અમદાવાદમાં ઘાતકી હત્યાથી ખળભળાટ, દીકરીના લવ મેરેજની બબાલમાં પિતાની થઈ હત્યા, લોખંડની પાઇપના 36 ફટકા માર્યા
Ahmedabad Anandnagar Murder Case News: અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. જ્યાં જાહેરમાં એક યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી છે

- અમદાવાદમાં બે પરિવારો વચ્ચે અંગત અદાવતમાં હત્યા.
- લગ્ન બાદ થયેલા વિવાદમાં એકનું મોત નીપજ્યું.
- સીસીટીવી ફૂટેજ મળ્યા, આરોપીઓની શોધખોળ ચાલુ.
- પરિવારજનો દ્વારા આરોપીઓની ધરપકડની માંગ.
Ahmedabad Anandnagar Murder Case News: અમદાવાદમાં વધુ એક હત્યાની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. શહેરના જીવરાજપાર્ક બ્રીજ નીચે બે પરિવારો વચ્ચે ખુની ખેલ ખેલાયો, જેમાં એક પરિવારના ચાર શખ્સોએ ભેગા થઇને બીજા પરિવારના એક શખ્સે લાકડી-ડંડા અને લોખંડની પાઇપો મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ખરેખરમાં સેટેલાઈટ વિસ્તારના રાજીવનગર અંગત અદાવત લવ મૃતકના દીકરાના લવ મેરેજને લઇને હતી, જેમાં 52 વર્ષીય નટુભાઇ પરમારનું મોત નીપજ્યુ હતુ. હાલમાં આનંદનગર પોલીસે ઘટનાના સીસીટીવી ફૂટેજ મેળવી લીધા છે. આ સાથે પરિવારોની પૂછપરછ બાદ વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. જ્યાં જાહેરમાં એક યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી છે. માહિતી અનુસાર મૃતકની ઓળખ નટુ પરમાર તરીકે થઈ છે. ગઇકાલે 2 મેની મોડી રાત્રે તેઓ સિગારેટ પીવા માટે બહાર ગયા હતા ત્યારે અચાનક ચાર શખ્સોએ લોખંડની પાઇપ અને લાકડી-ડંડા વડે હુમલાખોરોએ 36 ઘા માર્યા હતા અને માત્ર 22 સેકન્ડમાં જ નટુ પરમારનું મોત થઇ ગયુ હતુ. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક નટુ પરમારના દીકરાએ પ્રેમ લગ્ન કર્યા હતા જેને લઈને વિવાદ ચાલતો હતો. આરોપ છે કે મૃતકની પુત્રવધૂના પરિવારે આ ઘટનાને અંજામ આપ્યો છે. ઘટનાના પહેલા દિવસે કેટલાક શખ્સોએ “અખબારનગરના ડોન” તરીકે ઓળખ આપીને ધમકી પણ આપી હતી. તેઓ મૂળ દીકરાને નિશાન બનાવવા આવ્યા હતા. પરંતુ અંતે હુમલો તેના પિતા નટુ પરમાર પર કરવામાં આવ્યો.
રબારી સમાજમાં હવે સગાઈ-લગ્નના નિયમો બદલાયા, જાણો કયા પ્રસંગે કેટલો દંડ ભરવો પડશે?
ઘટના બાદ મૃતકના પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો છે. પરિવારજનોએ રસ્તા પર બેસીને ધરણા શરૂ કર્યા છે અને આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ કરી છે. રાજીવનગરથી જીવરાજ તરફ જતો માર્ગ પણ બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે ટ્રાફિક પર અસર પડી છે. પરિવારજનોની સ્પષ્ટ માંગ છે કે જ્યાં સુધી આરોપીઓ પકડાશે નહીં. ત્યાં સુધી તેઓ ધરણા ચાલુ રાખશે. સાથે જ આરોપીઓના મકાનો પર બુલડોઝર ચલાવવાની પણ માંગ ઉઠી રહી છે. પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ ચાલી રહી છે અને CCTV ફૂટેજના આધારે ઓળખ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.





















