અમદાવાદઃ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને ગુજરાત હાઇકોર્ટે મોટી રાહત આપી છે. પ્રદીપસિંહ જાડેજા સામે 2007માં આચારસંહિતાના ભંગ બદલ નોંધાયેલી ફરિયાદ હાઈકોર્ટે રદ કરી છે. પ્રદીપસિંહ જાડેજા સામે આચારસંહિતાના ભંગ બદલ ફરિયાદ નોંધવા અંગે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે હુકમ કર્યો હતો, જેને પ્રદીપસિંહ જાડેજાએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો.