Ayodhya Ram Mandir: રામ મંદિરના નિર્માણની સાથે જ અયોધ્યા એક ધાર્મિક શહેર તરીકે ઉભરવા લાગ્યું છે. અગાઉ પણ તે ધાર્મિક શહેર તરીકે જાણીતું હતું, પરંતુ મંદિરના નિર્માણથી અહીંના પ્રવાસનને વેગ મળ્યો છે.

Continues below advertisement


અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે 13 નવા મંદિરોના નિર્માણની તૈયારીઓ ચાલી રહી છે. તેમાંથી 6 મંદિરો રામ મંદિર સંકુલની અંદર બાંધવામાં આવશે, જ્યારે 7 સંકુલની બહાર બનાવવામાં આવશે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કોષાધ્યક્ષ સ્વામી ગુરુદેવ ગિરીજીએ સંકુલમાં મંદિર નિર્માણની યોજના વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, મુખ્ય મંદિરને પૂર્ણ કરવાના કામની સાથે હાલમાં તમામ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે.


એનડીટીવીના અહેવાલ મુજબ, મંદિરમાં હાલમાં માત્ર એક જ માળ છે. ગુરુદેવ ગિરીજીએ કહ્યું, 'બીજા માળે કામ ચાલી રહ્યું છે, ત્યારબાદ શિખર (મધ્યસ્થ ગુંબજ)નું કામ કરવાનું છે.' તેમણે આગળ કહ્યું, 'ત્યારબાદ રામ પરિવારના પાંચ મુખ્ય મંદિરો પર કામ ચાલી રહ્યું છે.'


ક્યાં ભગવાનના 13 મંદિરો બનશે?


ભગવાન રામને  વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. તેથી, ભગવાન ગણપતિ, શિવ, સૂર્ય અથવા સૂર્ય ભગવાન અને દેવી જગદંબાને સમર્પિત મંદિરો પણ હોવા જોઈએ. મુખ્ય મંદિરના ચાર ખૂણામાં ચાર ભગવાનને સમર્પિત મંદિરો બનાવવામાં આવશે. ભગવાન રામના સૌથી મોટા ભક્ત હનુમાનને સમર્પિત એક અલગ મંદિર પણ હશે. આ મંદિરો પર કામ ચાલી રહ્યું છે અને અહીં મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. હવે પોલિશિંગનું કામ થાય છે અને ફિનિશિંગ ટચ પણ આપવો પડે છે.


સીતા રસોઇ પાસે, જે દેવી સીતાનું રસોડું માનવામાં આવે છે, ત્યાં દેવી અન્નપૂર્ણાને સમર્પિત મંદિર હશે. ગુરુદેવ ગિરિજીએ કહ્યું, 'રામ મંદિર પરિસરની બહાર વિશાળ વિસ્તારમાં સાત મંદિરો હશે. આ ભગવાન રામના જીવનમાં ભાગ લેનારા લોકોને સમર્પિત કરવામાં આવશે. તેમણે કહ્યું, 'આ મંદિરો સંતો વાલ્મીકિ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, દેવી શબરી અને જટાયુ માટે હશે. જટાયુએ રામ માટે પોતાનું બલિદાન આપ્યું હતું.


5 લાખ લોકોએ રામલલાના દર્શન કર્યા


રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થતાની સાથે જ મંદિર ભક્તો માટે ખુલી ગયું છે. મંગળવારે 5 લાખ લોકોએ રામલલાના દર્શન કર્યા હતા. અયોધ્યામાં અત્યારે કડકડતી ઠંડી છે, પરંતુ રામભક્તો પર તેની કોઈ અસર જોવા મળી રહી નથી. દેશના વિવિધ ભાગોમાંથી લોકો અયોધ્યા પહોંચી રહ્યાં  છે, જેથી તેઓ કોઈ રીતે રામલલાના દર્શન કરી શકે. હાલમાં અયોધ્યામાં સમગ્ર વાતાવરણ રામમય બની ગયું છે.