અમદાવાદઃ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ રાજ્યના 27 બિનહથિયારી પોલીસ ઇન્સપેક્ટર્સની બદલી કરી છે. શિવાનંદ ઝા 31 જુલાઈએ નિવૃત્ત થવાના છે ત્યારે નિવૃત્તિના એક દિવસ પહેલાં જ તેમણે 30 ઓગસ્ટે બદલીના ઓર્ડર આપીને આશ્ચર્ય સર્જ્યું છે.

આ તમામ પોલીસ ઇન્સ્પેક્ટર્સ બિનહથિયારધારી શ્રેણીના છે. શિવાનંદ ઝા દ્વારા તમામ પોલીસ ઈન્સ્પેક્ટર્સને તાત્કાલિક રીતે બદલી વાળી જગ્યાએ હાજર થવા ઓર્ડર કરાયા છે.

ક્યા પોલીસ ઇન્સ્પેક્ટર્સની બદલી થઈ ?

  • જે.કે.પટેલઃ વડોદરા શહેરથી છોટાઉદેપુર
  • કે.એન.લાઠીયાઃ ઈન્ટેલીજન્સમાંથી વડોદરા શહેર
  • કે.એમ.પ્રિયદર્શીઃ પાટણથી અમદાવાદ ગ્રામ્ય
  • એમ.એ.વાઘેલાઃ એ.સી.બી.માંથી અમદાવાદ ગ્રામ્ય
  • આર.આર.રાઠવાઃ અમદાવાદ ગ્રામ્યથી વડોદરા વિભાગ
  • બી. કે.ચૌધરીઃ એ.સી.બી.માંથી બનાસકાંઠા,
  • એ.પી.સોમૈયાઃ સુરત વિભાગમાંથી સુરત શહેર
  • કે.ડી.ડીંડોરઃ ઈન્ટેલીજન્સમાંથી દાહોદ,
  • કે.એન.રાઠવાઃ ગાંધીનગરથી મહીસાગર
  • જે.એન.પરમારઃ સી.આઈ.ડી.ક્રાઈમમાંથી પંચમહાલ વિભાગ
  • એસ.પી.કહારઃ પાટણથી ઈન્ટેલીજન્સમાં
  • એલ.ડી.ગમારાઃ ભાવનગરથી આણંદ
  • સી.બી. ચૌધરીઃ એ.સી.બી.માંથી આણંદ
  • કે.એચ. સાંધઃ જીઈબીમાંથી જૂનાગઢ
  • બી.એમ.રાણાઃ વડોદરા શહેરથી સુરેન્દ્રનગર
  • એન.એલ.પાંડોરઃ પોરબંદરથી વડોદરા શહેર
  • આર.બી.દેસાઈ રાજકોટ ગ્રામ્યથી સી.આઈ.ડી. ક્રાઈમ
  • વી. કે.પટેલઃ રાજકોટ ગ્રામ્યથી સુરત ગ્રામ્ય
  • એસ.આર.ગામીતઃ અમદાવાદ શહેરથી વલસાડ
  • એમ.એમ.લાલીવાલાઃ સ્ટેટ કંટ્રોલથી અમદાવાદ શહેર
  • જે.કે.ભરવાડઃ ગીર સોમનાથથી અમદાવાદ શહેર
  • વી.ડી.મોરીઃ પોલીસ એકેડેમી (કરાઈ)થી અમદાવાદ શહેર
  • ડી.ડી.ઝાલાઃ પોલીસ એકેડેમી (કરાઈ)થી ભાવનગર
  • વી.એમ.દેસાઈઃ પી.ટી.સી. જુનાગઢથી અમદાવાદ શહેર
  • કે.ડી.જાડેજાઃ અમરેલીથી અમદાવાદ શહેર
  • ડી.વી.તડવીઃ અમદાવાદ શહેરથી વલસાડ
  • આર.એસ.ઠાકરઃ રાજકોટ શહેરથી અમદાવાદ શહેર