શોધખોળ કરો

Haryana Rajya Sabha Election 2026: BJP એ ડેપ્યૂટી CM હર્ષ સંઘવીને સોંપી મોટી જવાબદારી

Haryana Rajya Sabha Election 2026: હરિયાણા રાજ્યસભા ચૂંટણી 2026માં બે બેઠકો માટેનો મુકાબલો ત્રણ ઉમેદવારોના ચૂંટણી લડવાને કારણે વધુને વધુ રસપ્રદ બન્યો છે. આ દરમિયાન, ભાજપના ટોચના નેતૃત્વએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

Haryana Rajya Sabha Election 2026: હરિયાણામાં રાજ્યસભાની બે બેઠકો માટે ત્રણ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા બાદ રાજકીય પક્ષોની ચિંતા વધી ગઈ છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીને રાજ્યમાં કેન્દ્રીય નિરીક્ષકની નિમણૂક કરી છે.

પક્ષના મહાસચિવ અને મુખ્યાલય પ્રભારી અરુણ સિંહ દ્વારા જારી કરાયેલ એક પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાત સરકારમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજ્યસભા ચૂંટણી માટે કેન્દ્રીય નિરીક્ષક રહેશે.

હરિયાણા રાજ્યસભા ચૂંટણીમાં કોણ કોણ છે ઉમેદવાર?

તમને જણાવી દઈએ કે હરિયાણાથી સંજય ભાટિયા (BJP) અને કર્મવીર સિંહ બૌદ્ધ (કોંગ્રેસ) એ ઉમેદવારી પત્ર ભર્યા છે. આ બેઠકો ભાજપના રાજ્યસભા સાંસદો કિરણ ચૌધરી અને રામચંદ્ર જાંગડાનો કાર્યકાળ પૂર્ણ થવાને કારણે ખાલી પડી છે. ભાજપના નેતા સતીશ નાંદલે પણ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે, જેના કારણે મુકાબલો રસપ્રદ બની ગયો છે. હવે બે બેઠકો માટે ત્રણ ઉમેદવારો મેદાનમાં હોવાથી ચૂંટણી કઠિન બની શકે છે.

ભૂતપૂર્વ સાંસદ સંજય ભાટિયાએ મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની અને અન્ય વરિષ્ઠ નેતાઓની હાજરીમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું. ભાટિયાને કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરના નજીકના માનવામાં આવે છે. તેમની પાસે સંગઠનાત્મક રાજકારણનો લાંબો અનુભવ છે અને તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે પણ જોડાયેલા રહ્યા છે. તેઓ અગાઉ ભાજપના રાજ્ય મહાસચિવ પણ રહી ચૂક્યા છે. સંજય ભાટિયા સંસદની ગૃહ બાબતોની સ્થાયી સમિતિ, સાંસદોના વેતન અને ભથ્થાંની સંયુક્ત સમિતિ અને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયની પરામર્શ સમિતિના સભ્ય પણ રહી ચૂક્યા છે.

બીજી તરફ, કોંગ્રેસે દલિત વોટ બેંકને મજબૂત કરવા માટે કર્મવીર સિંહ બૌદ્ધને પ્રથમ વખત ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. કર્મવીર સિંહ બૌદ્ધ રાજ્ય સિવિલ સચિવાલયમાં વહીવટી અધિકારીના પદ પરથી નિવૃત્ત થયા છે.

હરિયાણામાં રાજ્યસભા ચૂંટણી જીતવા માટે કેટલા વોટ જોઈએ?

આ ઉપરાંત રોહતકના બોહર ગામના રહેવાસી સતીશ નાંદલે પોતાની ઉમેદવારી નોંધાવી છે. તેમની સાથે અપક્ષ ધારાસભ્ય સાવિત્રી જિંદાલ, દેવેન્દ્ર કાદિયાન અને રાજેશ જૂન હાજર હતા. ઉમેદવારી નોંધાવતા પહેલા નાંદલે કહ્યું હતું કે કેટલાક ધારાસભ્યોએ સૂચન કર્યું હતું કે એક અપક્ષ ઉમેદવાર પણ ચૂંટણી મેદાનમાં હોવો જોઈએ, તેથી તેમણે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો. નાંદલ અગાઉ ઈન્ડિયન નેશનલ લોકદળ (INLD) ના નેતા રહી ચૂક્યા છે અને તેઓ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના રાજકીય પ્રતિસ્પર્ધી માનવામાં આવે છે.

