અમદાવાદઃ ગુજરાતમાં ગઈ કાલે ફરી એકવાર 20થી વધુ કોરોનાના કેસો આવ્યા છે. ગઈ કાલે 25 કેસો આવ્યા હતા, જેમાંથી સૌથી વધુ વલસાડમાં 6 કેસ નોંધાયા હતા. તેના આગલા દિવસે પણ વલસાડમાં કોરોનાના 6 કેસ નોંધાયા હતા. અત્યારે ગુજરાતમાં કોરોનાના કુલ 165 એક્ટિવ કેસો છે. જેમાં સૌથી વધુ 47 એક્ટિવ કેસો વલસાડમાં છે. આ પછી અમદાવાદમાં 29, સુરતમાં 24, વડોદરા અને નવસારીમાં 15-15 એક્ટિવ કેસો છે. તો 19 જિલ્લા તો એવા છે જ્યાં એક પણ એક્ટિવ કેસ નથી. તેમજ બાકીના જિલ્લામાં સિંગલ ડિઝિટમાં એક્ટિવ કેસ રહ્યા છે. 


ગુજરાતમાં કોરોનાના નવા 25  કેસ નોંધાયા છે. તો બીજી તરફ 16  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,126 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું  નથી.  આજે  3,21,028 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે વલસાડ 6, અમદાવાદ કોર્પોરેશનમાં 4, નવસારી 4, સુરત 3, કચ્છ 2, રાજકોટ કોર્પોરેશન 2, સુરત કોર્પોરેશન 2, ભાવનગર 1 અને જૂનાગઢમાં  1 કોરોના વાયરસનો કેસ નોંધાયો છે. 


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 165 કેસ છે. જે પૈકી 06 વેન્ટીલેટર પર છે, જ્યારે 159 નાગરિકો સ્ટેબલ છે. 8,16,126 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10087 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.   ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે વલસાડ 6, અમદાવાદ કોર્પોરેશનમાં 4, નવસારી 4, સુરત 3, કચ્છ 2, રાજકોટ કોર્પોરેશન 2, સુરત કોર્પોરેશન 2, ભાવનગર 1 અને જૂનાગઢમાં  1 કોરોના વાયરસનો કેસ નોંધાયો છે. 


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 5 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1798 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 18407 નાગરિકોને રસીનો પ્રથમ અને 70037 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 52665 નાગરિકોને રસીનો પ્રથમ અને 178116 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 3,21,028 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 6,83,21,998 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 









અમદવાદ, અમરેલી,આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ,  ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર,દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન,  જૂનાગઢ કોર્પોરેશન,  ખેડા, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા,    સુરેન્દ્રનગર, તાપી,  વડોદરા  અને વડોદરા કોર્પોરેશનમાં  એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.