Gujarat Assembly Election 2022: અમદાવાદની વટવા બેઠક પર ચૂંટણીલક્ષી બબાલ સામે આવી છે. વટવા વિસ્તારમાં આવતા સિંગરવા ગામે  બબાલ થઈ છે. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની કારમાં તોડફોડ કરવામાં આવી છે. સાંજના સમયે ગાડીઓના કાચ તોડવામાં આવતા વાતાવરણ તંગ બન્યું છે.  કેટલાક લોકોએ ટોળે વળીને હુમલો કર્યાનો સૂત્રોનો દાવો છે. જો કે ચૂંટણીને લઈને આ કોઈ પહેલી બબાલ નથી. આ પહેલા પણ ઘણી જગ્યાએ આવી નાનીમોટી બબાલો સામે આવી ચૂકી છે. 


કલોલમાં કોંગ્રેસના કાર્યાલય પર પથ્થરમારો થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે


ગાંધીનગર જિલ્લાની કલોલ બેઠક બની તોફાની છે. સવારે બળદેવજી ઠાકોર સાથે થયેલ સંઘર્ષ બાદ સાંજે માહોલ ઉગ્ર બન્યો છે. ભાજપ કાર્યાલય પર પથ્થર મારા બાદ કોંગ્રેસ કાર્યાલય ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો છે. ઘટનાના પગલે ઘટનાસ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. એવામાં કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો થતા વાતાવરણ તંગ બન્યું છે.


જાણો કઈ જગ્યાએ કોંગ્રેસ ઉમદેવારની કારના કાચ તોડવામાં આવ્યા


પંચમહાલના ઘોઘંબાના ગોદલી ગામમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રભાતસિંહ ચૌહાણની ગાડીના કાચ તોડવામાં આવતા વાતાવરણ તંગ બન્યું છે.  બોગસ મતદાનની જાણ થતાં પ્રભાતસિંહ ચૌહાણ ઘોઘંબાનાં ગોદલી મતદાન મથક પહોચ્યા હતા. ગોદલી ગામના કાચલા ફળિયા મતદાન મથક ઉપર ઉભેલા બીજેપી અને કોંગ્રેસ પાર્ટીનાં ટોળા વચ્ચે બબાલ મચી જતાં બે ગાડીના કાચ તોડી નાંખ્યા હતા. પ્રભાતસિંહે પોતે સલામત હોવાનું જણાવ્યુ છે. સાથે ઘટના સ્થળે હાજર પોલીસે તેમને સુરક્ષા પુરી પાડી હોવાનું જણાવ્યું હતું.


 ચૂંટણી પંચ અને તંત્ર ભાજપના ખોળે બેઠું છેઃ જગદીશ ઠાકોરનો આરોપ


ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું 14 જિલ્લાની 93 બેઠક માટે  મતદાન થઇ રહ્યું છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરોએ નરોડા ખાતે મતદાવ કર્યાં બાદ ભાજપ પર આકરા પ્રહાર કરતા આ નિવેદન આપ્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું 14 જિલ્લાની 93 બેઠક માટે  મતદાન થઇ રહ્યું છે. કોંગ્રેસપ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરોએ નરોડા ખાતે મતદાવ કર્યાં બાદ ભાજપ પર આકરા પ્રહાર કરતા આ નિવેદન આપ્યું હતું.


ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું 14 જિલ્લાની 93 બેઠક માટે  મતદાન થઇ રહ્યું છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરોએ નરોડા ખાતે મતદાવ કર્યાં બાદ ભાજપ પર આકરા પ્રહાર કરતા આ નિવેદન આપ્યું હતું. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદિશ ઠાકોરે મતદાન કર્યાં બાદ ર ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યાં હતા. તેમણે કહ્યું હતું કે, ભાજપના ગુંડાઓ લુખાઓ છે. તેમણે કહ્યું કે, દાંતાના ઉમેદવાર ૩ કલાક સુધી ભાળ ન મળે અને ચૂંટણી પંચ અમારી ફરિયાદ પણ ન લે આ કેવી રીતે ચાલે તેમણે કહ્યું કે, અનેક જગ્યાએ ઇવીએમ મશીન બંધ હોવા છતા કોઇ કાર્યવાહી થતી નથી,કોંગ્રેસ વિસ્તારમાં મતદાન ધીમું કરવાનું કામ તંત્ર કર્યું છે. સવાલ ઉઠાવતાં જગદિશ ઠાકોરે કહ્યું કે, ભાજપના બુથો પર મતદાન ઝડપથી પણ કોંગ્રસ વિસ્તારમાં મતદાન ધીમું કેમ.