તેમણે 2009, 2014 અને 2019 માં ગઢી સાં,લા-કિલોઈ વિધાનસભા બેઠક પરથી હુડ્ડા વિરુદ્ધ ચૂંટણી લડી હતી, પરંતુ જીતી શક્યા ન હતા. 90 સભ્યોની હરિયાણા વિધાનસભામાં રાજ્યસભાની બેઠક જીતવા માટે 31 વોટની જરૂર હોય છે. હાલમાં, ભાજપ પાસે ત્રણ અપક્ષો સહિત 48 ધારાસભ્યોનું સમર્થન છે, જ્યારે કોંગ્રેસ પાસે 37 ધારાસભ્યો છે. અપક્ષ ઉમેદવાર તરીકે નાંદલના મેદાનમાં ઉતરવાથી ચૂંટણી વધુ રસપ્રદ બની ગઈ છે. મતદાન 16 માર્ચના રોજ થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad News: અમદાવાદમાં ઢોસા ખાધા બાદ બે બાળકીના મોત કેસનો FSL રિપોર્ટ આવ્યો સામે, જાણો વિગતે
Ahmedabad News: અમદાવાદમાં ઢોસા ખાધા બાદ બે બાળકીના મોત કેસનો FSL રિપોર્ટ આવ્યો સામે, જાણો વિગતે
બિહારના મુખ્યમંત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપીને સાણંદ પોલીસે ઝડપી લીધો 
બિહારના મુખ્યમંત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપીને સાણંદ પોલીસે ઝડપી લીધો 
Local Body Elections: મતદાન પહેલા જ જીતી ગયા આ ઉમેદવારો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 128 બેઠકો બિનહરીફ
Local Body Elections: મતદાન પહેલા જ જીતી ગયા આ ઉમેદવારો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 128 બેઠકો બિનહરીફ
અમદાવાદમાં ભાજપના ઉમેદવારોમાં છેલ્લી ઘડીએ મોટો ફેરફાર: ટાઈપિંગ મિસ્ટેક અને નિયમોના કારણે ત્રણ મેન્ડેટ બદલાયા
અમદાવાદમાં ભાજપના ઉમેદવારોમાં છેલ્લી ઘડીએ મોટો ફેરફાર: ટાઈપિંગ મિસ્ટેક અને નિયમોના કારણે ત્રણ મેન્ડેટ બદલાયા
Advertisement

વિડિઓઝ

Ahmedabad Congress : ચૂંટણી પહેલા અમદાવાદ શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખને લાફો મારવાના પ્રયાસથી હડકંપ
Ahmedabad News: અમદાવાદમાં એમડી ડ્રગ્સની રેડ દરમિયાન ક્રાઈમ્રબ્રાંચની ટીમ પર હુમલો
Gujarat Heat Wave: આગ વરસાવતી ગરમી માટે રહેજો તૈયાર... હવામાન વિભાગે શું કરી આગાહી?
Gujarat Unseasonal Rain Forecast: ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી
PM Modi To Address Nation: PM મોદી આજે રાત્રે 8.30 વાગ્યે કરશે રાષ્ટ્રને સંબોધન | abp Asmita
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોર્મુઝમાં ભારતીય ટેન્કર પર ઈરાને કર્યો ગોળીબાર: ભારતે રાજદૂતને બોલાવી નોંધાવ્યો કડક વિરોધ
હોર્મુઝમાં ભારતીય ટેન્કર પર ઈરાને કર્યો ગોળીબાર: ભારતે રાજદૂતને બોલાવી નોંધાવ્યો કડક વિરોધ
ધંધુકામાં યુવાનની હત્યા બાદ ભડકો: 2 ધર્મના લોકો સામસામે આવતા આગચંપી, શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
ધંધુકામાં યુવાનની હત્યા બાદ ભડકો: 2 ધર્મના લોકો સામસામે આવતા આગચંપી, શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
33% મહિલા અનામત લાગુ કરવા વિપક્ષનો ‘માસ્ટરસ્ટ્રોક’, પીએમ મોદીને પત્ર લખીને કરશે આ માંગ
33% મહિલા અનામત લાગુ કરવા વિપક્ષનો ‘માસ્ટરસ્ટ્રોક’, પીએમ મોદીને પત્ર લખીને કરશે આ માંગ
કેન્દ્રીય કર્મચારીનાં DA માં 2% નો વધારો, જાણો લેવલ 1 થી 18 ના કર્મચારીઓનાં પગારમાં કેટલો વધારો થશે?
કેન્દ્રીય કર્મચારીનાં DA માં 2% નો વધારો, જાણો લેવલ 1 થી 18 ના કર્મચારીઓનાં પગારમાં કેટલો વધારો થશે?
Dual Citizenship Case: રાહુલ ગાંધી સામે નહીં નોંધાઈ FIR; બેવડી નાગરિકતા કેસમાં હાઇકોર્ટે લાગવી રોક
Dual Citizenship Case: રાહુલ ગાંધી સામે નહીં નોંધાઈ FIR; બેવડી નાગરિકતા કેસમાં હાઇકોર્ટે લાગવી રોક
કાલથી વાતાવરણ પલટાશે, આગામી 72 કલાકમાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે, હવામાન વિભાગની માવઠાની આગાહી
કાલથી વાતાવરણ પલટાશે, આગામી 72 કલાકમાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે, હવામાન વિભાગની માવઠાની આગાહી
મહિલા અનામત બિલના પરાજય બાદ સંજય રાઉતનું મોટું નિવેદન:
મહિલા અનામત બિલના પરાજય બાદ સંજય રાઉતનું મોટું નિવેદન: "રાહુલ ગાંધીએ દેશની લોકશાહી....."
PM મોદી આજે રાત્રે 8:30 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે, શું મહિલા અનામત અંગે પોતાના વિચારો જણાવશે?
PM મોદી આજે રાત્રે 8:30 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે, શું મહિલા અનામત અંગે પોતાના વિચારો જણાવશે?
Embed widget