અમદાવાદઃ વિવાદિત છબી ધરાવતી ટિકટોક સ્ટાર કિર્તી પટેલ અવારનવાર વિવાદોમાં આવતી હોય છે. હવે કિર્તી પટેલની અમદાવાદ શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અટકાયત કરાઈ છે. થોડા દિવસ પહેલાં કિર્તી પટેલ સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારે આજે કિર્તી પટેલ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ હતી ત્યાર બાદ વસ્ત્રાપુર પોલીસે તેની અટકાયત કરી હતી.


કિર્તી પટેલ સામે નોંધાયેલા કેસની વાત કરીએ તો, વસ્ત્રાપુરમાં રહેતી એક મહિલાએ કિર્તી પટેલ પર આરોપ લગાવ્યો હતો કે, કિર્તી પટેલે તેને ધમકી આપી હતી અને તેની છેડતી કરી હતી. આ આરોપસર વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કિર્તી પટેલ સામે છેડતી અને ધમકી આપ્યાનો ગુના હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ નોંધાયા બાદ કિર્તી પટેલ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ હતી અને પોલીસે તેની અટકાયત કરી છે.


નવસારી: એક જ પરિવારના 5 લોકોની અંતિયાત્રા નિકળતા ગામમાં શોકનો માહોલ


નવસારી: કસ્બા ધોળાપીપળા માર્ગ પર ગઈકાલે થયેલા અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા. ગઈકાલે સાંજના સમયે ઈકો કાર અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમા એક જ કુટુંબના પાંચ લોકોના મોત નિપજ્યા હતા. જેમા નવસારી ગ્રામ્ય પોલીસે ગણતરીની કલાકોમાં ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી હતી. સંજય ધ્રુવ ઠાકુર નામનો ડ્રાઈવર અકસ્માત કરી ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. ટ્રક પર મુકેલ કન્ટેનર શિવ ગણેશ લોજિસ્ટિકનું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ડ્રાઇવરે અકસ્માત કેવી રીતે સર્જયો એ અંગે પૂછપરછ ચાલુ છે. તો બીજી તરફ આજે અકસ્માતમાં મોતને ભેટેલા 5 લોકો સમરોલી ગામેથી એક સાથે અંતિમયાત્રા નીકળતા ગામનું વાતાવરણ ગમગી બની ગયું હતું. આ અંતિમયાત્રામાં કેબિનેટ મંત્રી નરેશ પટેલ પણ જોડાયા હતા.


સોમવારે થયો હતો અકસ્માત


કસ્બા ધોલાપીપલા માર્ગ પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જ્યાં પુર ઝડપે દોડતા કન્ટેનર સાથે ઇકો કાર ભટકાઈ હતી. આ અકસ્માતની ઘટનામાં કન્ટેનર ઇકો કાર પર પડતા કારનો ભુક્કો બોલી ગયો હતો. આ અકસ્માત એટલો ખતરનાક હતો કે કારમાં સવાર 5 લોકોના ઘટના સ્થળે જ દબાઈ જવાથી કરૂણ મોત નિપજ્યા હતા. નવસારી ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી રોડ બંધ કરાવી મૃતકોની મૃતદેહ બહાર કાઢ્યા હતા. હાલ ત્રણ મૃતદેહોને બહાર કઢાયા છે અને કારમાં હજી પણ બે મૃતદેહો ફસાયા હોવાથી ક્રેનની મદદથી બહાર કાઢવાનો પ્રયાસ ચાલું છે. આ ગમખ્વાર અકસ્માતના કારણે રસ્તો બંધ થતાં ટ્રાફિક જામ સર્જાયો હતો.