શોધખોળ કરો

MLA મેવાણી અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે ડખો, કાર્યકરોના વિરોધને કારણે બદલવું પડ્યું બેઠકનું સ્થળ 

MLA Jignesh Mevani: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈ કોંગ્રેસમાં કકળાટ યથાવત છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • જીજ્ઞેશ મેવાણીને કાર્યકરોના વિરોધને કારણે સ્થળ બદલવું પડ્યું.
  • મેવાણી માત્ર એક ઉમેદવાર સાથે પ્રચાર કરવા મજબૂર થયા.
  • અમિત ઠાકરે વેજલપુરમાં 'ચંડોળા' જેવી સ્થિતિ ન બનવા દેવાની ચેતવણી આપી.
  • સી.આર. પાટીલે કોંગ્રેસ પર મહિલા સશક્તિકરણ બિલ વિરોધનો આરોપ મૂક્યો.

MLA Jignesh Mevani: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈ કોંગ્રેસમાં કકળાટ યથાવત છે. વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક જીજ્ઞેશ મેવાણીને કોંગ્રેસના જ કાર્યકરોના વિરોધને પગલે ચાંદખેડા વોર્ડમાં પ્રચાર માટે બેઠકનું સ્થળ બદલવાની ફરજ પડી હતી. 18 એપ્રિલે જીગ્નેશ મેવાણી ચાંદખેડા વોર્ડમાં પ્રચાર માટે આવવાના હતા. જે માટે અગાઉ આઈ.ઓ.સી.રોડ પર આવેલા સ્નેહપ્લાઝામાં કરિશ્મા એવેન્યુમાં મિટિંગનુ આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ સ્થાનિક કાર્યકર્તાઓના વિરોધના કારણે જગ્યા બદલી હેમાંગી ફલેટના કોમનપ્લોટમાં રાખવામાં આવી હતી. તેમજ પ્રચારમાં કોંગ્રેસના એકમાત્ર ઉમેદવાર સુબોધ કુમુદ જ જોવા મળ્યા હતા. પેનલના અન્ય ઉમેદવારો પણ પ્રચારમાં હાજર રહ્યા નહતા. જેથી સ્ટાર પ્રચારકે માત્ર એક ઉમેદવાર સુબોધ કુમુદ અને અન્ય કાર્યકર્તાઓને સાથે રાખીને પ્રચાર કરવો પડ્યો હતો.

ચાંદખેડામાં MLA જીજ્ઞેશ મેવાણી અને ઉમેદવારો વચ્ચે ડખો ઉભો થયો છે. પ્રચાર માટે ચાંદખેડા પહોંચેલા મેવાણી સાથે કોંગ્રેસના જ 3 ઉમેદવાર જોડાયા ન હતા. મેવાણીએ સુબોધ મુકુદને લઈને એકલો પ્રચાર કર્યો હતો. પેરાશૂટ ઉમેદવારને લઈ કોંગ્રેસમાં વિવાદ ચાલી રહ્યો છે. મેવાણી જ્યાં બેઠક કરવાના હતા તે સ્થળે કાર્યકરોએ તાળું માર્યું હતું. મેવાણીએ કાર્યકરોના વિરોધને લઈ બેઠકનું સ્થળ બદલવું પડ્યું હતું. ચાંદખેડાની બજારમાં પ્રચાર માટે નીકળેલા મેવાણીની પરિસ્થિતિ હાસ્યાસ્પદ બની હતી. પોતાને આક્રમક ગણાવતા મેવાણીની કોંગ્રેસના જ ઉમેદવારોએ ફજેતી કરી હતી. ત્રણ ઉમેદવારો પ્રચારમાં ન જોડાતા મેવાણીનું સૂરસૂરયું થયું હતું. ચાંદખેડાથી રાજશ્રી કેસરી, વર્ષા કટારા, સુધીર પટેલ, સુબોધ કોંગ્રેસના ઉમેદવાર છે. 

'વેજલપુરમાં બીજું ચંડોળા નહીં બનવા દઉં'

