અમદાવાદઃ ગુજરાત પોલીસ દ્વારા લેવાયેલી શારીરિક કસોટીનું પરિણામ જાહેર થઈ ગયું છે. પીએસાઈ અને એલઆરડીની શારીરિક કસોટીનું પરિણામ જાહેર થયું છે. આ અંગે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના વડા આઈપીએસ હસમુખ પટેલ દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છે. તેમણે ટ્વીટ કર્યું છે કે, પો.સ.ઇ. ભરતીની શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની વિગત https://psirbgujarat2021.in વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ છે.






લોકરક્ષકમાં કુલ 10 હજાર 459 પદો પર ભરતી થવાની છે. જેમાં પુરુષ ઉમેદવારો 8 હજાર 476 અને 1983 મહિલા પદ પર ભરતી થશે. લોકરક્ષક ભરતીમાં ઉમેદવારે દોડવામાં લીધેલા સમયને આધારે તેમને માર્ક્સ મળશે અને તે મેરીટમાં ધ્યાને લેવામાં આવશે. PSI અને લોકરક્ષક સંવર્ગોની સીધી ભરતીમાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો લેખિત પરીક્ષામાં ભાગ લઈ શકશે. રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણયથી વધુ ઉમેદવારોને લેખિત કસોટીમાં બેસવાની તક મળશે. પોલીસ અને LRD ની સીધી ભરતીમાં 15 અને 8 નો નિર્ણય બદલ્યો છે.


ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી સહિત ભાજપના બે નેતાને લાગ્યો કોરોનાનો ચેપ? જાણો કોણ છે આ બે નેતા?


ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસોએ રફતાર પકડી છે, ત્યારે હવે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ કોરોના સંક્રમિત બની રહ્યા છે. હવે રાજ્ય સરકારના વધુ એક મંત્રી કોરોના પોઝિટિવ આવ્યા છે. પંચાયત રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા કોરોના પોઝિટિવ આવ્યા છે. સામાન્ય લક્ષણો જણાતા કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. આ સિવાય ભાજપના વધુ એક દિગ્ગજ નેતા પણ કોરોના સંક્રમિત થયા છે. 


કર્ણાટકના પુર્વ રાજ્યપાલ અને ભાજપના દિગ્ગજ નેતા વજુભાઇ વાળા પોજીટીવ આવ્યા છે. વજુભાઇના ઘરે આરોગ્યની ટિમ પહોંચી છે. રાજકોટમાં રેલી બાદ વજુભાઇ વાળા મુખ્યમંત્રીને મળ્યા હતા. રાજકોટમાં અત્યાર સુધીમાં પાંચ જેટલા મોટા નેતાઓ જેઓ રેલીમાં સામેલ હતા તેઓ પોઝિટિવ આવ્યા છે.