Ahmedabad Jagannath Rath Yatra 2026 : અમદાવાદની 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad Rath Yatra Live: ભગવાન ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળશે. સમગ્ર શહેરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.
LIVE

Background
Ahmedabad Rath Yatra Live: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા આજે 16 જુલાઈ ગુરૂવારના રોજ અમદાવાદમાં નીકળશે. ભગવાન ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળશે. સમગ્ર શહેરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી આજે ભવ્ય રથમાં બિરાજમાન થઈ અમદાવાદની નગરચર્યાએ નીકળશે. રથયાત્રા પૂર્વે સવારે 4 વાગ્યે ભગવાન જગન્નાથની મંગળા આરતી થઈ, જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પરિવાર સાથે હાજર રહ્યા હતા. મંગળા આરતી કર્યા બાદ ભગવાનને વિશિષ્ટ ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરંપરાગત પહિંદ વિધિ કર્યા બાદ રથયાત્રાને પ્રસ્થાન કરાવશે.પહિંદ વિધિ પૂર્ણ થયા બાદ રથયાત્રાને સત્તાવાર રીતે પ્રસ્થાન કરાવવામાં આવશે.
ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને રથમાં બિરાજમાન કરી દેવામાં આવ્યાં છે. હવે 7 વાગ્યાની આસપાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરંપરાગત 'પહિંદ' વિધિ કરી રથયાત્રાને પ્રસ્થાન કરાવશે. 7:30 વાગ્યાની આસપાસ ત્રણેય રથ મંદિરથી બહાર નીકળશે, જેમાં સૌથી આગળ ગજરાજ હશે. વર્ષોથી ચાલતી આવતી આ પરંપરા મુજબ સોનાની સાવરણી વડે ભગવાનના રથ આગળ રસ્તાને સ્વચ્છ કરી ભગવાન પ્રત્યેની સેવા અને સમર્પણ વ્યક્ત કરવામાં આવે છે.
149મી રથયાત્રાને ધ્યાનમાં રાખીને સમગ્ર અમદાવાદ શહેરમાં સુરક્ષાની કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રથયાત્રાના સમગ્ર માર્ગ પર પોલીસ, અર્ધલશ્કરી દળો અને અન્ય સુરક્ષા એજન્સીઓ તૈનાત કરવામાં આવી છે.
રથયાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ, આનંદ અને ઉમંગનો માહોલ છે.. મંદિર પરિસર આખુ ભક્તિના રંગે રંગાયું છે.. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજીને સોનાના કિંમતી અલંકારોથી સુશોભિત અલૌકિલ સોનાવેશ ધારણ કર્યો.. ધાર્મિક વિધિઓ દરમિયાન મેયર હિતેશ બારોટ પણ ઉપસ્થિત રહ્યા.. વૈદિક મંત્રોચ્ચારની ગૂંજ વચ્ચે મંદિરના પ્રાંગણમાં ત્રણેય ઐતિહાસિક રથોની પ્રતિષ્ઠા અને પૂજન વિધિ પણ સંપન્ન કરવામાં આવી.. રથયાત્રા પૂર્વ ભગવાન ગણપતિના સ્વરૂપ ગણાતા ગજરાજનું પણ પરંપરાગત અને વિધવત પૂજન કરવામાં આવ્યું.. આ વિધિ માટે તમામ ગજરાજોને મંદિરના ખાસ હાથીખાનામાં લાવવામાં આવ્યા.. જ્યાં મહાવતોને ચંદન, કંકુ,આકર્ષક રંગો અને પરંપરાગત આભુષણોથી અદભુત શણગાર કરવામાં આવ્યો છે.
દર વર્ષની પરંપરા મજુબ આ વર્ષે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી ભગવાનના ચરણોમાં વિશેષ પ્રસાદી અર્પણ કરવામાં આવી છે.. પીએમ મોદીએ કેરી, જાંબુ, કાકડી, સફરજનની સાથે મગ, ચણા અને ડ્રાયફ્રુટનો વિશેષ પ્રસાદ ભગવાનના ચરણોમાં અર્પણ કર્યો..
અમદાવાદની 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
ભગવાન જગન્નાથજીની રથયાત્રા નગરચર્યા કર્યા બાદ રાત્રે 10 વાગ્યા આસપાસ ભગવાન જગન્નાથજી, ભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાજીનો રથ નિજ મંદિરે પરત ફર્યો હતો. રથના આગમન સમયે મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાનના દર્શન કર્યા હતા. "જય જગન્નાથ"ના જયઘોષથી પરિસર ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ ફૂલની વર્ષા કરી ભગવાનનું સ્વાગત કર્યું. અંદાજે 10 લાખ લોકોએ ભગવાનના દર્શન કર્યા હતા.
રથ માણેક ચોકમાંથી પસાર થયા
ત્રણેય રથ માણેક ચોકમાંથી પસાર થયા હતા. શહેરભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન માટે ઉમટી પડ્યા છે. સમગ્ર વાતાવરણ 'જય જગન્નાથ'ના જયઘોષથી ગુંજી ઉઠ્યું.






















