Skincare tips :ગ્લોઈંગ અને ડાઘ રહિત ત્વચા મેળવવા માટે હંમેશા પાર્લરમાં જવાની જરૂર નથી. તેમજ તમારે કેમિકલ આધારિત ફેસ પેક અને મોંઘા ક્રીમ પર આધાર રાખવાની જરૂર નથી, તમે રસોડામાં રાખવામાં આવેલા આ બીજથી અદ્ભુત રિઝલ્ટ મેળવી શકો છો.


ચહેરાની સાથે સાથે આખા શરીરની ત્વચાને ચમકદાર બનાવવા માટે તમે ફ્લેક્સસીડનો ઉપયોગ કરી શકો છો. આ બીજમાં એટલા બધા ગુણ હોય છે કે તે તમને જીવનભર ચમકદાર અને સુંદર ત્વચા આપી શકે છે. જો કે અહીં આપણે આ બીજ ખાવાની વાત નથી કરી રહ્યા પરંતુ તેને ત્વચા પર લગાવવાની વાત કરી રહ્યા છીએ. ફ્લેક્સસીડ ખાવામાં જેટલા પૌષ્ટિક હોય છે, તેટલા જ તેમાંથી બનાવેલ પેક ત્વચા પર પણ એટલી જ અદભૂત અસર દર્શાવે છે. કારણ કે તે તમામ ગુણો આ બીજમાં જોવા મળે છે, જે તમારી ત્વચા માટે એન્ટી-એજિંગ, એન્ટી-ઈન્ફ્લેમેટરી તત્વોની જેમ કામ કરે છે. ફ્લેક્સસીડમાંથી બનાવેલ ફેસ પેક તમારી ત્વચા પર કોઈપણ પ્રકારની આંતરિક કે બાહ્ય ભૂલોને હાવી થવા દેતું નથી. આનું પરિણામ એ છે કે તમારી ત્વચા હંમેશા યુવાન અને ચમકદાર રહે છે.


આ રીતે બનાવો ફેસપેક


અળસીના બીજને પીસીને પાવડર બનાવો. જો તમે ઈચ્છો તો મોટી માત્રામાં પાવડર બનાવીને પણ સ્ટોર કરી શકો છો. પરંતુ તેને કાચની બરણીમાં જ રાખો અને માત્ર 7 દિવસ માટે જ પાવડર બનાવો.


આ રીતે બનાવો અળસીના ફેસપેક


સામગ્રી



  • એક ચપટી હળદર

  • એક ચમચી અળસી પાવડર

  • 4 ચમચી ગુબાલ જળ

  • અડઘી ચમચી દહીં

  • ઉપરોક્ત સામગ્રી મિક્સ કરીને આ પેક તૈયાર કરો અને માત્ર 20 મિનિટ માટે ચહેરા પર લગાવો. જો તમારી ત્વચા વધુ ડ્રાય હોય તો તો તમે દહીંને બદલે મધનો પણ ઉપયોગ કરી શકો છો.


અળસી ફેસપેકના ફાયદા



  • અળસીના બીજ ખાવાની ત્વચા પર  ઉંમર વધવાની અસરને ઓછી થાય છે.

  • ફ્લેક્સસીડ ફેસ પેક તમારી ત્વચાને ચુસ્ત રાખે છે. સ્કિન યંગ રહે છે.

  • કરચલીઓ તમારી ત્વચાને સ્પર્શતી પણ નથી અને ગ્લો જળવાઈ રહે છે.

  • અળસીના બીજમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે સોજોને પણ  દૂર રાખે છે.

  •   આ ફેસ પેક ત્વચાને ઝડપથી સ્વસ્થ થવામાં મદદ કરે છે. ફોલ્લીઓને પણ દૂર કરે છે.


આ રીતે વધે છે ત્વચાની સુંદરતા



  • અળસીના  બીજ શરીર માટે એનર્જી બૂસ્ટર તરીકે કામ કરે છે. તેના નિયમિત સેવનથી વાળ મજબૂત, ઘટ્ટ  લાંબા બને છે અને ત્વચાને પણ આ ફાયદા થાય છે.

  • ત્વચા હાઇડ્રેટેડ રહે છે

  • ત્વચા સ્વસ્થ રહે છે

  • સ્કિન ગ્લોઇંગ  રાખે છે

  • પિગમેન્ટેશન નથી

  • ત્વચાને વ્હાઇટ ટોન કરવામાં મદદ કરે છે

  • ખંજવાળ અને ફોલ્લીની સમસ્યા દૂર થાય


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.