અમદાવાદઃ દહેગામમાં કર્મકાંડ કરતા કેન્સરગ્રસ્ત દર્દી અંગે જાણ થતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મદદ કરી હતી. દહેગામની આ વ્યક્તિ પાસે લોહીના ટેસ્ટ -એન્ડોસ્કોપી કરાવવાના પણ પૈસા ન હોવાની જાણ થતાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને કાર્યરત જનસંવાદ કેન્દ્રમાંથી અમદાવાદ કેન્સર હોસ્પિટલમાં ગયો હતો. જેના લીધે ગરીબ દર્દીનું કેન્સરનું ઓપરેશન જ નહીં, આખીય સારવાર વિનામૂલ્યે કરવામાં આવી હતી જેના કારણે ગરીબ દર્દીને જાણે નવજીવન મળ્યુ હતું.


મળતી વિગતો પ્રમાણે , 45 વર્ષિય જગદીશભાઇ ત્રિવેદી દહેગામમાં કર્મકાંડ કરીને જીવન વિતાવે છે. જીવન વ્યક્તિ કરી રહ્યાં છે. પોતે અવિવાહીત હોવાથી ઘરકામ પણ જાતે કરવું પડે છે. તેમને વારસામાં એક છાપરાવાળુ ઘર મળ્યુ છે, જે આિર્થક સ્થિતી નબળી હોવાનુ ઉદાહરણ છે. જગદીશભાઈ અગાઉ અમદાવાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં રસોડામાં મજૂરીકામ કરતાં હતાં. આ સમયે શરીરમાં નબળાઇ હોવાથી તબીબોએ સિવિલમાં વધુ તપાસ કરાવવા સલાહ આપી હતી. નિદાન કરતાં લિવર માત્ર 12.5 ટકા કામ કરતું હોવાનું જાણવા મળ્યું હતું.

શરૂઆતમાં તેમને 11 બોટલ લોહી ચઢાવ્યુ પણ તમામ લોહી ઝાડા વાટે બહાર નીકળી ગયુ, જેથી ડોક્ટરોએ લોહીના ટેસ્ટ અને એન્ડોસ્કોપી કરાવવા સલાહ આપી હહી, પરંતુ તેમની પાસે ટેસ્ટ માટેના પણ પૈસા નહોતા. દરમિયાન જગદીશભાઇને કેન્સર હોસ્પિટલમાં ડાયરેક્ટર ડો.શંશાક પંડયાને મળવા માટે જણાવાયું અને તમારી સારવાર થઇ જશે, તેવું પણ તેમને કહેવાયું હતું.

જગદીશભાઇની એન્ડોસ્કોપીમાં નિદાન થયુ કે,લિવરની નળીમાં પંચરમાં છે એટલે ઓપરેશન કરાયું એટલું જ નહીં, 10 બોટલ લોહી ચઢાવાયું. આ સંપૂર્ણ સારવાર વિનામૂલ્ય કરવામાં આવી અને આજે જગદીશભાઇ ત્રિવેદી એકદમ સ્વસ્થ છે. સીએમ ડેશબોર્ડના માધ્યમથી રાજ્યના એક એક ગામ-જિલ્લા પર સીધી નજર રખાય છે એટલે જ ટેકનોલોજીમાં સંવેદના ભળે તો સુખદ પરિણામ આવી શકે છે.