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરના એક આક્રમક નિવેદને રાજકીય ગરમાવો લાવી દીધો.  સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ધારાસભ્યએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, તેઓ વેજલપુર વિધાનસભામાં બીજું 'ચંડોળા તળાવ' નહીં બનવા દે. તેમણે મતદારો સામે સીધો વિકલ્પ મુકતા કહ્યું કે, જેમને ગાર્ડન અને સુવિધાઓ જોઈએ છે તે ભાજપને મત આપે અને જેમને ચંડોળા જેવી સ્થિતિ જોઈએ છે તે કોંગ્રેસને મત આપે. દબાણ કરનારાઓ અને બુટલેગરો સામે લાલ આંખ કરતા તેમણે ઉમેર્યું હતું કે, તેઓ બુટલેગરો સાથે બેસીને વોટ લેનારા માણસ નથી. ઠાકરે જણાવ્યું કે જે વાતો તેઓ અહીં બોલે છે તે જ વાતો દરેક જગ્યાએ ડર્યા વગર કહેશે. તો જુહાપુરાની પણ અમિત ઠાકરે વાત કરી હતી.  જાહેર સભામાં જુહાપુરા અને જોધપુર વિસ્તારની તુલના કરીને અત્યંત આક્રમક નિવેદન આપ્યું. તેમણે મતદારોને સીધો સંદેશ આપતા કહ્યું કે જો તેઓ જુહાપુરાને ચંડોળા જેવું ગીચ અને અવિકસિત રાખવા માંગતા હોય તો કોંગ્રેસ કે AIMIMને વોટ આપે, પરંતુ જો તેને જોધપુર જેવો આધુનિક અને વિકસિત વિસ્તાર બનાવવો હોય તો ભાજપને પસંદ કરે. ઠાકરે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ અને AIMIM જેવી પાર્ટીઓ ધર્મના નામે રાજકારણ કરીને જુહાપુરાના વિકાસમાં અવરોધ ઉભો કરે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે ભાજપ સરકાર રોડ, ગટર, પાણી અને લાઈબ્રેરી જેવી તમામ સુવિધાઓ આપવા તૈયાર છે, પણ તે માટે મતદારોએ વિકાસની રાજનીતિને સ્વીકારવી પડશે. જોધપુર અને બોડકદેવના વિકાસના ઉદાહરણો આપીને તેમણે જુહાપુરાના લોકોને આહ્વાન કર્યું કે હવે 25 વર્ષના પછાતપણાને છોડીને ભાજપ સાથે જોડાઈને ચાર ગણો વિકાસ મેળવે. 

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે કર્યો પ્રચાર 

સુરતના વોર્ડ નંબર 25માં આયોજિત 'ચાય પે ચર્ચા' કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે ભાજપના ઝંઝાવાતી પ્રચારનું નેતૃત્વ કર્યું. પાટીલે આક્ષેપ કર્યો કે, જ્યારે ભાજપ સરકાર મહિલાઓના સશક્તિકરણ માટે બિલ લાવી ત્યારે કોંગ્રેસ સહિતના વિપક્ષોએ તેનો સખત વિરોધ કરીને દેશની મહિલાઓને મોટું નુકસાન પહોંચાડ્યું. તેમણે ગર્જના કરી હતી કે દેશની નારીશક્તિ વિપક્ષોના આ કૃત્યને ક્યારેય માફ નહીં કરે અને આગામી દિવસોમાં કોંગ્રેસનો રાજકીય સૂર્યાસ્ત નિશ્ચિત છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ
Advertisement

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદ મનપાના ફુડ વિભાગની કાર્યવાહી, અખાદ્ય હળદર, કાજુનો જથ્થો કર્યો જપ્તAhmedabad Municipal Corporation's Food Department's action, quantity of inedible Haldar, Cashew seized.
Ahmedabad News: સાબરમતી જેલની સુરક્ષામાં મોટી ચૂક, સુરક્ષાકર્મીની સામેથી ફરાર થઈ ગયો કેદી
Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?
NEET UG 2026 Exam Cancelled : પેપર લીકના આરોપો બાદ NEET-UG 2026 પરીક્ષા રદ
Sabarkantha news: હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ
8th Pay Commission: કર્મચારી યુનિયનોની મોટી માંગ, 3ના બદલે 5 સભ્યોના આધારે નક્કી થાય પગાર
8th Pay Commission: કર્મચારી યુનિયનોની મોટી માંગ, 3ના બદલે 5 સભ્યોના આધારે નક્કી થાય પગાર
તમિલનાડુમાં ફ્લૉર ટેસ્ટ પહેલા બે જૂથોમાં વહેંચાઇ AIADMK, એક જૂથે વિજયની TVK ને સમર્થનનું કર્યું એલાન
તમિલનાડુમાં ફ્લૉર ટેસ્ટ પહેલા બે જૂથોમાં વહેંચાઇ AIADMK, એક જૂથે વિજયની TVK ને સમર્થનનું કર્યું એલાન
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ 
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ 
તમિલનાડુના CM બનતાં જ થલાપતિ વિજયનો મોટો નિર્ણય, 15 દિવસોની અંદર દારૂની દુકાનો....
તમિલનાડુના CM બનતાં જ થલાપતિ વિજયનો મોટો નિર્ણય, 15 દિવસોની અંદર દારૂની દુકાનો....
Embed widget