How to remove blackness of skin with aloe vera: જો તમે હાથની સ્કિનની ડલનેસથી કંટાળી ગયા હો તો અને આ સમસ્યાનું નિવારણ ઇચ્છતા હો તો  આજે અમે તમને તેના માટે 3 ખાસ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ. આ ઉપાયો અજમાવવાથી તમારા વાળના મૂળ પહેલા કરતા વધુ મજબૂત બનશે.


શિયાળાની ઋતુ ચાલી રહી છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ ચહેરાની ત્વચા પર ધ્યાન આપે છે પરંતુ હાથની કાળજી લેવાનું ભૂલી જાય છે. જેના કારણે શિયાળામાં હાથની ત્વચા નિર્જીવ અને નિસ્તેજ લાગે છે. જેના કારણે હાથ કાળા દેખાય છે. આવી સ્થિતિમાં એલોવેરા તમારી મદદ કરી શકે છે. હા, એલોવેરા તમારા હાથની ત્વચાને સુધારી શકે છે.અહી અમે તમને જણાવીશું કે એલોવેરાની મદદથી હાથની કાળાશ કેવી રીતે દૂર કરવી?


હાથની કાળાશ દૂર કરવાની રીત-


એલોવેરા અને લીંબુ-


જો તમે પણ હાથની કાળાશથી પરેશાન છો તો હવે એલોવેરા તમારી મદદ કરી શકે છે.આના માટે તમે એલોવેરા અને લીંબુને મિક્સ કરીને લગાવી શકો છો. આ માટે 2 ચમચી એલોવેરા જેલ લો.તેમાં 8 થી 10 ટીપાં લીંબુનો રસ મિક્સ કરો. હવે આ પેસ્ટને તમારા હાથ પર લગાવો અને ધોઈ લો. આમ કરવાથી તમે હાથની કાળાશ દૂર કરી શકો છો.


એલોવેરા અને હળદર


એલોવેરા અને હળદર ત્વચાની કાળાશ દૂર કરવામાં પણ મદદ કરે છે. આ માટે તમે 2 ચમચી એલોવેરા જેલ લો. તેમાં એક ચપટી હળદર ઉમેરીને બરાબર મિકસ કરી લો. હવે આ પેસ્ટને તમારા હાથ પર લગાવો.


એલોવેરા અને ચણાનો લોટ


ચણાના લોટનો ઉપયોગ ત્વચા માટે ફાયદાકારક છે. હાથની કાળાશ ઓછી કરવા માટે આપ  એલોવેરા અને ચણાના લોટની પેસ્ટ લગાવી શકો છો. આ માટે 2-4 ચમચી એલોવેરા જેલ લગાવો. તેમાં એક ચમચી ચણાનો લોટ અને ગુલાબજળ ઉમેરો. આ પેસ્ટને તમારા હાથ પર લગાવો.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો