શોધખોળ કરો

ગુજરાતમાં કોરોનાના કારણે 10 હજાર નહીં પણ 90 હજારનાં મોત, સરકારે જ સુપ્રીમમાં કરી કબૂલાત

કોરોનાના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને વળતર ચૂકવવા અંગે સુપ્રીમ કોર્ટે કરેલા આદેશ બાદ રાજ્ય સરકારે કરેલી કાર્યવાહીનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટ સમક્ષ મૂકાયો. 89,633 વળતર માટેની અરજીઓ આવી.

અમદાવાદઃ કોરોનાના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને વળતર ચૂકવવા અંગે સુપ્રીમ કોર્ટે કરેલા આદેશ બાદ રાજ્ય સરકારે કરેલી કાર્યવાહીનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટ સમક્ષ મૂકાયો. 10,094 નોંધાયેલા કોરોના મૃત્યુની સામે 89633 વળતર માટેની અરજીઓ આવી. જેમાંથી સરકારે 68,370 અરજીઓને વળતર માટે મંજુર કરી. 58,840 અરજીઓમાં વળતર ચૂકવાયું. 4234 અરજીઓ નામંજુર કરાઈ. અત્યારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ રહી છે.

ગુજરાત સરકારે કોમ્પલાયન્સ રિપોર્ટમાં સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી હતી કે, તેમને 16 જાન્યુઆરી સુધીમાં કોવિડ પીડિતોના સંબંધીઓ તરફથી વળતરની માંગ કરતી 89,633 અરજીઓ મળી હતી. જેમાંથી સરકારે 68,370 દાવાઓને મંજૂરી આપી દીધી છે. તેમજ ચકાસણી પછી 4234 અરજીઓ ફગાવી દીધી છે. તેમજ હજુ 17 હજારથી વધુ અરજીઓ ચકાસણી હેઠળ છે. આ મોતનો આંકડો રાજ્ય સરકારના સત્તાવાર મૃત્યુઆંક કરતાં નવ ગણો વધારે છે. 

ગુજરાતમાં કોરોનાનો કાળો કેરઃ પ્રતિ મિનિટે કેટલા કેસ નોંધાઈ રહ્યા છે? એક જ અઠવાડિયામાં એક્ટિવ કેસ થયા બમણા

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના એક દિવસમાં રેકોર્ડ બ્રેક 17 હજારથી વધુ કેસો નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થયા પછી પહેલીવાર એક દિવસમાં 17 હજારથી વધુ કેસ નોંધાયા હતા. હવે આ સ્થિતિમાં ગુજરાતમાં પ્રતિ મિનિટે 12 વ્યક્તિ કોરોના પોઝિટીવ થઈ રહ્યા છે. એટલું જ નહીં, એક અઠવાડિયામાં કોરોનાના એક્ટિવ કેસો બમણા થઈ ગયા છે. 

ગુજરાતના રેકોર્ડબ્રેક દૈનિક કેસોની વાત કરીએ તો ગઈ કાલે 18 જાન્યુઆરીએ 17,119 કેસ નોંધાયા હતા. આ પહેલા ગત 30 એપ્રિલ 2021ના દિવસે 14,605, 27 એપ્રિલે 2021એ 14,352, 26 એપ્રિલે 14,340 હાઈએસ્ટ કેસો નોંધાયા હતા. તો 29 એપ્રિલ 2021એ 14,327 અને 28 એપ્રિલે 2021એ 14,120 કેસ નોંધાયા હતા. 

રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.   રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 17119  કેસ નોંધાયા છે. બીજી તરફ 7883  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ  8,66,338 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 90.61 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  10 મોત થયા. આજે 3,17,089 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 5998, સુરત કોર્પોરેશનમાં 3563,  વડોદરા   કોર્પોરેશનમાં 1539,  રાજકોટ કોર્પોરેશનમાં 1336,  સુરતમાં 423,  ગાંધીનગર કોર્પોરેશનમાં 409, ભાવનગર કોર્પોરેશનમાં 399, મોરબી 318, વલસાડ 310, જામનગર કોર્પોરેશન 252, મહેસાણા 240, નવસારી 211, ભરુચ 206, કચ્છ 175, બનાસકાંઠા 163, વડોદરા 131, રાજકોટ 125, પાટણ 119, જૂનાગઢ કોર્પોરેશન 116, ભાવનગર 102, જામનગર 102, ખેડા 85, અમદાવાદ 80, સુરેન્દ્રનગર 78, અમરેલી 76, ગાંધીનગર 74, આણંદ 65, દાહોદ 62, સાબરકાંઠા 51, નર્મદા 48, પંચમહાલ 45, ગીર સોમનાથ 42, મહીસાગર 39, દેવભૂમિ દ્વારકા 34, પોરબંદર 30, તાપી 30, જૂનાગઢ 15, બોટાદ 12, અરવલ્લી 10, છોટા ઉદેપુર 3 અને ડાંગમાં 3 કેસ નોંધાયા છે. 

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 79600 કેસ છે. જે પૈકી 113 વેન્ટીલેટર પર છે, જ્યારે 79487 નાગરિકો સ્ટેબલ છે. 866338 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10,174 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે 10 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 3,સુરત  કોર્પોરેશનમાં 2, સુરત 3, ભાવનગર કોર્પોરેશનમાં 1, વલસાડમાં  એક દર્દીનું મોત થયું છે.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 9 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 415 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 8068 લોકોને પ્રથમ અને 36606 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 43302 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 104040 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ જ રીતે 15-18 વર્ષ સુધીની ઉંમરના 57420 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. પ્રીકોશન ડોઝ 67229 લોકોને અપાયો છે.  આજે કુલ 3,17,089 લોકોનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં કુલ 9,53,79,500 લોકોને રસી અપાઈ છે.

Gujarat Corona : ગુજરાતમાં એક દિવસમાં રેકોર્ડ બ્રેક 17 હજારથી વધુ કેસો નોંધાયા, જાણો વિગત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના એક દિવસમાં રેકોર્ડ બ્રેક 17 હજારથી વધુ કેસો નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થયા પછી પહેલીવાર એક દિવસમાં 17 હજારથી વધુ કેસ નોંધાયા હતા. આ કેસોની વાત કરીએ તો ગઈ કાલે 18 જાન્યુઆરીએ 17,119 કેસ નોંધાયા હતા. આ પહેલા ગત 30 એપ્રિલ 2021ના દિવસે 14,605, 27 એપ્રિલે 2021એ 14,352, 26 એપ્રિલે 14,340 હાઈએસ્ટ કેસો નોંધાયા હતા. તો 29 એપ્રિલ 2021એ 14,327 અને 28 એપ્રિલે 2021એ 14,120 કેસ નોંધાયા હતા. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કોંગ્રેસને ડબલ ફટકોઃ પહેલા હાઈકોર્ટે અરજી ફગાવી, હવે આવકવેરા વિભાગે 1700 કરોડની નોટિસ ફટકારી
કોંગ્રેસને ડબલ ફટકોઃ પહેલા હાઈકોર્ટે અરજી ફગાવી, હવે આવકવેરા વિભાગે 1700 કરોડની નોટિસ ફટકારી
Controversial statement: ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે આ વ્યક્તિએ કેમ કરી ફરિયાદ? જાણો શું છે મામલો
Controversial statement: ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે આ વ્યક્તિએ કેમ કરી ફરિયાદ? જાણો શું છે મામલો
Sabarkantha: સાબરકાંઠા બેઠક પર ડેમેજ કન્ટ્રોલના ભાજપના પ્રયાસ, અરવલ્લી પહોંચ્યા હર્ષ સંઘવી
Sabarkantha: સાબરકાંઠા બેઠક પર ડેમેજ કન્ટ્રોલના ભાજપના પ્રયાસ, અરવલ્લી પહોંચ્યા હર્ષ સંઘવી
Unseasonal Rain : કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ, કેરી પકવતા ખેડૂતો ચિંતામાં
Unseasonal Rain : કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ, કેરી પકવતા ખેડૂતો ચિંતામાં
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Parshottam Rupala Controversy| ‘પરસોત્તમ રૂપાલાને બદલો એક જ વાત...અમારા 60 ટકા વોટ છે...’Chaitar Vasava | ‘ભાજપ ડરી ગઈ છે...અમને થોડુંક નુકસાન થશે પણ જીતી જઈશું..’ ચૈતર વસાવાનો દાવોArvind Kejriwal | દારૂનીતિ કેસમાં અરવિંદ કેજરીવાલના વધારાયા રિમાન્ડ, જેલમાંથી સરકાર ચલાવવાની છૂટParshottam Rupala |રાજકોટમાં રૂપાલા વિરુદ્ધ કરાઈ કોર્ટમાં ફરિયાદ, કોને કરી આ ફરિયાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસને ડબલ ફટકોઃ પહેલા હાઈકોર્ટે અરજી ફગાવી, હવે આવકવેરા વિભાગે 1700 કરોડની નોટિસ ફટકારી
કોંગ્રેસને ડબલ ફટકોઃ પહેલા હાઈકોર્ટે અરજી ફગાવી, હવે આવકવેરા વિભાગે 1700 કરોડની નોટિસ ફટકારી
Controversial statement: ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે આ વ્યક્તિએ કેમ કરી ફરિયાદ? જાણો શું છે મામલો
Controversial statement: ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે આ વ્યક્તિએ કેમ કરી ફરિયાદ? જાણો શું છે મામલો
Sabarkantha: સાબરકાંઠા બેઠક પર ડેમેજ કન્ટ્રોલના ભાજપના પ્રયાસ, અરવલ્લી પહોંચ્યા હર્ષ સંઘવી
Sabarkantha: સાબરકાંઠા બેઠક પર ડેમેજ કન્ટ્રોલના ભાજપના પ્રયાસ, અરવલ્લી પહોંચ્યા હર્ષ સંઘવી
Unseasonal Rain : કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ, કેરી પકવતા ખેડૂતો ચિંતામાં
Unseasonal Rain : કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ, કેરી પકવતા ખેડૂતો ચિંતામાં
Lok sabha 2024 Live Update: સીટ વહેંચણીને લઈને કોંગ્રેસ અને આરજેડી વચ્ચે વાતચીત, MVAને લઈને પ્રકાશ આંબેડકર કરશે મોટો ખુલાસો
Lok sabha 2024 Live Update: સીટ વહેંચણીને લઈને કોંગ્રેસ અને આરજેડી વચ્ચે વાતચીત, MVAને લઈને પ્રકાશ આંબેડકર કરશે મોટો ખુલાસો
IPL 2024: IPL 2024માં 16 વર્ષના ખેલાડીની એન્ટ્રી, KKRએ ટીમમાં કર્યો સામેલ, RR તરફથી રમશે કેશવ મહારાજ
IPL 2024: IPL 2024માં 16 વર્ષના ખેલાડીની એન્ટ્રી, KKRએ ટીમમાં કર્યો સામેલ, RR તરફથી રમશે કેશવ મહારાજ
ભારતમાં બાળકનો જન્મ થાય છે ત્યારે તે 'I' અને AI બંને બોલે છે... બિલ ગેટ્સ સાથે પીએમ મોદીની મન કી બાત
ભારતમાં બાળકનો જન્મ થાય છે ત્યારે તે 'I' અને AI બંને બોલે છે... બિલ ગેટ્સ સાથે પીએમ મોદીની મન કી બાત
સોનામાં તેજીનો તરખાટ, 10 ગ્રામનો ભાવ 70 હજાર; એક જ મહિનામાં 6 હજાર વધ્યા
સોનામાં તેજીનો તરખાટ, 10 ગ્રામનો ભાવ 70 હજાર; એક જ મહિનામાં 6 હજાર વધ્યા
Embed widget