કોઈ કારણસર સાંજે ઝાડુ કરવું પડે તો તે સમયે ઘરનો કચરો કે માટી ઘરની બહાર ન ફેંકવી જોઈએ. કારણ કે આવું કરવાથી ઘરમાં ગરીબી આવે છે.


સાવરણી સંબંધિત અન્ય સાવધાની



  • વાસ્તુશાસ્ત્ર અનુસાર સાવરણી ક્યારેય ઉત્તર-પૂર્વ દિશામાં ન રાખવી. આ દિશામાં સાવરણી રાખવાથી ઘરમાં ધનનું આગમન અટકે છે.

  • સાવરણી હંમેશા દક્ષિણ કે દક્ષિણ દિશામાં રાખવી શ્રેષ્ઠ છે. તેથી સાવરણી દક્ષિણ કે દક્ષિણ-પશ્ચિમ દિશામાં જ રાખવી.

  • વાસ્તુશાસ્ત્ર અનુસાર સાવરણીને હંમેશા બીજાની નજરથી છુપાવીને રાખવી જોઈએ.

  • બેડરૂમમાં સાવરણી ભૂલેચૂકે ન રાખશો, જે વાસ્તુદોષ સર્જે છે.

  • રસોડામાં પણ સાવરણી રાખવાનું ટાળો. આનાથી સંપત્તિમાં ઘટાડો થાય છે.

  • સાવરણી  કોઇ જોવે નહી તે રીતે છુપાવવી રાખવી  જોઈએ.

  • પરિવારના કોઈ સભ્ય ઘરની બહાર જાય ત્યારે ઝાડુ મારવું અશુભ છે.

  • ઝાડુ હંમેશા નીચે સૂવાડીને રાખો ઉભી ઝાડુ ક્યારેય ન રાખો.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે Abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.